અમદાવાદા અને વડોદરાને રથયાત્રા કાઢવાની લીલી ઝંડી મળી
વડોદરા રથયાત્રાનો સમય બદલાયો અને બે જ કલાક યાત્રા પુરી કરવાની રહેશે
અમદાવાદ કર્ફ્યુ જેવા માહોલ વચ્ચે નિકળશે જગન્નાથજીની યાત્રા
WatchGujarat. સુરત શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા 27 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે યાત્રા રદ કરવામાં આવી હતી. અમદાવાદમાં રથયાત્રાને લીલીઝંડી મળ્યા બાદ સુરતના લોકોને પણ આશા હતી કે આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વાારા યોજવામાં આવતી ભગવાન જગન્નાથજીની નગરચર્યા ના દર્શન થશે. પરંતુ પોલીસ દ્વારા આપવામાં આવેલા ઢગલાબંધ નિયમોના કારણે ઇસ્કોન મંદિર દ્વારા યાત્રા ન કાઢવા માટે સ્વયંભૂ જાહેરાત કરી દીધી છે.
[caption id="attachment_1278516" align="aligncenter" width="1280"] Surat Isckon Temple[/caption]
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની યાત્રા ને સરકાર દ્વારા લીલીઝંડી મળ્યા બાદ સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા 27 વર્ષોથી ચાલતી જગન્નાથજીની યાત્રા માટે મંદિર પ્રશાસન તરફથી પોલીસ પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ સુરત પોલીસે ઢગલાબંધ નિયમો બતાવતા મંદિર પરિસરે કોવિડની ગાઇડલાઇનના પુરતા પાલન સાથે રથયાત્રા કાઢવાની તૈયારી દાખવી હતી. જોકે કોરોનાની ત્રિજી લહેર આવશે કે નહીં તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઇ નથી. તેવામાં અમદાવાદ અને વડોદરામાં રથયાત્રાને લીલીઝંડી મળતા સુરત વાસીઓ પણ ભગવાન જગન્નાથજીની યાત્રાને લઇને ખુશી જોવા મળી હતી. પરંતુ આ ખુશી થોડા સમયની જ હતી.
[caption id="attachment_1278517" align="aligncenter" width="1280"] Surat Isckon Temple[/caption]
ઇસ્કોન મંદિર ના PRO દિલીપભાઈ કથીરાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રથયાત્રા માટે અમે 200 લોકોની પરમિશન પોલીસ પાસેથી માંગી હતી. પરંતુ પોલીસે અમને ફક્ત 60 લોકોની પરમિશન આપી છે અને તેમાં પણ તમામ 60 લોકોનાં RTPCR ટેસ્ટ ફરજિયાત કીધા છે. અમે પોલીસને રજૂઆત કરી હતી કે રથ મોટો હોવાના કારણે ઓછામાં ઓછા રથ ખેંચવા માટે 100 લોકોની જરૂરત પડશે તેના માટે અમને 100 લોકોની પરમિશન આપો.પરંતુ પોલીસે પરમિશન આપવાની ના પાડી દીધી હતી.
[caption id="attachment_1278516" align="aligncenter" width="1280"] Surat Isckon Temple[/caption]
વધુમાં તેઓએ જણાવ્યું કે, અમારા તરફથી રજૂઆત પણ કરવામાં આવી હતી કે, જે 100 લોકો રથયાત્રામાં જોડાવાના છે, તે વ્યક્તિઓના કોરોના વેક્સિનના બંને ડોઝ કમ્પ્લિટ થઈ ગયા છે. અને તેના સર્ટિ સાથે તે લોકો રથયાત્રામાં જોડાશે પરંતુ પોલીસે મંદિર પ્રશાસનની એક પણ વાત ન સાંભળી જેને લઇને સુરત ઇસ્કોન મંદિરે જગન્નાથજીની 27 વર્ષથી યોજાતી યાત્રાને મોકુફ રાખવાનો નિર્ણય લીધો અને યાત્રા ફક્ત મંદિરના પ્રાંગણમાં કરાવવાની જાહેરાત કરી દીધી છે.
