ગુજરાત સહિત દેશના અનેક હિસ્સાઓમાં કોરોનાની બે લહેરમાં ભારે મુશ્કેલીભરી સ્થિતીનું સર્જન કર્યું હતું
કોરોના મહામારીથી અસરગ્રસ્ત થવાને કારણે અનેક પરિવારો વિખેરાયા
આજે યુવા એકતા સંગઠન (યસ ગ્રૂપ) દ્વારા અન્નક્ષેત્ર સેવા પ્રકલ્પ અંતર્ગત સેવા યજ્ઞની ધુણી ધખાવી
Watchgujarat. કોરોના મહામારીમાં અનેક પરિવારો વેર વિખેર થઇ ગયા હતા. કેટલાક પરિવારોએ આવકનો સ્ત્રોત ગુમાવતા એક ટાઇમ શું જમશે તે પણ ચિંતાનો વિષય બન્યો હતો. જો કે, કપરા સમયમાં અનેક સેવાભાવી લોકો ગરીબ પરિવારોની મદદે આવ્યા હતા. તેવા સમયે શહેરના યુવાનોએ 100 પરિવારોને એક મહિનો ચાલે તેટલું રાશન આપીને તેમને ચિંતા મુક્ત કર્યા હતા.
કોરોના મહામારીને કારણે દુનિયાભરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ગુજરાત સહિત દેશના અનેક હિસ્સાઓમાં કોરોનાની બે લહેરમાં ભારે મુશ્કેલીભરી સ્થિતીનું સર્જન કર્યું હતું. કોરોના મહામારીથી અસરગ્રસ્ત થવાને કારણે અનેક પરિવારો વિખેરાયા હતા. અને અનેક લોકો બેરોજગાર બનતા પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું. જો કે, કપરા સમયમાં સક્ષમ લોકો આગળ આવીને ગરીબોની મદદે આવ્યા હતા. અનેક પરિવારોને રાશનથી લઇને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી.
સક્ષમ લોકો દ્વારા જરૂરીયાતમંદ લોકોને મદદ કરવાનો સિલસિલો આજે પણ યથાવત છે. તેવી જ રીતે આજે યુવા એકતા સંગઠન (યસ ગ્રૂપ) દ્વારા અન્નક્ષેત્ર સેવા પ્રકલ્પ અંતર્ગત શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય ખાતે કપરી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહેલા એવા 100 થી વધારે પરિવાર ને મદદ રૂપ થવા આજ રોજ આખા માસ દરમ્યાન ચાલે તેટલું અનાજ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને પગલે એક મહિના સુધી પરિવારોની રાશનની ચિંતા મટી જવા પામી હતી.
ગુજરાત સહિત દેશના અનેક હિસ્સાઓમાં કોરોનાની બે લહેરમાં ભારે મુશ્કેલીભરી સ્થિતીનું સર્જન કર્યું હતું
કોરોના મહામારીથી અસરગ્રસ્ત થવાને કારણે અનેક પરિવારો વિખેરાયા
આજે યુવા એકતા સંગઠન (યસ ગ્રૂપ) દ્વારા અન્નક્ષેત્ર સેવા પ્રકલ્પ અંતર્ગત સેવા યજ્ઞની ધુણી ધખાવી
Watchgujarat. કોરોના મહામારીમાં અનેક પરિવારો વેર વિખેર થઇ ગયા હતા. કેટલાક પરિવારોએ આવકનો સ્ત્રોત ગુમાવતા એક ટાઇમ શું જમશે તે પણ ચિંતાનો વિષય બન્યો હતો. જો કે, કપરા સમયમાં અનેક સેવાભાવી લોકો ગરીબ પરિવારોની મદદે આવ્યા હતા. તેવા સમયે શહેરના યુવાનોએ 100 પરિવારોને એક મહિનો ચાલે તેટલું રાશન આપીને તેમને ચિંતા મુક્ત કર્યા હતા.
કોરોના મહામારીને કારણે દુનિયાભરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ગુજરાત સહિત દેશના અનેક હિસ્સાઓમાં કોરોનાની બે લહેરમાં ભારે મુશ્કેલીભરી સ્થિતીનું સર્જન કર્યું હતું. કોરોના મહામારીથી અસરગ્રસ્ત થવાને કારણે અનેક પરિવારો વિખેરાયા હતા. અને અનેક લોકો બેરોજગાર બનતા પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું. જો કે, કપરા સમયમાં સક્ષમ લોકો આગળ આવીને ગરીબોની મદદે આવ્યા હતા. અનેક પરિવારોને રાશનથી લઇને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી.
સક્ષમ લોકો દ્વારા જરૂરીયાતમંદ લોકોને મદદ કરવાનો સિલસિલો આજે પણ યથાવત છે. તેવી જ રીતે આજે યુવા એકતા સંગઠન (યસ ગ્રૂપ) દ્વારા અન્નક્ષેત્ર સેવા પ્રકલ્પ અંતર્ગત શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય ખાતે કપરી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહેલા એવા 100 થી વધારે પરિવાર ને મદદ રૂપ થવા આજ રોજ આખા માસ દરમ્યાન ચાલે તેટલું અનાજ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને પગલે એક મહિના સુધી પરિવારોની રાશનની ચિંતા મટી જવા પામી હતી.