કિરણ મોટર્સ શોરૂમના રિલેશનશિપ મેનેજર અને તેના સાગરીતોએ કાર ખરીદવા માટે આવતા ગ્રાહકોને આજીવન વાહન કર ની બનાવટી રિસિપ્ટ આપતા પરંતુ કોર્પોરેશનમાં ભરવા પાત્ર કર ભરતા ન હતા
શો-રૂમમાં કામ કરતા 9 વ્યક્તિઓ દ્વારા કારની ખરીદી કરવા આવતા ગ્રાહકો પાસેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભરવાના થતા આજીવન વાહન કરના રૂપિયા મેળવી લઇ બનાવટી રિસિપ્ટ બનાવી
6 આરોપીઓએ કરેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી દીધી
વડોદરા. જુના પાદરા રોડ પરના અક્ષર ચોક ખાતે આવેલા કિરણ મોટર્સ શોરૂમના રિલેશનશિપ મેનેજર અને તેના સાગરીતોએ કાર ખરીદવા માટે આવતા ગ્રાહકોને આજીવન વાહન કર ની બનાવટી રિસિપ્ટ આપતા હતા. જોકે, કોર્પોરેશનમાં ભરવા પાત્ર કર નહીં ભરી રૂ. 4.39 લાખનુ કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. આ કૌભાંડનો પર્દાફીશ થતાં વોર્ડ નં-6 ના અધિકારીએ સમગ્ર મામલે જે.પી પોલીસ સ્ટેશન ખાતે કિરણ મોટર્સના 9 ભેજાબાજો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે કૌભાંડમાં સંડોવાયેલા 6 લોકોની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
જે.પી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરીયાદ અનુસાર, કિરણ મોટર્સના જનરલ મેનેજર સુબ્રમણ્યમ ઐય્યરે તાજેતરમાં જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરી હતી. જે અરજીની સાથે તેઓએ 44 જેટલા વાહનોના કરની રિસિપ્ટ નબરનુ પત્રક આપ્યું હતુ. આ રિસિપ્ટમાં જણાવ્યાં મુજબ આજીવન વાહન કર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બરવામાં આવ્યો છે કે કેમ ? તે અંગેની માહિતી માંગવામાં આવી હતી. 44 પૈકીની રિસિપ્ટમાં વાહન કરની કિંમત વગેરે માહિતી જુદી જુદી જણાઇ આવી હતી. જેમાંજ બાકીની 11 રિસિપ્ટમાં વોર્ડ નં-6 લખેલા તે મેચ થઇ નથી. જ્યારે અન્ય 14 રિસિપ્ટ ખોટી રીતે ઉપજાવી કાઢેલ હાવોનુ જાણવા મળ્યું હતુ.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, શો-રૂમમાં કામ કરતા 9 વ્યક્તિઓ દ્વારા કારની ખરીદી કરવા આવતા ગ્રાહકો પાસેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભરવાના થતા આજીવન વાહન કરના રૂપિયા મેળવી લઇ બનાવટી રિસિપ્ટ બનાવી કોર્પોરેશનને આર્થિક નુકશાન પહોંચાડ્યું છે. જે અંગેની જાણ પોલીસે વડોદરા મહાનગર પાલિકાની વહીવટી વોર્ડ નં-6ના વોર્ડ ઓશિપર જિતેન્દ્ર બ્રહ્મભટ્ટને કરી હતી. વોર્ડ ઓફિસરે પોલીસની તપાસમાં બહાર આવેલી માહિતીના આધારે જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે કિરણ મોટર્સના 9 ભેજાબોજો સામે ફરીયાદ નોંધાવી હતી.
જેલવાસ ભોગવી રહેલા આરોપીઓમાંથી કૃણાલ સૂપ્પા (પોલો ગ્રાઉન્ડ) , રૂષભ શાહ (માંજલપુર), કેયુર ધામેચા (ગોત્રી રોડ), સાગર પોખરેલ (દિવાળીપુરા), કૃણાલ ઓઝા (આજવારોડ), સુમિત કુમાર સિંધા(કલાલી) દ્વારા રેગ્યુલર જામીન અરજી વડોદરા ખાતેની કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. ગુરૂવારે સરકારી વકીલ કિરણ ચૌહાણ અને આરોપીઓના વકીલની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, વાહન કર ચોરી કરવાને કારણે પાલીકા અને આરટીઓને કર પેટે મળતી રકમ પર તેની સીધી અસર થાય છે. જો આગામી સમયમાં વાહન કર ચોરીની તપાસનો વ્યાપ વધારવામાં આવે તો કર ચોરીના અનેક કિસ્સાઓ બહાર આવી શકે તેમ છે.
