વડોદરા. 30 સપ્ટેમ્બરના રોડ જ્યોતિ લી. કંપનીની 76 એન્યુઅલ જનરલ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એજીએમ પહેલા કંપનીના શેર ધરાવતા રાહુલ નાનુભાઇ અમીન અને શેર ધરાવતા ચિરાયું રમણભાઇ અમીને પોતાનું પ્રોમોટર ગૃપ કેટેગરીનું સ્ટેટસ પબ્લીક કેટેગરીમાં તબદીલ કરવા માટે રીઝોલ્યુશન રજુ કર્યું હતું. જ્યોતિ. લી. કંપનીમાં રાહુલ નાનુભાઇ અમીન 4.69 ટકા હિસ્સેદારી ધરાવે છે. જેમાં તેના હિસ્સાના શેરની સંખ્યા જેટલી થવા પામે છે. જ્યારે ચિરાયુ રમણભાઇ અમીન 590 શેર ધરાવે છે. બંન્ને દ્વારા પોતાનું પ્રોમોટર ગૃપ કેટેગરીનું સ્ટેટસ પબ્લીક કરવા પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે.
પ્રોમોટર ગૃપ કેટેગરીમાં આવતા વ્યક્તિ પર અનેક નિયમો લાગુ થાય છે
કંપનીની પ્રક્રિયાગત કામકાજથી જાણકાર વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, જ્યારે લિસ્ટેડ કંપનીમાં કોઇ વ્યક્તિ પ્રમોટર કેટેગરીમાં આવે તો તેની પર અનેક નિયમો લાગુ પડતા હોય છે. અને જેનું પાલન તેણે ચુસ્ત પણે કરવાનું હોય છે. પ્રોમોટર ગૃપમાં આવતા વ્યક્તિએ સેબીમાં નક્કી કરેલી હિસ્સેદારી પ્રમાણે શેર હોલ્ડીંગ પોતાની પાસે રાખવાનું હોય છે. તેની સાથે તેના દ્વારા ઇન્સાઇડર ટ્રેડીંગ કરી શકાય નહીં. જો આ વાતની સેબીની તપાસમાં બહાર આવે તો વ્યક્તિએ ફાઇન ભરવો પડી શકે છે. અને કોઇ પણ કંપનીનો પ્રમોટર ગૃપના વ્યક્તિએ શેરની લે-વેચ કરવી હોય તો સેબીની મંજુરી બાદ જ કરી શકાય છે. તેની સામે પબ્લીક શેરહોલ્ડીંગ ધરાવતા વ્યક્તિ, જરૂરીયાત મુજબના શેર લઇ શકે, તેની લે-વેચ કરી શકે અથવાતો ઇન્સાઇડર ટ્રેડીંગ કરી શકે છે.
એજીએમમાં રજુ કરવામાં આવનાર મુત્સદ્દાની યાદી -
-ઓર્ડિનરી બિઝનેસ
નાણાંકિય વર્ષ માર્ચ-31 2020 સુધીનો ઓડિટેડ ફાયનાન્શિયલ રિપોર્ટ
શ્રીમત તેજલ અમીનની ડાયરેક્ટર ઓફ કંપની તરીકે પુન:નિયુક્તિ
- સ્પેશીયલ બિઝનેસ
પ્રોમોટર ગૃપ શેર હોલ્ડીંગનું પબ્લીક શેર હોલ્ડીંગમાં સ્ટેટસ તદલીલ કરવું
રાહુલ એન. અમીનની કંપનીના એમ.ડી. તરીકે નિયુક્તિ
નાણાંકિય વર્ષ 31 માર્ચ, 2021 સુધીના કોસ્ટ ઓડિટરના ભથ્થુ.. સહિતના મુદ્દાઓ એજીએમમાં મુકવામાં આવ્યા હતા.
વડોદરા. 30 સપ્ટેમ્બરના રોડ જ્યોતિ લી. કંપનીની 76 એન્યુઅલ જનરલ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એજીએમ પહેલા કંપનીના શેર ધરાવતા રાહુલ નાનુભાઇ અમીન અને શેર ધરાવતા ચિરાયું રમણભાઇ અમીને પોતાનું પ્રોમોટર ગૃપ કેટેગરીનું સ્ટેટસ પબ્લીક કેટેગરીમાં તબદીલ કરવા માટે રીઝોલ્યુશન રજુ કર્યું હતું. જ્યોતિ. લી. કંપનીમાં રાહુલ નાનુભાઇ અમીન 4.69 ટકા હિસ્સેદારી ધરાવે છે. જેમાં તેના હિસ્સાના શેરની સંખ્યા જેટલી થવા પામે છે. જ્યારે ચિરાયુ રમણભાઇ અમીન 590 શેર ધરાવે છે. બંન્ને દ્વારા પોતાનું પ્રોમોટર ગૃપ કેટેગરીનું સ્ટેટસ પબ્લીક કરવા પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે.
પ્રોમોટર ગૃપ કેટેગરીમાં આવતા વ્યક્તિ પર અનેક નિયમો લાગુ થાય છે
કંપનીની પ્રક્રિયાગત કામકાજથી જાણકાર વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, જ્યારે લિસ્ટેડ કંપનીમાં કોઇ વ્યક્તિ પ્રમોટર કેટેગરીમાં આવે તો તેની પર અનેક નિયમો લાગુ પડતા હોય છે. અને જેનું પાલન તેણે ચુસ્ત પણે કરવાનું હોય છે. પ્રોમોટર ગૃપમાં આવતા વ્યક્તિએ સેબીમાં નક્કી કરેલી હિસ્સેદારી પ્રમાણે શેર હોલ્ડીંગ પોતાની પાસે રાખવાનું હોય છે. તેની સાથે તેના દ્વારા ઇન્સાઇડર ટ્રેડીંગ કરી શકાય નહીં. જો આ વાતની સેબીની તપાસમાં બહાર આવે તો વ્યક્તિએ ફાઇન ભરવો પડી શકે છે. અને કોઇ પણ કંપનીનો પ્રમોટર ગૃપના વ્યક્તિએ શેરની લે-વેચ કરવી હોય તો સેબીની મંજુરી બાદ જ કરી શકાય છે. તેની સામે પબ્લીક શેરહોલ્ડીંગ ધરાવતા વ્યક્તિ, જરૂરીયાત મુજબના શેર લઇ શકે, તેની લે-વેચ કરી શકે અથવાતો ઇન્સાઇડર ટ્રેડીંગ કરી શકે છે.
એજીએમમાં રજુ કરવામાં આવનાર મુત્સદ્દાની યાદી --ઓર્ડિનરી બિઝનેસ
નાણાંકિય વર્ષ માર્ચ-31 2020 સુધીનો ઓડિટેડ ફાયનાન્શિયલ રિપોર્ટ
શ્રીમત તેજલ અમીનની ડાયરેક્ટર ઓફ કંપની તરીકે પુન:નિયુક્તિ