WatchGujarat. તહેવાર બાદ રાજ્યના અનેક ભાગોમાં કોરોના વકરી રહ્યો છે. કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન હાર્દિક પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી સરકારને આડેહાથ લીધી હતી. ટ્વિટમાં જણાવાયું હતું કે, સામાન્ય નાગરીક મરી રહ્યો છે. અને સરકાર ચુપ બેઠી છે.
https://twitter.com/HardikPatel_/status/1331088039351709696?s=20
રાજ્યના તમામ પ્રમુખ શહેરોમાં કોરોનાના કેસો વધતા જ સરકાર એક્શનમાં આવી હતી. સરકાર દ્વારા તહેવારો પુરા થવાની સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું હતું. મંગળવારે કોંગ્રેસના કાર્યકારી પ્રેસીડેન્ટ હાર્દિક પટેલે ગુજરાત અને કેન્દ્રસની સરકારને આડેહાથ લીધા હતા. હાર્દીકે ટ્વીટ કરીને પોતાની વાત રજૂ કરી હતી.
https://twitter.com/HardikPatel_/status/1331090407912947714?s=20
હાર્દીક પટેલે ટ્વીટમાં લખ્યું કે, ગુજરાત સહિત કેન્દ્રની સરકાર કોરોના મામલે દેશને જુઠ પીરસી રહી છે. આજે દેશમાં સૌથી વધારે ખરાબ સ્થિતી ગુજરાતમાં છે. કોરોનાના કેસો વધી રહ્યા છે. પરંતુ ભાજપની સરકાર નક્કર કામ નથી કર્યું. હોસ્પિટલ, ડોક્ટર અને સ્વાસ્થ્યની સેવાઓ મામલે સરકાર બેદરકાર છે.
https://twitter.com/HardikPatel_/status/1331092218082258945?s=20
બીજી ટ્વિટમાં હાર્દીક પટેલે લખ્યું કે, ત્રણ મહિના પહેલા ગુજરાતમાં દરરોજ 1,450 કેસો આવતા હતા. આજે પણ રાજ્યમાં 1,450 કેસો લોકોની સામે મુકવામાં આવી રહ્યા છે. ત્રણ મહિના પહેલા કર્ફ્યુ કે લોકડાઉન કેમ લાગુ ન કર્યું. આંકડા ખોટા છે અથવા સરકાર ખોટી છે.
https://twitter.com/HardikPatel_/status/1331148956777263104?s=20
કોરોના સામે લડવાના સુચન આપતા હાર્દિક પટેલે ટ્વવીટમાં લખ્યું કે, કોરોના મહામારી સામે લડવા માટે ગુજરાત સરકારે સર્વદલીય બેઠક બોલાવવી જોઇએ. તમામ ધારાસભ્યો તથા પાર્ટીના સીનીયર પદાધીકારીઓની સંયુક્ત બેઠક બોલાવી કોરોનાથી મુક્તિ મેળવવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવી જોઇએ. ગુજરાતને કોરોના મુક્ત કરવા માટે કોંગ્રેસના તમામ કાર્યકર્તા સરકારના તમામ નિર્ણયનો સ્વિકાર કરશે. અમે ભાષણો નથી આપવા માંગતા પરંતુ ગુજરાતની જનતાના હિતમાં બોલી રહ્યા છીએ.
https://twitter.com/HardikPatel_/status/1331154424480337921?s=20
WatchGujarat. તહેવાર બાદ રાજ્યના અનેક ભાગોમાં કોરોના વકરી રહ્યો છે. કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન હાર્દિક પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી સરકારને આડેહાથ લીધી હતી. ટ્વિટમાં જણાવાયું હતું કે, સામાન્ય નાગરીક મરી રહ્યો છે. અને સરકાર ચુપ બેઠી છે.
રાજ્યના તમામ પ્રમુખ શહેરોમાં કોરોનાના કેસો વધતા જ સરકાર એક્શનમાં આવી હતી. સરકાર દ્વારા તહેવારો પુરા થવાની સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું હતું. મંગળવારે કોંગ્રેસના કાર્યકારી પ્રેસીડેન્ટ હાર્દિક પટેલે ગુજરાત અને કેન્દ્રસની સરકારને આડેહાથ લીધા હતા. હાર્દીકે ટ્વીટ કરીને પોતાની વાત રજૂ કરી હતી.
હાર્દીક પટેલે ટ્વીટમાં લખ્યું કે, ગુજરાત સહિત કેન્દ્રની સરકાર કોરોના મામલે દેશને જુઠ પીરસી રહી છે. આજે દેશમાં સૌથી વધારે ખરાબ સ્થિતી ગુજરાતમાં છે. કોરોનાના કેસો વધી રહ્યા છે. પરંતુ ભાજપની સરકાર નક્કર કામ નથી કર્યું. હોસ્પિટલ, ડોક્ટર અને સ્વાસ્થ્યની સેવાઓ મામલે સરકાર બેદરકાર છે.
બીજી ટ્વિટમાં હાર્દીક પટેલે લખ્યું કે, ત્રણ મહિના પહેલા ગુજરાતમાં દરરોજ 1,450 કેસો આવતા હતા. આજે પણ રાજ્યમાં 1,450 કેસો લોકોની સામે મુકવામાં આવી રહ્યા છે. ત્રણ મહિના પહેલા કર્ફ્યુ કે લોકડાઉન કેમ લાગુ ન કર્યું. આંકડા ખોટા છે અથવા સરકાર ખોટી છે.
કોરોના સામે લડવાના સુચન આપતા હાર્દિક પટેલે ટ્વવીટમાં લખ્યું કે, કોરોના મહામારી સામે લડવા માટે ગુજરાત સરકારે સર્વદલીય બેઠક બોલાવવી જોઇએ. તમામ ધારાસભ્યો તથા પાર્ટીના સીનીયર પદાધીકારીઓની સંયુક્ત બેઠક બોલાવી કોરોનાથી મુક્તિ મેળવવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવી જોઇએ. ગુજરાતને કોરોના મુક્ત કરવા માટે કોંગ્રેસના તમામ કાર્યકર્તા સરકારના તમામ નિર્ણયનો સ્વિકાર કરશે. અમે ભાષણો નથી આપવા માંગતા પરંતુ ગુજરાતની જનતાના હિતમાં બોલી રહ્યા છીએ.