નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાયાં
જમીન કપાતમાં રાહત આપી સરકારે આ પ્રોજેક્ટમાં રૂ.50 કરોડનું યોગદાન આપ્યું
કોરોના કાળમાં રાજયની વિકાસ યાત્રા ચેતનવંતી રાખી રૂ.13000 કરોડના વિકાસ કામોને ઓનલાઇન બહાલી આપી આગળ ધપાવ્યા છે. – વિજય રૂપાણી
વડોદરા. શહેર નજીક અંખોલ ગામની સીમમાં 5 લાખ ચો. મી. જમીનમાં રૂ. 100 કરોડના ખર્ચે આકાર લેનાર સરદાર ધામ – મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, 40 ટકા જમીન કપાતને બદલે 10 ટકા કપાતન રાહત આપી સરકારે પ્રોજેક્ટમાં રૂ. 50 કરોડનું યોગદાન આપ્યું છે.
સરદાર ધામ – મધ્ય ગુજરાત પ્રોજેક્ટમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સમાજ ઉત્કર્ષલક્ષી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેનાર સરદાર ભવનના નિર્માણ સહિતના વિવિધ પ્રયોજનોનો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ભારતીય સનદી સેવા પરીક્ષાની નિઃશુલ્ક તાલીમ, શિક્ષણ માટે વગર વ્યાજની લોન, વ્યાપાર ઉદ્યોગને ઉત્તેજન માટે પાટીદાર ગ્લોબલ સમિટનું આયોજન સહિત સમાજ ઘડતરની અને સમાજના યુવાનોને શિક્ષિત, દીક્ષિત અને વિકસિત કરવા માટેની વિવિધતાસભર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
સરદાર ધામ સંસ્થા અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો છોડવા, ખોટાં ભપકા અને કૌટુંબિક પ્રસંગોમાં મોટો ખર્ચ ટાળવો અને આ રકમ સમાજ માટે વાપરવી જેવા પંચ મંત્ર સાથે કામ કરે છે. આજના પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સામાજિક પુનરુત્થાનથી રાષ્ટ્રીય પુનરુત્થાન, સમાજના કલ્યાણ, રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરવું એ સહુની જવાબદારી છે. સમાજ માટે, દેશ માટે કામ કરવું એ ઈશ્વરીય કામ છે, એમાં ક્યારેય નાણાંનો અભાવ પડતો નથી કે રૂકાવટ આવતી નથી. સરદાર ધામના કામમાં એનો દાખલો જોવા મળે છે .
તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના સંકટ કાળમાં પણ રાજય સરકારે ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલુ રાખી છે અને રૂ.13000 કરોડના વિકાસ કામોને ઓનલાઇન બહાલી આપી, શરૂ કરાવી વિકાસ યાત્રાને વેગ આપ્યો છે. આજે રાજયમાં રિકવરીનું પ્રમાણ વધીને ૯૦ ટકા થયું છે, દોઢ લાખ લોકો સાજા થયાં છે, મૃત્યુનું પ્રમાણ ખૂબ ઘટાડી શકાયું છે.
સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કહ્યું કે, મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓને આવરી લેતા વડોદરા સ્થિત સરદારધામ ખાતે 500 દીકરા 500 દીકરીઓને તાલીમ અને અભ્યાસ સાથે રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અંદાજે રૂ.14 કરોડની જમીન પર નિર્માણ પામનાર સરદાર ધામમાં અઢી થી ત્રણ કરોડના ખર્ચે સરદાર પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે.
