સિવિસ સર્વિસ, તથા અન્ય મહત્વની પરીક્ષાઓ 6 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના 34 પેટા કેન્દ્રો પર યોજાશે
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ચુસ્ત પણે કોવિડ - 19 ની ગાઇડલાઇનનો અમલ કરવાનો રહેશે
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, નવી દિલ્હી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી (1) તથા (2)- 2020 પરીક્ષા, 6 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદના કુલ- 34 પેટા પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે. કોવિડ-19 ની વેશ્વિક મહામારીને ધ્યાને લઈ યુ.પી.એસ.સી. દ્વારા કોવિડ- 19 ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલ છે. સંદર્ભે હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટર, અમદાવાદના અધ્યક્ષ સ્થાને સબ સેન્ટરના સુપરવાઈઝરશ્રીઓની મિટિંગ કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ હતી. આ મિટિંગમાં યુ.પી.એસ.સી. દ્વારા કોવિડ-19 અંગેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ છે. ખાસ કરીને પરીક્ષાર્થીઓ દ્વારા પણ કોવિડ-19 સૂચનાઓનું પાલન થાય તે જરૂરી છે.
દરેક સેન્ટરનો એન્ટ્રી ગેટ પરીક્ષાના સમયથી એક કલાક પહેલા ખોલવામાં આવનાર હોવાથી પરીક્ષાર્થીઓએ પોતાના સેન્ટર પર વહેલા પહોચવાનું રહેશે. અને સીધા જ પરીક્ષાના રૂમ કે હોલમાં તેઓની નિર્ધારીત જગ્યાએ બેસી જવાનું રહેશે. પરીક્ષાકેન્દ્રનો મુખ્ય પ્રવેશદ્વાર પરીક્ષા શરૂ થવાના સમય અગાઉ 10 મિનિટ પહેલા બંધ કરી દેવામાં આવશે. તમામ પરીક્ષાર્થીઓએ માસ્ક પહેરીને આવવું ફરજીયાત છે. સંદેશા વ્યવહારનો ઉપયોગ થઈ શકે તેવા કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ-ડિવાઈસ મોબાઈલ ફોન, લેપટોપ તેમજ લાઈટર, માચીસ વગેરે સાથે પ્રવેશ કરી શકશે નહીં. તેમજ કોઈપણ મૂલ્યવાન ચીજવસ્તુઓ રાખી શકશે નહીં અને આવી ચીજવસ્તુઓ ગુમ થવા કે ચોરાઈ-ખોવાઈ જવાથી યુ.પી.એસ.સી. જવાબદાર રહેશે નહીં. નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી (1) તથા (2) - 2020 આપનાર તમામ ઉમેદવારોને પરીક્ષા સ્થળ ઉપર કોલ લેટરમાં દર્શાવેલ સૂચનોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. યુ.પી.એસ.સી. માટેનો કંટ્રોલ રૂમ ફોન.નં. ૦૭૯-૨૭૫૬૧૯૭૦-૭૭ (એ.નં-૪૧૧) કલેક્ટર કચેરી, અમદાવાદ રહેશે તેમ કલેક્ટરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
સિવિસ સર્વિસ, તથા અન્ય મહત્વની પરીક્ષાઓ 6 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના 34 પેટા કેન્દ્રો પર યોજાશે
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, નવી દિલ્હી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી (1) તથા (2)- 2020 પરીક્ષા, 6 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદના કુલ- 34 પેટા પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે. કોવિડ-19 ની વેશ્વિક મહામારીને ધ્યાને લઈ યુ.પી.એસ.સી. દ્વારા કોવિડ- 19 ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલ છે. સંદર્ભે હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટર, અમદાવાદના અધ્યક્ષ સ્થાને સબ સેન્ટરના સુપરવાઈઝરશ્રીઓની મિટિંગ કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ હતી. આ મિટિંગમાં યુ.પી.એસ.સી. દ્વારા કોવિડ-19 અંગેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ છે. ખાસ કરીને પરીક્ષાર્થીઓ દ્વારા પણ કોવિડ-19 સૂચનાઓનું પાલન થાય તે જરૂરી છે.
દરેક સેન્ટરનો એન્ટ્રી ગેટ પરીક્ષાના સમયથી એક કલાક પહેલા ખોલવામાં આવનાર હોવાથી પરીક્ષાર્થીઓએ પોતાના સેન્ટર પર વહેલા પહોચવાનું રહેશે. અને સીધા જ પરીક્ષાના રૂમ કે હોલમાં તેઓની નિર્ધારીત જગ્યાએ બેસી જવાનું રહેશે. પરીક્ષાકેન્દ્રનો મુખ્ય પ્રવેશદ્વાર પરીક્ષા શરૂ થવાના સમય અગાઉ 10 મિનિટ પહેલા બંધ કરી દેવામાં આવશે. તમામ પરીક્ષાર્થીઓએ માસ્ક પહેરીને આવવું ફરજીયાત છે. સંદેશા વ્યવહારનો ઉપયોગ થઈ શકે તેવા કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ-ડિવાઈસ મોબાઈલ ફોન, લેપટોપ તેમજ લાઈટર, માચીસ વગેરે સાથે પ્રવેશ કરી શકશે નહીં. તેમજ કોઈપણ મૂલ્યવાન ચીજવસ્તુઓ રાખી શકશે નહીં અને આવી ચીજવસ્તુઓ ગુમ થવા કે ચોરાઈ-ખોવાઈ જવાથી યુ.પી.એસ.સી. જવાબદાર રહેશે નહીં. નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી (1) તથા (2) - 2020 આપનાર તમામ ઉમેદવારોને પરીક્ષા સ્થળ ઉપર કોલ લેટરમાં દર્શાવેલ સૂચનોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. યુ.પી.એસ.સી. માટેનો કંટ્રોલ રૂમ ફોન.નં. ૦૭૯-૨૭૫૬૧૯૭૦-૭૭ (એ.નં-૪૧૧) કલેક્ટર કચેરી, અમદાવાદ રહેશે તેમ કલેક્ટરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.