વડોદરા ની જનતાના ટેક્સના પૈસા વડોદરાના વિકાસ માટે નહિ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના વિકાસ માટે વપરાય છે – કોંગ્રેસનો આક્ષેપ
વડોદરા. વારસીયા સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજના છેલ્લાં 3 વર્ષથી ખોરંભે ચડ્યો છે. ત્યાં કોઈ જાતનું બાંધકામ કરાયું નથી છતાં સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી PMOને જણાવ્યું કે 8 બ્લોકના આવાસનું ડેવલપમેન્ટ શરૂ કરેલ છે. PMOને ખોટી માહિતી આપવા બાબત અને અટલાદરા આવાસમાં ભ્રષ્ટાચાર સામે શહેર કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો હતો.
શહેર કોંગ્રેસના પ્રવક્તા અમિત ઘોટીકરના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2017માં કોર્પોરેશન તંત્ર દ્વારા વારસીયા સંજયનગરના ઝૂંપડા તોડીને ત્યાં પ્રધાનમંત્રી આવાસ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર કરાયો હતો. છતાં હાલ ત્યાં કોઈ જાતનું બાંધકામ કરાયું નથી. છતાં PMO થયેલી ફરિયાદના જવાબમાં કોર્પોરેશનના સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી દ્વારા 5 ઓક્ટોબર 2020ના રોજ 8 બ્લોકના આવાસનું ડેવલપમેન્ટ શરૂ કરેલ છે. એમ જણાવવામાં આવ્યું હતું. જેની સામે વિપક્ષી નેતાની આગેવાનીમાં વિરોધ વ્યક્ત કરાયો હતો. આજે સંજયનગર જઈને જોતાં છેલ્લાં 8 મહિનાથી ખોદાયેલા ખાડામાં વરસાદી પાણી ભરાયેલું જોવા મળે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2000 કરોડનું કૌભાંડ ને સહકાર મળી રહ્યો હોય એવું લાગે છે. કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના પુરાવા સાથે ફરીવાર PMO ઓફિસે હાલની પરિસ્થિતિના ફોટોગ્રાફ સાથે 16 OCT 2020 ના રોજ ફરીયાદ કરી છે.
તાજેતરમાં અટલાદરા આવાસ યોજનાની દરખાસ્ત નામંજૂર કરી વિજીલન્સ તપાસ કરાવવા અંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ધ્વારા સ્ટેન્ડિંગ ચેરમેનને લેખિત રજૂઆત કરાઈ હતી. જોકે, આ ટેન્ડર વ્હાલાદવલા ની નીતિ ના આધારે મોટા કોન્ટ્રાકટરને ફાળવી મસ્ત મોટી મલાઈ ખાવાનો કારશો ભારતીય જનતા પાર્ટી ના કોર્પોરેશનના નેતાઓ કરી રહ્યા તેવું સ્પષ્ટ દેખાય છે.
આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા સંજયનગર આંદોલન સ્થળ ખાતે પત્રકાર પરિષદ યોજી કૌભાંડનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આગામી સમય માં મ્યુ.કમિશનર સામે આ મુદ્દો લઇ 2000 કરોડના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે રજૂઆત કરવામાં આવશે.
વડોદરા ની જનતાના ટેક્સના પૈસા વડોદરાના વિકાસ માટે નહિ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના વિકાસ માટે વપરાય છે – કોંગ્રેસનો આક્ષેપ
વડોદરા. વારસીયા સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજના છેલ્લાં 3 વર્ષથી ખોરંભે ચડ્યો છે. ત્યાં કોઈ જાતનું બાંધકામ કરાયું નથી છતાં સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી PMOને જણાવ્યું કે 8 બ્લોકના આવાસનું ડેવલપમેન્ટ શરૂ કરેલ છે. PMOને ખોટી માહિતી આપવા બાબત અને અટલાદરા આવાસમાં ભ્રષ્ટાચાર સામે શહેર કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો હતો.
શહેર કોંગ્રેસના પ્રવક્તા અમિત ઘોટીકરના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2017માં કોર્પોરેશન તંત્ર દ્વારા વારસીયા સંજયનગરના ઝૂંપડા તોડીને ત્યાં પ્રધાનમંત્રી આવાસ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર કરાયો હતો. છતાં હાલ ત્યાં કોઈ જાતનું બાંધકામ કરાયું નથી. છતાં PMO થયેલી ફરિયાદના જવાબમાં કોર્પોરેશનના સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી દ્વારા 5 ઓક્ટોબર 2020ના રોજ 8 બ્લોકના આવાસનું ડેવલપમેન્ટ શરૂ કરેલ છે. એમ જણાવવામાં આવ્યું હતું. જેની સામે વિપક્ષી નેતાની આગેવાનીમાં વિરોધ વ્યક્ત કરાયો હતો. આજે સંજયનગર જઈને જોતાં છેલ્લાં 8 મહિનાથી ખોદાયેલા ખાડામાં વરસાદી પાણી ભરાયેલું જોવા મળે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2000 કરોડનું કૌભાંડ ને સહકાર મળી રહ્યો હોય એવું લાગે છે. કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના પુરાવા સાથે ફરીવાર PMO ઓફિસે હાલની પરિસ્થિતિના ફોટોગ્રાફ સાથે 16 OCT 2020 ના રોજ ફરીયાદ કરી છે.
તાજેતરમાં અટલાદરા આવાસ યોજનાની દરખાસ્ત નામંજૂર કરી વિજીલન્સ તપાસ કરાવવા અંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ધ્વારા સ્ટેન્ડિંગ ચેરમેનને લેખિત રજૂઆત કરાઈ હતી. જોકે, આ ટેન્ડર વ્હાલાદવલા ની નીતિ ના આધારે મોટા કોન્ટ્રાકટરને ફાળવી મસ્ત મોટી મલાઈ ખાવાનો કારશો ભારતીય જનતા પાર્ટી ના કોર્પોરેશનના નેતાઓ કરી રહ્યા તેવું સ્પષ્ટ દેખાય છે.
આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા સંજયનગર આંદોલન સ્થળ ખાતે પત્રકાર પરિષદ યોજી કૌભાંડનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આગામી સમય માં મ્યુ.કમિશનર સામે આ મુદ્દો લઇ 2000 કરોડના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે રજૂઆત કરવામાં આવશે.