ગુજરાતી ખેલૈયાઓ માટે સારા સમાચાર, નવરાત્રીને લઇને સરકાર વિચારી રહી છે: નીતિન પટેલ
રાજયમાં કોરોના પોઝીટીવ કેસો પ્રતિદીન નવો રેકોર્ડ બનાવે છે.
અગાઉ સરકાર દ્વારા ભગવાન જગન્નાથજીના નગરચર્યાને મંજુરી આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતું જગન્નાથ યાત્રા માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી.
હાલ સારવાર લઇ રહેલા કોરોના પોઝીટીવ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પોઝીટીવ આવવા, જમવાની અવ્યવસ્થા, ઓક્સિજન સપ્લાય, હોસ્પિટલમાં આગના કેસોમાં વધારો, કોરોના પોઝીટીવ કેસોમાં પ્રાણરક્ષક ઇન્જેક્શનની કાળા બજારી, ટેસ્ટીંગ, સહિતની અનેક સમસ્યાઓ છે.
વડોદરામાં યુનાઇટેડ વે દ્વારા આયોજીત ગરબામાં રેકોર્ડ બ્રેકીંગ લોકો એક સાથે ગરબા રમતા હોય છે.
ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા પ્રતિદીન વધતી જ જાય છે.
ગાંધીનગર.કોરોના વાયરસની મહામારી વચ્ચે હવે ગુજરાતીઓમાં નવરાત્રીને લઇને ચિંતાઓ વધી રહી છે. નવરાત્રીની કાગડોળે રાહ જોઇ રહેલા ખેલૈયાઓ માટે નીતિન પટેલે સારા સમાચાર આપ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે એક નિવેદન આપ્યું છે કે નવરાત્રી અંગે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. જરૂરી છુટછાટો સાથે સરકાર નવરાત્રીના આયોજનને લઇને વિચારી રહી છે.
નીતિન પટેલે નવરાત્રિ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક હોવાનું જોવા મળ્યું છે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે જરૂરી છે.
રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવા મુદ્દે પણ નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શાળાઓ ચાલુ કરવા કેન્દ્રની ગાઈડલાઈન હજુ પણ સ્પષ્ટ નથી. કોરોના પક્ષ, જાતિ કે પ્રદેશ જોતો નથી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા પ્રતિદીન નવો રેકોર્ડ બનાવી રહી છે. હાલ રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના પોઝીટીવ દર્દીઓ રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પોઝીટીવ આવવા, જમવાની અવ્યવસ્થા, ઓક્સિજન સપ્લાય, હોસ્પિટલમાં આગના કેસોમાં વધારો, કોરોના પોઝીટીવ કેસોમાં પ્રાણરક્ષક ઇન્જેક્શનની કાળા બજારી, ટેસ્ટીંગ, જેવી અનેક સમસ્યાઓનો પ્રતિદીન સામનો કરી રહ્યા છે. તેવા સમયે ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી હોવાની વાત ડેપ્યુટી સીએમ નિતિન પટેલ જાહેરાત કરવામાં આવી છે.
મહાનગરો બાદ આ જિલ્લાઓએ ચિંતા વધારી
ગુજરાતમાં આજે અમદાવાદ બાદ સુરત, રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે જીલ્લાઓના વાત કરીએ તો રાજકોટ, ભાવનગર અને જામનગર જીલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ભાવનગરમાં હાલ ગઇકાલે 9 તારીખે 46 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે જામનગર જીલ્લામાં 113 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
કેમ નવરાત્રી ના થવી જોઇએ.
રાજ્યમાં હાલ 16,296 કોરોના પોઝીટીવ એક્ટીવ કેસો છે. સોશિયલ ડિસ્ટન્સીંગ તથા કોરોના સામે સાવચેતીના તમામ પગલા સાથે રોજેરોજ રાજ્યના અનેક શહેરોમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 7 સપ્ટેમ્બર- 1,330, 8 સપ્ટેમ્બર-1,295 અને 9 સપ્ટેમ્બર-1329 પોઝીટીવ કેસો આવ્યા હતા. દિવસે દિવસે પોઝીટીવ કેસોમાં વધારો થવાને કારણે આજે પણ લોકો ઘરની બહાર નિકળતા પહેલા પોતાનો અને પોતાના પરિવારનો વિચાર કરે છે અને જરૂર વગર બહાર નિકળવાનું ટાળે છે. જો નવરાત્રી યોજવાનો નિર્ણય લેવામાં આવે તો મહા મહેનતે અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા થયેલા કેસોની સંખ્યામાં પ્રચંડ વધારો થઇ શકે છે.
કેમ નવરાત્રી થવી જોઇએ.
નવરાત્રી પર્વની ઉજવણીને કારણે ગુજરાત દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. નવરાત્રી સાથે અસંખ્ય લોકોનું ગુજરાન તેના પર નિર્ભર છે અને તેમનું ગુજરાન ચાલે છે. કોરોનાને કારણે અનેક વ્યવસાય ઠપ થઇ ગયા છે. તેવા સમયે નવરાત્રીને મંજુરી આપવાથી લોકોના ઘંઘો- રોજગાર ચાલશે અને તેમની આર્થિક સંકળામણ મહદઅંશે દુર થશે.
