કોરોનાની વધુ સારવાર માટે સુરેન્દ્રનગરથી રાજકોટ જતી વખતે રસ્તામાં એક્સિજન ખુટતા થયું નિધન.
અમદાવાદ. હિમાલયન કાર રેસર તરીકે દુનિયાભરમાં જાણીતા ગુજરાતના ભરત દવેનું કોરોનાથી નિધન થયું છે. સુરેન્દ્રનગરના રહેવાસી ભરતભાઈ દવે કોરોના સંક્રમિત થયા હતાં. તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યાં હતાં. દરમિયાનમાં રસ્તામાં ઓક્સિજન ખુટી પડતાં તેઓનું દુઃખદ નિધન થયું હતું.
ભરતભાઇ દવે આંતરરાષ્ટ્રીય કક્ષાના જાણીતા કાર રેસર હતા
ભરતભાઇ દવે મુળ સુરેન્દ્રનગરના હતા. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક કાર રેસમાં ભાગ લઈ ચૂક્યા હતા અને પાંચ વખત ચેમ્પિયન બન્યા હતા. ભરતભાઇ દવે રાજકોટના પૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરાના નાના ભાઈ હતા.
[caption id="attachment_4524" align="aligncenter" width="800"] (પુત્ર ચિંતન સાથે ભરતભાઈ દવે)[/caption]
આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર રેલીમાં ભાગ લેનાર પહેલા ભારતીય હતા
તેઓ આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ભાગ લેનારા પહેલા ભારતીય હતા. વર્ષ 2019માં તેઓ PM નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનની કેન્દ્રવર્તી થીમ સાથે 29 દિવસમાં 29 રાજ્ય અને 29 પાટનગરની મુલાકાત લઈ વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો.
5 ઈન્ટરનેશનલ કાર રેલીમાં ભાગ લીધો હતો
ભારત સરકારના એકલવ્ય પુરસ્કારથી સન્માનિત થઈ ચૂકેલા ભરતભાઇ દવે 5 વાર રાષ્ટ્રીય અને 2 વાર આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ચેમ્પિયન બનવાનો વિક્રમ ધરાવે છે. મૂળ સુરેન્દ્રનગરના બેંકર સ્વ.રતિભાઇ દવેના પુત્ર એવા ભરત દવે હિમાલયન કાર રેસર તરીકે પણ ઘણા જાણીતા હતા.
ભારતભાઇ દવે વર્ષ 1985થી 1990 દરમિયાન 6 કાર રેલીમાં ભાગ લીધો હતો. જ્યારે 1990થી 2008 દરમિયાન તેમણે કેન્યામાં ત્રણ અને ન્યૂઝિલેન્ડ તેમજ પોર્ટુગલમાં 1-1 મળીને કુલ 5 આંતરરાષ્ટ્રીય રેલીમાં ભાગ લીધો હતો.
ભરતભાઇ દવેએ કાર રેસિંગમાં મેળવેલી સિદ્ધીઓ
ભરતભાઇ દવેએ કાર રેસમાં મેળવેલી સિદ્ધીઓ અંગે વાત કરીએ તો તેમણે હિમાચલ આફ્રિકન સફારીની કાર રેસમાં ખિતાબ મેળવ્યો હતો.
1993માં ન્યૂઝિલૅન્ડમાં યોજાયેલી રેસમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ રેસમાં જીત મેળવનારા તેઓ પહેલા ભારતીય હતા.
5 વખત હિમાલયમાં યોજાતી કાર રેસમાં દેશનું નામ રોશન કરી ચુક્યા છે.
કોરોનાની વધુ સારવાર માટે સુરેન્દ્રનગરથી રાજકોટ જતી વખતે રસ્તામાં એક્સિજન ખુટતા થયું નિધન.
અમદાવાદ. હિમાલયન કાર રેસર તરીકે દુનિયાભરમાં જાણીતા ગુજરાતના ભરત દવેનું કોરોનાથી નિધન થયું છે. સુરેન્દ્રનગરના રહેવાસી ભરતભાઈ દવે કોરોના સંક્રમિત થયા હતાં. તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યાં હતાં. દરમિયાનમાં રસ્તામાં ઓક્સિજન ખુટી પડતાં તેઓનું દુઃખદ નિધન થયું હતું.
ભરતભાઇ દવે આંતરરાષ્ટ્રીય કક્ષાના જાણીતા કાર રેસર હતા
ભરતભાઇ દવે મુળ સુરેન્દ્રનગરના હતા. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક કાર રેસમાં ભાગ લઈ ચૂક્યા હતા અને પાંચ વખત ચેમ્પિયન બન્યા હતા. ભરતભાઇ દવે રાજકોટના પૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરાના નાના ભાઈ હતા.
[caption id="attachment_4524" align="aligncenter" width="800"] (પુત્ર ચિંતન સાથે ભરતભાઈ દવે)[/caption]
આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર રેલીમાં ભાગ લેનાર પહેલા ભારતીય હતા
તેઓ આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ભાગ લેનારા પહેલા ભારતીય હતા. વર્ષ 2019માં તેઓ PM નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનની કેન્દ્રવર્તી થીમ સાથે 29 દિવસમાં 29 રાજ્ય અને 29 પાટનગરની મુલાકાત લઈ વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો.
5 ઈન્ટરનેશનલ કાર રેલીમાં ભાગ લીધો હતો
ભારત સરકારના એકલવ્ય પુરસ્કારથી સન્માનિત થઈ ચૂકેલા ભરતભાઇ દવે 5 વાર રાષ્ટ્રીય અને 2 વાર આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ચેમ્પિયન બનવાનો વિક્રમ ધરાવે છે. મૂળ સુરેન્દ્રનગરના બેંકર સ્વ.રતિભાઇ દવેના પુત્ર એવા ભરત દવે હિમાલયન કાર રેસર તરીકે પણ ઘણા જાણીતા હતા.
ભારતભાઇ દવે વર્ષ 1985થી 1990 દરમિયાન 6 કાર રેલીમાં ભાગ લીધો હતો. જ્યારે 1990થી 2008 દરમિયાન તેમણે કેન્યામાં ત્રણ અને ન્યૂઝિલેન્ડ તેમજ પોર્ટુગલમાં 1-1 મળીને કુલ 5 આંતરરાષ્ટ્રીય રેલીમાં ભાગ લીધો હતો.
ભરતભાઇ દવેએ કાર રેસિંગમાં મેળવેલી સિદ્ધીઓ
ભરતભાઇ દવેએ કાર રેસમાં મેળવેલી સિદ્ધીઓ અંગે વાત કરીએ તો તેમણે હિમાચલ આફ્રિકન સફારીની કાર રેસમાં ખિતાબ મેળવ્યો હતો.
1993માં ન્યૂઝિલૅન્ડમાં યોજાયેલી રેસમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ રેસમાં જીત મેળવનારા તેઓ પહેલા ભારતીય હતા.
5 વખત હિમાલયમાં યોજાતી કાર રેસમાં દેશનું નામ રોશન કરી ચુક્યા છે.