કલ્પચર યોજના, ચેકડેમ રિપેરિંગ, જમીન રિ સર્વે, દિવસનાં લાઈટની અમલવારી, રોઝ-ભૂંડથી પાકને રક્ષણ સહિતના પ્રશ્નોને લઇને કલેક્ટરને આવેદનપત્ર આપવાના હતા
આવેદન આપતા પહેલા 125 ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી
વિવિધ પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોને 100 ટકા ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તેવી સરકારે તાત્કાલિક અમલવારી કરવા માંગ
WatchGujarat. ભારતીય કિસાન સંઘ દ્વારા આજે સમગ્ર સૌરાષ્ટ્રની કલેક્ટર કચેરીઓ ખાતે ખેડૂતોનાં પડતર પ્રશ્નોને લઈને દેખાવો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પણ કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદપત્ર આપી સૂત્રોચ્ચાર સાથે ધરણા કરવામાં આવ્યા હતા. તેમજ કલેક્ટર કેચરીનાં પ્રાંગણમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ધરણા શરૂ કરી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન મંજૂરી વિના ધરણા કરવા બદલ પોલીસ દ્વારા 125 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે.
કિસાન સંઘનાં જણાવ્યા મુજબ કલ્પચર યોજના, ચેકડેમ રિપેરિંગ, જમીન રિ સર્વે, દિવસનાં લાઈટની અમલવારી, રોઝ-ભૂંડથી પાકને રક્ષણ સહિતના પ્રશ્નોને લઇને કલેક્ટરને આવેદનપત્ર આપવાના હતા. જો કે આવેદન આપતા પહેલા 125 ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી છે. બાદમાં કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. જેમાં ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી 60 ટકા લોકો ખેતી આધારિત જીવન નિર્વાહ ચલાવે છે. જ્યારે વિવિધ પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોને 100 ટકા ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તેવી સરકારે તાત્કાલિક અમલવારી કરવી જોઇએ. આ મોંઘવારીમાં ખેડૂતોને સહાય કરવા સહિતની અપીલ કરવામાં આવી છે.
કિસાન સંઘ અનુસાર ખેડૂતોની સમસ્યાઓ
વરસાદની અછત હોવાથી સૌની યોજનાથી સૌરાષ્ટ્રના તમામ ડેમોને જોડીને સિંચાઈ માટે ડેમોને પાણીથી તાત્કાલિક ભરવા.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ઓછા વરસાદવાળા વિસ્તારનો તુરંત જ સર્વે કરીને સહાયની અમલવારી કરવી.
તૂટી ગયેલા ચેકડેમો અને કેનાલો તુરંત જ રિપેરિંગ કરવા તેમજ શક્ય બને તેટલા નવા ચેકડેમો બનાવવા.
જમીનની સર્વે કામગારીમાં થયેલી ભૂલ સુધારી રિ સર્વે કરાવવાની અમે માગ કરીએ છીએ.
ગત વર્ષે નર્મદા ઓવરફ્લો હોવા છતાં પણ સૌરાષ્ટ્રને સિંચાઈ માટે પાણી ન મળ્યું તો તે સૌની યોજના શું કામની? સૌરાષ્ટ્રમાં વરસાદની વારંવાર અનિયમિતતા હોવાથી પાણીના મુખ્ય સોર્સ તરીકે કલ્પસર યોજનાને પુનર્જીવિત કરવા માગણી કરીએ છીએ.
સંયુક્ત ખાતામાં ફક્ત એક ખેડૂતનું રજિસ્ટ્રેશન થાય છે, તે દરેક ખાતેદારોના નામે થવું જોઇએ.
ભૂંડ, રોઝ અને આખલાઓના ત્રાસથી ખેડૂતોને રક્ષણ આપવું જોઈએ
દિવસના લાઈટની જાહેરાત તો કરી છે પરંતુ તેની અમલવારી હજુ સુધી થઈ નથી.
આવેદન આપતા પહેલા 125 ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી
વિવિધ પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોને 100 ટકા ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તેવી સરકારે તાત્કાલિક અમલવારી કરવા માંગ
WatchGujarat. ભારતીય કિસાન સંઘ દ્વારા આજે સમગ્ર સૌરાષ્ટ્રની કલેક્ટર કચેરીઓ ખાતે ખેડૂતોનાં પડતર પ્રશ્નોને લઈને દેખાવો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પણ કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદપત્ર આપી સૂત્રોચ્ચાર સાથે ધરણા કરવામાં આવ્યા હતા. તેમજ કલેક્ટર કેચરીનાં પ્રાંગણમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ધરણા શરૂ કરી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન મંજૂરી વિના ધરણા કરવા બદલ પોલીસ દ્વારા 125 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે.
કિસાન સંઘનાં જણાવ્યા મુજબ કલ્પચર યોજના, ચેકડેમ રિપેરિંગ, જમીન રિ સર્વે, દિવસનાં લાઈટની અમલવારી, રોઝ-ભૂંડથી પાકને રક્ષણ સહિતના પ્રશ્નોને લઇને કલેક્ટરને આવેદનપત્ર આપવાના હતા. જો કે આવેદન આપતા પહેલા 125 ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી છે. બાદમાં કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. જેમાં ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી 60 ટકા લોકો ખેતી આધારિત જીવન નિર્વાહ ચલાવે છે. જ્યારે વિવિધ પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોને 100 ટકા ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તેવી સરકારે તાત્કાલિક અમલવારી કરવી જોઇએ. આ મોંઘવારીમાં ખેડૂતોને સહાય કરવા સહિતની અપીલ કરવામાં આવી છે.
કિસાન સંઘ અનુસાર ખેડૂતોની સમસ્યાઓ
વરસાદની અછત હોવાથી સૌની યોજનાથી સૌરાષ્ટ્રના તમામ ડેમોને જોડીને સિંચાઈ માટે ડેમોને પાણીથી તાત્કાલિક ભરવા.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ઓછા વરસાદવાળા વિસ્તારનો તુરંત જ સર્વે કરીને સહાયની અમલવારી કરવી.
તૂટી ગયેલા ચેકડેમો અને કેનાલો તુરંત જ રિપેરિંગ કરવા તેમજ શક્ય બને તેટલા નવા ચેકડેમો બનાવવા.
ગત વર્ષે નર્મદા ઓવરફ્લો હોવા છતાં પણ સૌરાષ્ટ્રને સિંચાઈ માટે પાણી ન મળ્યું તો તે સૌની યોજના શું કામની? સૌરાષ્ટ્રમાં વરસાદની વારંવાર અનિયમિતતા હોવાથી પાણીના મુખ્ય સોર્સ તરીકે કલ્પસર યોજનાને પુનર્જીવિત કરવા માગણી કરીએ છીએ.
સંયુક્ત ખાતામાં ફક્ત એક ખેડૂતનું રજિસ્ટ્રેશન થાય છે, તે દરેક ખાતેદારોના નામે થવું જોઇએ.
ભૂંડ, રોઝ અને આખલાઓના ત્રાસથી ખેડૂતોને રક્ષણ આપવું જોઈએ
દિવસના લાઈટની જાહેરાત તો કરી છે પરંતુ તેની અમલવારી હજુ સુધી થઈ નથી.