અમદાવાદા અને વડોદરાને રથયાત્રા કાઢવાની લીલી ઝંડી મળી
વડોદરા રથયાત્રાનો સમય બદલાયો અને બે જ કલાક યાત્રા પુરી કરવાની રહેશે
અમદાવાદ કર્ફ્યુ જેવા માહોલ વચ્ચે નિકળશે જગન્નાથજીની યાત્રા
WatchGujarat. સુરત શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા 27 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે યાત્રા રદ કરવામાં આવી હતી. અમદાવાદમાં રથયાત્રાને લીલીઝંડી મળ્યા બાદ સુરતના લોકોને પણ આશા હતી કે આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વાારા યોજવામાં આવતી ભગવાન જગન્નાથજીની નગરચર્યા ના દર્શન થશે. પરંતુ પોલીસ દ્વારા આપવામાં આવેલા ઢગલાબંધ નિયમોના કારણે ઇસ્કોન મંદિર દ્વારા યાત્રા ન કાઢવા માટે સ્વયંભૂ જાહેરાત કરી દીધી છે.
[caption id="attachment_1278516" align="aligncenter" width="1280"] Surat Isckon Temple[/caption]
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની યાત્રા ને સરકાર દ્વારા લીલીઝંડી મળ્યા બાદ સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા 27 વર્ષોથી ચાલતી જગન્નાથજીની યાત્રા માટે મંદિર પ્રશાસન તરફથી પોલીસ પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ સુરત પોલીસે ઢગલાબંધ નિયમો બતાવતા મંદિર પરિસરે કોવિડની ગાઇડલાઇનના પુરતા પાલન સાથે રથયાત્રા કાઢવાની તૈયારી દાખવી હતી. જોકે કોરોનાની ત્રિજી લહેર આવશે કે નહીં તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઇ નથી. તેવામાં અમદાવાદ અને વડોદરામાં રથયાત્રાને લીલીઝંડી મળતા સુરત વાસીઓ પણ ભગવાન જગન્નાથજીની યાત્રાને લઇને ખુશી જોવા મળી હતી. પરંતુ આ ખુશી થોડા સમયની જ હતી.
[caption id="attachment_1278517" align="aligncenter" width="1280"] Surat Isckon Temple[/caption]
ઇસ્કોન મંદિર ના PRO દિલીપભાઈ કથીરાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રથયાત્રા માટે અમે 200 લોકોની પરમિશન પોલીસ પાસેથી માંગી હતી. પરંતુ પોલીસે અમને ફક્ત 60 લોકોની પરમિશન આપી છે અને તેમાં પણ તમામ 60 લોકોનાં RTPCR ટેસ્ટ ફરજિયાત કીધા છે. અમે પોલીસને રજૂઆત કરી હતી કે રથ મોટો હોવાના કારણે ઓછામાં ઓછા રથ ખેંચવા માટે 100 લોકોની જરૂરત પડશે તેના માટે અમને 100 લોકોની પરમિશન આપો.પરંતુ પોલીસે પરમિશન આપવાની ના પાડી દીધી હતી.
[caption id="attachment_1278516" align="aligncenter" width="1280"] Surat Isckon Temple[/caption]
વધુમાં તેઓએ જણાવ્યું કે, અમારા તરફથી રજૂઆત પણ કરવામાં આવી હતી કે, જે 100 લોકો રથયાત્રામાં જોડાવાના છે, તે વ્યક્તિઓના કોરોના વેક્સિનના બંને ડોઝ કમ્પ્લિટ થઈ ગયા છે. અને તેના સર્ટિ સાથે તે લોકો રથયાત્રામાં જોડાશે પરંતુ પોલીસે મંદિર પ્રશાસનની એક પણ વાત ન સાંભળી જેને લઇને સુરત ઇસ્કોન મંદિરે જગન્નાથજીની 27 વર્ષથી યોજાતી યાત્રાને મોકુફ રાખવાનો નિર્ણય લીધો અને યાત્રા ફક્ત મંદિરના પ્રાંગણમાં કરાવવાની જાહેરાત કરી દીધી છે.