પારૂલભાઇ કાકડીયાએ શાબ્દિક સ્વાગતમાં, સરદારધામ શરૂ કરવા રાજય સરકારના પ્રોત્સાહિત અને સકારાત્મક વલણ માટે રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ડો.જિગીષા બહેન શેઠ, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા), પદ્મશ્રી મથુરભાઈ સવાણી, રામજીભાઈ ઇટાલિયા, નટુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, વિપુલભાઇ ગજેરા, પારુલભાઇ કાકડિયા, પ્રભુલાલ ધોળુ, રેન્જ આઇજી હરિશચંદ્ર પટેલ, જિલ્લા પોલીસ વડા દેસાઇ, પ્રાંત અધિકારી વિજય પટણી, સહિત જમીન દાતાઓ, સંસ્થાના સી.ઇ.ઓ. એચ.એસ.પટેલ, સ્થાપક ટ્રસ્ટીઓ, મહિલા પદાધિકારીઓ અને સરદાર ધામ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
જમીન કપાતમાં રાહત આપી સરકારે આ પ્રોજેક્ટમાં રૂ.50 કરોડનું યોગદાન આપ્યું
કોરોના કાળમાં રાજયની વિકાસ યાત્રા ચેતનવંતી રાખી રૂ.13000 કરોડના વિકાસ કામોને ઓનલાઇન બહાલી આપી આગળ ધપાવ્યા છે. – વિજય રૂપાણી
વડોદરા. શહેર નજીક અંખોલ ગામની સીમમાં 5 લાખ ચો. મી. જમીનમાં રૂ. 100 કરોડના ખર્ચે આકાર લેનાર સરદાર ધામ – મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, 40 ટકા જમીન કપાતને બદલે 10 ટકા કપાતન રાહત આપી સરકારે પ્રોજેક્ટમાં રૂ. 50 કરોડનું યોગદાન આપ્યું છે.
સરદાર ધામ – મધ્ય ગુજરાત પ્રોજેક્ટમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સમાજ ઉત્કર્ષલક્ષી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેનાર સરદાર ભવનના નિર્માણ સહિતના વિવિધ પ્રયોજનોનો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ભારતીય સનદી સેવા પરીક્ષાની નિઃશુલ્ક તાલીમ, શિક્ષણ માટે વગર વ્યાજની લોન, વ્યાપાર ઉદ્યોગને ઉત્તેજન માટે પાટીદાર ગ્લોબલ સમિટનું આયોજન સહિત સમાજ ઘડતરની અને સમાજના યુવાનોને શિક્ષિત, દીક્ષિત અને વિકસિત કરવા માટેની વિવિધતાસભર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
સરદાર ધામ સંસ્થા અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો છોડવા, ખોટાં ભપકા અને કૌટુંબિક પ્રસંગોમાં મોટો ખર્ચ ટાળવો અને આ રકમ સમાજ માટે વાપરવી જેવા પંચ મંત્ર સાથે કામ કરે છે. આજના પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સામાજિક પુનરુત્થાનથી રાષ્ટ્રીય પુનરુત્થાન, સમાજના કલ્યાણ, રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરવું એ સહુની જવાબદારી છે. સમાજ માટે, દેશ માટે કામ કરવું એ ઈશ્વરીય કામ છે, એમાં ક્યારેય નાણાંનો અભાવ પડતો નથી કે રૂકાવટ આવતી નથી. સરદાર ધામના કામમાં એનો દાખલો જોવા મળે છે .
તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના સંકટ કાળમાં પણ રાજય સરકારે ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલુ રાખી છે અને રૂ.13000 કરોડના વિકાસ કામોને ઓનલાઇન બહાલી આપી, શરૂ કરાવી વિકાસ યાત્રાને વેગ આપ્યો છે. આજે રાજયમાં રિકવરીનું પ્રમાણ વધીને ૯૦ ટકા થયું છે, દોઢ લાખ લોકો સાજા થયાં છે, મૃત્યુનું પ્રમાણ ખૂબ ઘટાડી શકાયું છે.
સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કહ્યું કે, મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓને આવરી લેતા વડોદરા સ્થિત સરદારધામ ખાતે 500 દીકરા 500 દીકરીઓને તાલીમ અને અભ્યાસ સાથે રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અંદાજે રૂ.14 કરોડની જમીન પર નિર્માણ પામનાર સરદાર ધામમાં અઢી થી ત્રણ કરોડના ખર્ચે સરદાર પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે.
પારૂલભાઇ કાકડીયાએ શાબ્દિક સ્વાગતમાં, સરદારધામ શરૂ કરવા રાજય સરકારના પ્રોત્સાહિત અને સકારાત્મક વલણ માટે રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.