ગુજરાતી ખેલૈયાઓ માટે સારા સમાચાર, નવરાત્રીને લઇને સરકાર વિચારી રહી છે: નીતિન પટેલ
રાજયમાં કોરોના પોઝીટીવ કેસો પ્રતિદીન નવો રેકોર્ડ બનાવે છે.
અગાઉ સરકાર દ્વારા ભગવાન જગન્નાથજીના નગરચર્યાને મંજુરી આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતું જગન્નાથ યાત્રા માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી.
હાલ સારવાર લઇ રહેલા કોરોના પોઝીટીવ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પોઝીટીવ આવવા, જમવાની અવ્યવસ્થા, ઓક્સિજન સપ્લાય, હોસ્પિટલમાં આગના કેસોમાં વધારો, કોરોના પોઝીટીવ કેસોમાં પ્રાણરક્ષક ઇન્જેક્શનની કાળા બજારી, ટેસ્ટીંગ, સહિતની અનેક સમસ્યાઓ છે.
વડોદરામાં યુનાઇટેડ વે દ્વારા આયોજીત ગરબામાં રેકોર્ડ બ્રેકીંગ લોકો એક સાથે ગરબા રમતા હોય છે.
ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા પ્રતિદીન વધતી જ જાય છે.
ગાંધીનગર.કોરોના વાયરસની મહામારી વચ્ચે હવે ગુજરાતીઓમાં નવરાત્રીને લઇને ચિંતાઓ વધી રહી છે. નવરાત્રીની કાગડોળે રાહ જોઇ રહેલા ખેલૈયાઓ માટે નીતિન પટેલે સારા સમાચાર આપ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે એક નિવેદન આપ્યું છે કે નવરાત્રી અંગે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. જરૂરી છુટછાટો સાથે સરકાર નવરાત્રીના આયોજનને લઇને વિચારી રહી છે.
નીતિન પટેલે નવરાત્રિ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક હોવાનું જોવા મળ્યું છે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે જરૂરી છે.
રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવા મુદ્દે પણ નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શાળાઓ ચાલુ કરવા કેન્દ્રની ગાઈડલાઈન હજુ પણ સ્પષ્ટ નથી. કોરોના પક્ષ, જાતિ કે પ્રદેશ જોતો નથી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા પ્રતિદીન નવો રેકોર્ડ બનાવી રહી છે. હાલ રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના પોઝીટીવ દર્દીઓ રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પોઝીટીવ આવવા, જમવાની અવ્યવસ્થા, ઓક્સિજન સપ્લાય, હોસ્પિટલમાં આગના કેસોમાં વધારો, કોરોના પોઝીટીવ કેસોમાં પ્રાણરક્ષક ઇન્જેક્શનની કાળા બજારી, ટેસ્ટીંગ, જેવી અનેક સમસ્યાઓનો પ્રતિદીન સામનો કરી રહ્યા છે. તેવા સમયે ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી હોવાની વાત ડેપ્યુટી સીએમ નિતિન પટેલ જાહેરાત કરવામાં આવી છે.
મહાનગરો બાદ આ જિલ્લાઓએ ચિંતા વધારી
ગુજરાતમાં આજે અમદાવાદ બાદ સુરત, રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે જીલ્લાઓના વાત કરીએ તો રાજકોટ, ભાવનગર અને જામનગર જીલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ભાવનગરમાં હાલ ગઇકાલે 9 તારીખે 46 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે જામનગર જીલ્લામાં 113 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
કેમ નવરાત્રી ના થવી જોઇએ.
રાજ્યમાં હાલ 16,296 કોરોના પોઝીટીવ એક્ટીવ કેસો છે. સોશિયલ ડિસ્ટન્સીંગ તથા કોરોના સામે સાવચેતીના તમામ પગલા સાથે રોજેરોજ રાજ્યના અનેક શહેરોમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 7 સપ્ટેમ્બર- 1,330, 8 સપ્ટેમ્બર-1,295 અને 9 સપ્ટેમ્બર-1329 પોઝીટીવ કેસો આવ્યા હતા. દિવસે દિવસે પોઝીટીવ કેસોમાં વધારો થવાને કારણે આજે પણ લોકો ઘરની બહાર નિકળતા પહેલા પોતાનો અને પોતાના પરિવારનો વિચાર કરે છે અને જરૂર વગર બહાર નિકળવાનું ટાળે છે. જો નવરાત્રી યોજવાનો નિર્ણય લેવામાં આવે તો મહા મહેનતે અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા થયેલા કેસોની સંખ્યામાં પ્રચંડ વધારો થઇ શકે છે.
કેમ નવરાત્રી થવી જોઇએ.
નવરાત્રી પર્વની ઉજવણીને કારણે ગુજરાત દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. નવરાત્રી સાથે અસંખ્ય લોકોનું ગુજરાન તેના પર નિર્ભર છે અને તેમનું ગુજરાન ચાલે છે. કોરોનાને કારણે અનેક વ્યવસાય ઠપ થઇ ગયા છે. તેવા સમયે નવરાત્રીને મંજુરી આપવાથી લોકોના ઘંઘો- રોજગાર ચાલશે અને તેમની આર્થિક સંકળામણ મહદઅંશે દુર થશે.