પાણીગેટ ડેપોથી નિકળેલી એસ.ટી બસ વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહીં હતી.
એક્સપ્રેસ હાઇવે પર આજોડ ગામ પાસે બપોરના સમય દોઢ વાગ્યાના અરસામાં બની ઘટના
ટીપી-13 ફાયર સ્ટેશને ઘટના સ્થળે પહોંચી બસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો
બસમાં 15થી 20 જેટલા મુસાફરો સવાર હતા, ડ્રાઇવર અને કંડક્ટરની સમયસુચક્તાથી દુર્ઘટના બનતા ટળી
WatchGujarat. કાળઝાળ ગરમીના કારણે આગ લાગવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. તેવામાં વડોદરાથી અમદાવાદ જતી એસ.ટીમાં બપોરના સમયે એક્સપ્રેસ હાઇવે પર આગ લાગી હતી. બસના ડ્રાઇવર અને કંડક્ટરે સમયસુચક્ત વાપરી બસ રસ્તાની બાજૂમાં ઉભી કરી દેતા તમામ મુસાફરો નીચે ઉતરી ગયા હતા. બીજી તરફ ગણતરીની મિનિટોમાં આખી બસમાં આગ પ્રસરી જતા બળીને ખાક થઇ ગઇ હતી.
https://youtu.be/Xhpr7pfp0JA
બનાવ સંદર્ભે ટીપી -13 ફાયર સ્ટેશનના અધિકારી કિરણ બારીયાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, આજે બપોરના સમયે પાણીગેટ ડેપોથી અમદાવાદ જવા માટે એસ.ટી બસ ઉપડી હતી. દરમિયાન એક્સપ્રેસ હાઇવે પર બપોરના દોઢ વાગ્યાની આસપાસ બસ આજોડ ગામ પાસે પહોંચી હતી. જ્યાં અચાનક બસના પાછલા ટાયરના લાઇનરમાં ધર્ષણ સર્જાતા પહેલા ધુમાળા નિકળવાના શરૂ થયા અને જોત જોતામાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી.
વધુમાં તેઓએ જણાવ્યું કે, ઘટના અંગે ટીપી-13 ફાયર સ્ટેશનને કોલ મળતા સમગ્ર સ્ટાફ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયો હતો. જ્યાં બસમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે બસમાં આગ લાગે તે પહેલા જ ડ્રાઇવર અને કંડક્ટરે સમયસુચક્તા વાપરી બસને સાઇડ ઉભી કરી દેતા 29 મુસાફરો તાત્કાલીક બસમાંથી નીચે ઉતરી ગયા હતા. જેથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી.
પાણીગેટ ડેપોથી નિકળેલી એસ.ટી બસ વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહીં હતી.
એક્સપ્રેસ હાઇવે પર આજોડ ગામ પાસે બપોરના સમય દોઢ વાગ્યાના અરસામાં બની ઘટના
બસમાં 15થી 20 જેટલા મુસાફરો સવાર હતા, ડ્રાઇવર અને કંડક્ટરની સમયસુચક્તાથી દુર્ઘટના બનતા ટળી
WatchGujarat. કાળઝાળ ગરમીના કારણે આગ લાગવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. તેવામાં વડોદરાથી અમદાવાદ જતી એસ.ટીમાં બપોરના સમયે એક્સપ્રેસ હાઇવે પર આગ લાગી હતી. બસના ડ્રાઇવર અને કંડક્ટરે સમયસુચક્ત વાપરી બસ રસ્તાની બાજૂમાં ઉભી કરી દેતા તમામ મુસાફરો નીચે ઉતરી ગયા હતા. બીજી તરફ ગણતરીની મિનિટોમાં આખી બસમાં આગ પ્રસરી જતા બળીને ખાક થઇ ગઇ હતી.
બનાવ સંદર્ભે ટીપી -13 ફાયર સ્ટેશનના અધિકારી કિરણ બારીયાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, આજે બપોરના સમયે પાણીગેટ ડેપોથી અમદાવાદ જવા માટે એસ.ટી બસ ઉપડી હતી. દરમિયાન એક્સપ્રેસ હાઇવે પર બપોરના દોઢ વાગ્યાની આસપાસ બસ આજોડ ગામ પાસે પહોંચી હતી. જ્યાં અચાનક બસના પાછલા ટાયરના લાઇનરમાં ધર્ષણ સર્જાતા પહેલા ધુમાળા નિકળવાના શરૂ થયા અને જોત જોતામાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી.
વધુમાં તેઓએ જણાવ્યું કે, ઘટના અંગે ટીપી-13 ફાયર સ્ટેશનને કોલ મળતા સમગ્ર સ્ટાફ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયો હતો. જ્યાં બસમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે બસમાં આગ લાગે તે પહેલા જ ડ્રાઇવર અને કંડક્ટરે સમયસુચક્તા વાપરી બસને સાઇડ ઉભી કરી દેતા 29 મુસાફરો તાત્કાલીક બસમાંથી નીચે ઉતરી ગયા હતા. જેથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી.