કેટલાય વર્ષો સુધી કોંગ્રેસમાં રહી, વર્ષ 2017 માં કોંગ્રેસની ટીકીટ પરથી ધારાસભ્ય બન્યા બાદ અક્ષય પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું
ભાજપમાં જોડાયા બાદ ટીકીટ મળી જતા, ગત વિધાનસભાની ચુંટણીમાં જે લોકોની સામે જંગ જામ્યો હતો. હવે તે લોકો જ અક્ષય પટેલને જીતાડવા માટે મહેનત કરશે
વડોદરા. 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. વડોદરા જિલ્લાની કરજણ બેઠકના મુળ કોંગ્રેસના અને હવે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે મંગળવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અક્ષય પટેલ ઉમેદવારી પત્ર ભરવા માટે કરજણ નગરપાલિકા ખાતે સમર્થકો સાથે પહોંચ્યા હતા. કોરોનાથી બચવાના ઉપાયોમાં તમામ લોકોએ માત્ર માસ્ક પહેર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું ભુલ્યા હતા.
કોરોના સમયે તકેદારી જ સૌથી સમજદાર ઉપાય છે.
પ્રધાનમંત્રી દ્વારા વારંવાર દેશવાસીઓને અપીલ કરવામાં આવે છે કે, કોરોના સમયે તકેદારી જ સૌથી સમજદાર ઉપાય છે. પરંતુ કદાચ રાજકીય પક્ષો તેનાથી વિપરીત જ અનુસરણ કરતા જોવા મળતા હોય છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલને ભાજપે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે કિરીટસિંહ જાડેજાનું નામ જાહેર કર્યું છે. કરજણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવાના કરજણ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર ભરે તે પહેલા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ સમયે કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.
ચુંટણી બાદ કોરોના વહીવટી તંત્રના પ્રયાસો પર પાણી ન ફેરવે તેનું ધ્યાન રાખવું
એક તરફ રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને સરકાર કોરોના પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજ્યમાં પેટાચૂંટણીઓની જાહેરાત બાદ ઉમેદવારો અને તેઓના સમર્થકો દ્વારા કોરોનાની ગંભીરતાને નેવે મૂકીને કોવિડ નીતિ નિયમોના ધજાગરા ઉડાવતા હોવાનું સામે આવ્યું છે. કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ તેઓના જંગી સમર્થકો સાથે વિજય તિલક સહિતની પૂજા અર્ચના બાદ ચૂંટણી કાર્યાલય ખાતેથી કરજણ નગરપાલિકા ખાતે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. ચુંટણી પહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવસ રાત એક કરીને કોરોનાને નાથવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જે હાલ પણ ચાલુ જ છે. પરંતુ જો ચુંટણી ટાણે રાજકીય લોકો તકેદારીના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરશે તે ચુંટણી બાદ કોરોનાને નાથવાવા વહીવટી તંત્રના પ્રયાસો પર પાણી ફરી જશે.
કેટલાય વર્ષો સુધી કોંગ્રેસમાં રહી, વર્ષ 2017 માં કોંગ્રેસની ટીકીટ પરથી ધારાસભ્ય બન્યા બાદ અક્ષય પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું
ભાજપમાં જોડાયા બાદ ટીકીટ મળી જતા, ગત વિધાનસભાની ચુંટણીમાં જે લોકોની સામે જંગ જામ્યો હતો. હવે તે લોકો જ અક્ષય પટેલને જીતાડવા માટે મહેનત કરશે
વડોદરા. 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. વડોદરા જિલ્લાની કરજણ બેઠકના મુળ કોંગ્રેસના અને હવે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે મંગળવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અક્ષય પટેલ ઉમેદવારી પત્ર ભરવા માટે કરજણ નગરપાલિકા ખાતે સમર્થકો સાથે પહોંચ્યા હતા. કોરોનાથી બચવાના ઉપાયોમાં તમામ લોકોએ માત્ર માસ્ક પહેર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું ભુલ્યા હતા.
કોરોના સમયે તકેદારી જ સૌથી સમજદાર ઉપાય છે.
પ્રધાનમંત્રી દ્વારા વારંવાર દેશવાસીઓને અપીલ કરવામાં આવે છે કે, કોરોના સમયે તકેદારી જ સૌથી સમજદાર ઉપાય છે. પરંતુ કદાચ રાજકીય પક્ષો તેનાથી વિપરીત જ અનુસરણ કરતા જોવા મળતા હોય છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલને ભાજપે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે કિરીટસિંહ જાડેજાનું નામ જાહેર કર્યું છે. કરજણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવાના કરજણ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર ભરે તે પહેલા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ સમયે કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.
ચુંટણી બાદ કોરોના વહીવટી તંત્રના પ્રયાસો પર પાણી ન ફેરવે તેનું ધ્યાન રાખવું
એક તરફ રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને સરકાર કોરોના પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજ્યમાં પેટાચૂંટણીઓની જાહેરાત બાદ ઉમેદવારો અને તેઓના સમર્થકો દ્વારા કોરોનાની ગંભીરતાને નેવે મૂકીને કોવિડ નીતિ નિયમોના ધજાગરા ઉડાવતા હોવાનું સામે આવ્યું છે. કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ તેઓના જંગી સમર્થકો સાથે વિજય તિલક સહિતની પૂજા અર્ચના બાદ ચૂંટણી કાર્યાલય ખાતેથી કરજણ નગરપાલિકા ખાતે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. ચુંટણી પહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવસ રાત એક કરીને કોરોનાને નાથવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જે હાલ પણ ચાલુ જ છે. પરંતુ જો ચુંટણી ટાણે રાજકીય લોકો તકેદારીના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરશે તે ચુંટણી બાદ કોરોનાને નાથવાવા વહીવટી તંત્રના પ્રયાસો પર પાણી ફરી જશે.