૨૯ ફૂટની ઊંડાઈ ધરાવતા આજી-૧ ડેમની જળ સપાટીમાં વધારો થતા હાલની પાણીની સપાટી ૨૭.૪૫ ફૂટે પહોંચી - મ્યુ. કમિશ્નર અમિત અરોરા
હાલ આજી-૧માં 28 ફેબ્રુઆરી, ન્યારી-1માં 30 એપ્રિલ, અને ભાદર-1માં 31 જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ
માત્ર 24 કલાકના વરસાદમાં રાજકોટનું જળસંકટ ટળ્યું
Watchgujarat. રવિવારની રાતથી જ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગોંડલ પંથકમાં તો સવારથી ખાબકેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. તો બીજીતરફ રાજકોટનો ન્યારી-1 ડેમ ગઈકાલે જ છલકાઈ ચુક્યો છે. અને ઉપરવાસમાં સારા વરસાદને પગલે આજી- ઓવરફ્લો થવામાં માત્ર દોઢ ફૂટનું છેટુ રહ્યું છે. ત્યારે આજરોજ મ્યુ. કમિશ્નરે પીવાનું પાણી પુરૂ પાડતા મુખ્ય જલાશયોની સ્થિતિ અંગે જાણકારી આપી હતી.
મ્યુ. કમિશ્નર અમિત અરોરાનાં જણાવ્યા અનુસાર, રાજકોટ શહેરમાં અને આજુબાજુના ગામોમાં વરસી રહેલા ભારે વરસાદને પરિણામે, શહેરને પીવાનું પાણી પુરૂ પાડી રહેલા જળાશયોમાં નવા નીરની સારી એવી આવક થઇ છે. ૨૯ ફૂટની ઊંડાઈ ધરાવતા આજી-૧ ડેમની જળ સપાટીમાં વધારો થતા હાલની પાણીની સપાટી ૨૭.૪૫ ફૂટે પહોંચી છે. જ્યારે ૨૫ ફૂટ ઊંડાઈ ધરાવતો ન્યારી-૧ડેમ પાણીની નવી આવકથી છલોછલ ભરાઈ ગયો છે. અને વર્તમાન જળસ્તર ૨૫ ફૂટે પહોંચ્યું છે. આ ઉપરાંત ૩૪ ફૂટની ઊંડાઈ ધરાવતા ભાદર-૧ ડેમમાં નવી જળ રાશી સાથે વર્તમાન સપાટી ૩૦.૨૦ ફૂટે પહોંચી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આજી-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં જળ સપાટીમાં ૭.૬૫ ફૂટનો વધારો. ન્યારી-૧ ડેમમાં ૭.૭૧ ફૂટનો વધારો અને ભાદર-૧ ડેમમાં ૬.૧૦ ફૂટનો વધારો થયો છે. હાલ આજી-૧માં 28 ફેબ્રુઆરી, ન્યારી-1માં 30 એપ્રિલ, અને ભાદર-1માં 31 જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. સાથે જ જરૂર પડ્યે નર્મદાના નીર લાવીને પણ શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવનાર હોવાની ખાતરી પણ તેમણે આપી છે. આમ માત્ર 24 કલાકના વરસાદમાં રાજકોટનું જળસંકટ ટળ્યું છે.
હાલ આજી-૧માં 28 ફેબ્રુઆરી, ન્યારી-1માં 30 એપ્રિલ, અને ભાદર-1માં 31 જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ
માત્ર 24 કલાકના વરસાદમાં રાજકોટનું જળસંકટ ટળ્યું
Watchgujarat. રવિવારની રાતથી જ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગોંડલ પંથકમાં તો સવારથી ખાબકેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. તો બીજીતરફ રાજકોટનો ન્યારી-1 ડેમ ગઈકાલે જ છલકાઈ ચુક્યો છે. અને ઉપરવાસમાં સારા વરસાદને પગલે આજી- ઓવરફ્લો થવામાં માત્ર દોઢ ફૂટનું છેટુ રહ્યું છે. ત્યારે આજરોજ મ્યુ. કમિશ્નરે પીવાનું પાણી પુરૂ પાડતા મુખ્ય જલાશયોની સ્થિતિ અંગે જાણકારી આપી હતી.
મ્યુ. કમિશ્નર અમિત અરોરાનાં જણાવ્યા અનુસાર, રાજકોટ શહેરમાં અને આજુબાજુના ગામોમાં વરસી રહેલા ભારે વરસાદને પરિણામે, શહેરને પીવાનું પાણી પુરૂ પાડી રહેલા જળાશયોમાં નવા નીરની સારી એવી આવક થઇ છે. ૨૯ ફૂટની ઊંડાઈ ધરાવતા આજી-૧ ડેમની જળ સપાટીમાં વધારો થતા હાલની પાણીની સપાટી ૨૭.૪૫ ફૂટે પહોંચી છે. જ્યારે ૨૫ ફૂટ ઊંડાઈ ધરાવતો ન્યારી-૧ડેમ પાણીની નવી આવકથી છલોછલ ભરાઈ ગયો છે. અને વર્તમાન જળસ્તર ૨૫ ફૂટે પહોંચ્યું છે. આ ઉપરાંત ૩૪ ફૂટની ઊંડાઈ ધરાવતા ભાદર-૧ ડેમમાં નવી જળ રાશી સાથે વર્તમાન સપાટી ૩૦.૨૦ ફૂટે પહોંચી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આજી-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં જળ સપાટીમાં ૭.૬૫ ફૂટનો વધારો. ન્યારી-૧ ડેમમાં ૭.૭૧ ફૂટનો વધારો અને ભાદર-૧ ડેમમાં ૬.૧૦ ફૂટનો વધારો થયો છે. હાલ આજી-૧માં 28 ફેબ્રુઆરી, ન્યારી-1માં 30 એપ્રિલ, અને ભાદર-1માં 31 જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. સાથે જ જરૂર પડ્યે નર્મદાના નીર લાવીને પણ શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવનાર હોવાની ખાતરી પણ તેમણે આપી છે. આમ માત્ર 24 કલાકના વરસાદમાં રાજકોટનું જળસંકટ ટળ્યું છે.