આગની જાણ થતા દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં ઘામા નાંખ્યા
ડોક્ટરોએ પીપીઇ કીટ વગર પણ કોરોના પોઝીટીવ દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરીમાં જોડાયા
દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી માટે પીપીઇ કીટનો નવો જથ્થો ઠલવવો પડ્યો
એસએસજી હોસ્પિટલમાં તમામ વોર્ડના નર્સ અને બ્રધર્સ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયા
એમ્બ્યુલન્સની લાઇનો લાગી, પરંતુ આગ બુઝાવવા માટે માત્ર સમયસર એક જ ફાયર ફાઇટર (બંબો) પહોંચી શક્યો હતો.
એસએસજી હોસ્પિટલના તમામ એન્ટ્રી ગેટ પર પોલીસને લોખંડી બંદોબસ્ત મુકવામાં આવ્યો
તાત્કાલિક વિભાગમાં સંગ્રહ કરેલા સ્ટ્રેચર સમય પર કામ ન લાગ્યા, પ્રસુતિ વિભાગ, પોસ્ટમોર્ટ સહિતના વિભાગમાંથી સ્ટ્રેચર લાવવા પડ્યા
એસએસજી હોસ્પિટલમાં બચાવ કામગીરીમાં પીપીઇ કીટ સહિતના જરૂરી સંસાધનો સિવાય લોકો જોડાતા, આગામી સમયમાં શહેરમાં કોરોનાનો કહેર વઘશે
વડોદરા. મંગળવારે એસએસજી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં આગ લાગતા કોરોના પોઝીટીવ દર્દીઓએ ચોતરફ દોડ મુકી હતી. દર્દીઓને શિફ્ટ કરવા માટેની કામગીરીમાં પીપીઇ કીટ સહિતના સેફ્ટી ગેયર્સ પહેર્યા વગર જોડાતા આગામી સમયમાં શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
એસએસજી હોસ્પિટલમાં આગ લાગતા તંત્ર દ્વારા મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઇમરજન્સી વોર્ડની બહાર એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરની લાંબી લાઇનો લાગી હતી. કોરોના પોઝીટીવ દર્દીઓએ પોતાનો જીવ બચાવવા માટે ચોતરફ દોટ મુકી હતી અને લોકોની ભીડમાં ગાયબ થયા હતા. કોરોના પોઝીટીવ દર્દીઓને શિફ્ટીંગની કામગીરીમાં જોડાયેલા ડોક્ટર્સ, નર્સ, ફાયર અને પોલીસના જવાનો પીપીઇ કીટ વગર જ કામગીરીમાં જોડાયા હતા. જેને પગલે આગામી સમયમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક વધે તેવી ભીતી સેવાઇ રહી છે. મેજર કોલ જાહેર કરતા હોસ્પિટલ પરિસરમાં એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ઇમરજન્સી વોર્ડના સ્ટોર રૂમમાં રાખવામાં આવેલા તમામ સ્ટ્રેચર ખરા સમયે કામ લાગ્યા ન હતા. દર્દીઓને શિફ્ટ કરવા માટે પ્રસુતિ ગ્રુહ, પોસ્ટમોર્ટમ વિભાગ સહિતની જગ્યાઓએથી સ્ટ્રેચર લાવવા પડ્યા હતા. કોરોના પોઝીટીવ દર્દીઓના પરિવારજનોનો ઇમરજન્સી વોર્ડની બહાર ખડકલો થતા એસએસજી હોસ્પિટલના તમામ એન્ટ્રી ગેટ પાસે પોલીસને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દર્દીઓને બચાવવાની કામગીરી કરતા લોકો માટે પીપીઇ કીટનો નવો જથ્થો લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે 38 દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું.
[caption id="attachment_1822" align="aligncenter" width="1024"] પીપીઇ કીટનો જથ્થો ઠલવાયો[/caption]
ડોક્ટરોએ પીપીઇ કીટ વગર પણ કોરોના પોઝીટીવ દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરીમાં જોડાયા
દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી માટે પીપીઇ કીટનો નવો જથ્થો ઠલવવો પડ્યો
એસએસજી હોસ્પિટલમાં તમામ વોર્ડના નર્સ અને બ્રધર્સ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયા
એમ્બ્યુલન્સની લાઇનો લાગી, પરંતુ આગ બુઝાવવા માટે માત્ર સમયસર એક જ ફાયર ફાઇટર (બંબો) પહોંચી શક્યો હતો.
એસએસજી હોસ્પિટલના તમામ એન્ટ્રી ગેટ પર પોલીસને લોખંડી બંદોબસ્ત મુકવામાં આવ્યો
તાત્કાલિક વિભાગમાં સંગ્રહ કરેલા સ્ટ્રેચર સમય પર કામ ન લાગ્યા, પ્રસુતિ વિભાગ, પોસ્ટમોર્ટ સહિતના વિભાગમાંથી સ્ટ્રેચર લાવવા પડ્યા
એસએસજી હોસ્પિટલમાં બચાવ કામગીરીમાં પીપીઇ કીટ સહિતના જરૂરી સંસાધનો સિવાય લોકો જોડાતા, આગામી સમયમાં શહેરમાં કોરોનાનો કહેર વઘશે
વડોદરા. મંગળવારે એસએસજી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં આગ લાગતા કોરોના પોઝીટીવ દર્દીઓએ ચોતરફ દોડ મુકી હતી. દર્દીઓને શિફ્ટ કરવા માટેની કામગીરીમાં પીપીઇ કીટ સહિતના સેફ્ટી ગેયર્સ પહેર્યા વગર જોડાતા આગામી સમયમાં શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
એસએસજી હોસ્પિટલમાં આગ લાગતા તંત્ર દ્વારા મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઇમરજન્સી વોર્ડની બહાર એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરની લાંબી લાઇનો લાગી હતી. કોરોના પોઝીટીવ દર્દીઓએ પોતાનો જીવ બચાવવા માટે ચોતરફ દોટ મુકી હતી અને લોકોની ભીડમાં ગાયબ થયા હતા. કોરોના પોઝીટીવ દર્દીઓને શિફ્ટીંગની કામગીરીમાં જોડાયેલા ડોક્ટર્સ, નર્સ, ફાયર અને પોલીસના જવાનો પીપીઇ કીટ વગર જ કામગીરીમાં જોડાયા હતા. જેને પગલે આગામી સમયમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક વધે તેવી ભીતી સેવાઇ રહી છે. મેજર કોલ જાહેર કરતા હોસ્પિટલ પરિસરમાં એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ઇમરજન્સી વોર્ડના સ્ટોર રૂમમાં રાખવામાં આવેલા તમામ સ્ટ્રેચર ખરા સમયે કામ લાગ્યા ન હતા. દર્દીઓને શિફ્ટ કરવા માટે પ્રસુતિ ગ્રુહ, પોસ્ટમોર્ટમ વિભાગ સહિતની જગ્યાઓએથી સ્ટ્રેચર લાવવા પડ્યા હતા. કોરોના પોઝીટીવ દર્દીઓના પરિવારજનોનો ઇમરજન્સી વોર્ડની બહાર ખડકલો થતા એસએસજી હોસ્પિટલના તમામ એન્ટ્રી ગેટ પાસે પોલીસને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દર્દીઓને બચાવવાની કામગીરી કરતા લોકો માટે પીપીઇ કીટનો નવો જથ્થો લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે 38 દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું.