દામપુરામાં માટીની બનેલી દિવાલ ધરાશાયી થતા બે બાળકો કાટમાળ નીચે દબાયા હતા
આંગણવાડીમાં નાસ્તો લેવા ગયા બાદ પરિવારના એક ના એક દિકરાઓ ઘરે પરત ન ફર્યા
કાટમાળમાંથી દિકરાઓ બહાર લાવ્યા બાદ ડોક્ટરએ બંન્નેને મૃત જાહેર કર્યા
[caption id="attachment_5057" align="aligncenter" width="1280"] મૃતક દિગ્વીજય અને વિક્રમ[/caption]
વડોદરા. નંદેસરી પાસે આવેલ દામપુરા ગામમાં વર્ષો જુના ઘર ની દિવાલ ધરાશાયી થતા 2 ભૂલકાઓ ના મોત થયા હતા. રમતા રમતા મોત આવશે કોને ખબર બંને બાળ મિત્રો એ બાળપણ અને જિંદગી અલવીદા કીધુ હતું.
પ્રાથમિક વિગતો અનુસાર, નંદેસરી પાસે આવેલ દામાપુરા ગામ ના ભાથીજીવાળા ફળિયા માં 2 બાળકો દિગ્વીજય રણજીતસિંહ પરમાર અને વિક્રમ ઠાકોરભાઈ પરમાર રહેતા હતા. બંન્ને બાળકોની અંદાજીત ઉંમર આશરે 10 થી 12 વર્ષ હશે. બંને બાળકો આંગણવાડી માં નાસ્તો લેવા માટે ઘરે થી નીકળ્યા હતા. દરમિયાન ખડીયાત (જૂનો રસ્તો) રસ્તા માંથી પર આવેલ એક વર્ષો જુના મકાન ની આશરે 10 ફૂટ ઊંચી દીવાલ અચાનક ધરાશાઇ થઇ હતી. દીવાલ ધરાશાયી થતા દિગ્વિજય અને વિક્રમ નામના બંને ભૂલકાઓ કાટમાળ નીચે દબાયા હતા.
દામપુરાના સરપંચ પીંન્ટુભાઇ પઢીયારે જણાવ્યું હતું કે, દિવાલને અડીને આવેલા મકાનમાં એક વિધવા બહેન રહેતા હતા. માટીની બનાવેલી દિવાલ ધરાશાયી થતા નીચે દબાયેલા બાળકોને બહાર કાઢવા માટે જેસીબી સહિતના મશીનો સાથે કામગીરી યુદ્ધના ધોરણો ચાલુ કરી દીધી હતી.
કાટમાળમાં દટાયેલા બાળકો ને માથા અને પેટના ભાગમાં ગંભીર ઇજાઓ પોહચી હતી, ગ્રામજનો એ તાત્કાલિક બાળકો ને બહાર કાઢી ને એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે મોકલેલ , પરંતુ તબીબે બંને બાળકો ને મૃતક જાહેર કરેલ.બંને બાળકો ના મોત ના સમાચાર થી સમગ્ર પંથકમાં શોક નું મોજું ફરી વળ્યું હતું.
દામપુરામાં માટીની બનેલી દિવાલ ધરાશાયી થતા બે બાળકો કાટમાળ નીચે દબાયા હતા
આંગણવાડીમાં નાસ્તો લેવા ગયા બાદ પરિવારના એક ના એક દિકરાઓ ઘરે પરત ન ફર્યા
કાટમાળમાંથી દિકરાઓ બહાર લાવ્યા બાદ ડોક્ટરએ બંન્નેને મૃત જાહેર કર્યા
[caption id="attachment_5057" align="aligncenter" width="1280"] મૃતક દિગ્વીજય અને વિક્રમ[/caption]
વડોદરા. નંદેસરી પાસે આવેલ દામપુરા ગામમાં વર્ષો જુના ઘર ની દિવાલ ધરાશાયી થતા 2 ભૂલકાઓ ના મોત થયા હતા. રમતા રમતા મોત આવશે કોને ખબર બંને બાળ મિત્રો એ બાળપણ અને જિંદગી અલવીદા કીધુ હતું.
પ્રાથમિક વિગતો અનુસાર, નંદેસરી પાસે આવેલ દામાપુરા ગામ ના ભાથીજીવાળા ફળિયા માં 2 બાળકો દિગ્વીજય રણજીતસિંહ પરમાર અને વિક્રમ ઠાકોરભાઈ પરમાર રહેતા હતા. બંન્ને બાળકોની અંદાજીત ઉંમર આશરે 10 થી 12 વર્ષ હશે. બંને બાળકો આંગણવાડી માં નાસ્તો લેવા માટે ઘરે થી નીકળ્યા હતા. દરમિયાન ખડીયાત (જૂનો રસ્તો) રસ્તા માંથી પર આવેલ એક વર્ષો જુના મકાન ની આશરે 10 ફૂટ ઊંચી દીવાલ અચાનક ધરાશાઇ થઇ હતી. દીવાલ ધરાશાયી થતા દિગ્વિજય અને વિક્રમ નામના બંને ભૂલકાઓ કાટમાળ નીચે દબાયા હતા.
દામપુરાના સરપંચ પીંન્ટુભાઇ પઢીયારે જણાવ્યું હતું કે, દિવાલને અડીને આવેલા મકાનમાં એક વિધવા બહેન રહેતા હતા. માટીની બનાવેલી દિવાલ ધરાશાયી થતા નીચે દબાયેલા બાળકોને બહાર કાઢવા માટે જેસીબી સહિતના મશીનો સાથે કામગીરી યુદ્ધના ધોરણો ચાલુ કરી દીધી હતી.
કાટમાળમાં દટાયેલા બાળકો ને માથા અને પેટના ભાગમાં ગંભીર ઇજાઓ પોહચી હતી, ગ્રામજનો એ તાત્કાલિક બાળકો ને બહાર કાઢી ને એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે મોકલેલ , પરંતુ તબીબે બંને બાળકો ને મૃતક જાહેર કરેલ.બંને બાળકો ના મોત ના સમાચાર થી સમગ્ર પંથકમાં શોક નું મોજું ફરી વળ્યું હતું.