- કિરણ મોટર્સ શોરૂમના રિલેશનશિપ મેનેજર અને તેના સાગરીતોએ કાર ખરીદવા માટે આવતા ગ્રાહકોને આજીવન વાહન કર ની બનાવટી રિસિપ્ટ આપતા પરંતુ કોર્પોરેશનમાં ભરવા પાત્ર કર ભરતા ન હતા
- શો-રૂમમાં કામ કરતા 9 વ્યક્તિઓ દ્વારા કારની ખરીદી કરવા આવતા ગ્રાહકો પાસેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભરવાના થતા આજીવન વાહન કરના રૂપિયા મેળવી લઇ બનાવટી રિસિપ્ટ બનાવી
- 6 આરોપીઓએ કરેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી દીધી
વડોદરા. જુના પાદરા રોડ પરના અક્ષર ચોક ખાતે આવેલા કિરણ મોટર્સ શોરૂમના રિલેશનશિપ મેનેજર અને તેના સાગરીતોએ કાર ખરીદવા માટે આવતા ગ્રાહકોને આજીવન વાહન કર ની બનાવટી રિસિપ્ટ આપતા હતા. જોકે, કોર્પોરેશનમાં ભરવા પાત્ર કર નહીં ભરી રૂ. 4.39 લાખનુ કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. આ કૌભાંડનો પર્દાફીશ થતાં વોર્ડ નં-6 ના અધિકારીએ સમગ્ર મામલે જે.પી પોલીસ સ્ટેશન ખાતે કિરણ મોટર્સના 9 ભેજાબાજો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે કૌભાંડમાં સંડોવાયેલા 6 લોકોની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
જે.પી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરીયાદ અનુસાર, કિરણ મોટર્સના જનરલ મેનેજર સુબ્રમણ્યમ ઐય્યરે તાજેતરમાં જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરી હતી. જે અરજીની સાથે તેઓએ 44 જેટલા વાહનોના કરની રિસિપ્ટ નબરનુ પત્રક આપ્યું હતુ. આ રિસિપ્ટમાં જણાવ્યાં મુજબ આજીવન વાહન કર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બરવામાં આવ્યો છે કે કેમ ? તે અંગેની માહિતી માંગવામાં આવી હતી. 44 પૈકીની રિસિપ્ટમાં વાહન કરની કિંમત વગેરે માહિતી જુદી જુદી જણાઇ આવી હતી. જેમાંજ બાકીની 11 રિસિપ્ટમાં વોર્ડ નં-6 લખેલા તે મેચ થઇ નથી. જ્યારે અન્ય 14 રિસિપ્ટ ખોટી રીતે ઉપજાવી કાઢેલ હાવોનુ જાણવા મળ્યું હતુ.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, શો-રૂમમાં કામ કરતા 9 વ્યક્તિઓ દ્વારા કારની ખરીદી કરવા આવતા ગ્રાહકો પાસેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભરવાના થતા આજીવન વાહન કરના રૂપિયા મેળવી લઇ બનાવટી રિસિપ્ટ બનાવી કોર્પોરેશનને આર્થિક નુકશાન પહોંચાડ્યું છે. જે અંગેની જાણ પોલીસે વડોદરા મહાનગર પાલિકાની વહીવટી વોર્ડ નં-6ના વોર્ડ ઓશિપર જિતેન્દ્ર બ્રહ્મભટ્ટને કરી હતી. વોર્ડ ઓફિસરે પોલીસની તપાસમાં બહાર આવેલી માહિતીના આધારે જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે કિરણ મોટર્સના 9 ભેજાબોજો સામે ફરીયાદ નોંધાવી હતી.
જેલવાસ ભોગવી રહેલા આરોપીઓમાંથી કૃણાલ સૂપ્પા (પોલો ગ્રાઉન્ડ) , રૂષભ શાહ (માંજલપુર), કેયુર ધામેચા (ગોત્રી રોડ), સાગર પોખરેલ (દિવાળીપુરા), કૃણાલ ઓઝા (આજવારોડ), સુમિત કુમાર સિંધા(કલાલી) દ્વારા રેગ્યુલર જામીન અરજી વડોદરા ખાતેની કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. ગુરૂવારે સરકારી વકીલ કિરણ ચૌહાણ અને આરોપીઓના વકીલની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, વાહન કર ચોરી કરવાને કારણે પાલીકા અને આરટીઓને કર પેટે મળતી રકમ પર તેની સીધી અસર થાય છે. જો આગામી સમયમાં વાહન કર ચોરીની તપાસનો વ્યાપ વધારવામાં આવે તો કર ચોરીના અનેક કિસ્સાઓ બહાર આવી શકે તેમ છે.