ભારતના એક જાણીતાં અંગ્રેજી અખબાર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં ગ્રામીણ ક્ષેત્રોમાં લૉકડાઉનને કારણે કેવો આર્થિક બોજો આવી પડ્યો છે, એ જાણવાની કોશિશ કરવામાં આવી. ચિંતાજનક વાત એ છે કે, લગભગ ૭૮ ટકા ગ્રામવાસી લૉકડાઉનને કારણે ભયંકર આર્થિક કટોકટીમાં ફસાઈ ચૂક્યા છે. નાની-મોટી ખાદ્યવસ્તુ તથા રોજિંદા વપરાશની ચીજ-વસ્તુ જેમકે, મસાલા વેફર, સાબુ-સોડા વગેરેના ઉપયોગ પર પણ ગ્રામવાસી હાલ કાપ મૂકી રહ્યા છે. ગામડાં ભારતનો પ્રાણ છે. ભારતના મૂળિયા સુધી વ્યાપી ગયેલી આ મંદી આગામી વર્ષોમાં વધુ ભયાનક બનવાના એંધાણ છે.
ગ્રામીણ ભારત અને સમગ્ર દેશ માટે સૌથી મોટી ખુશખબરી એ ગણી શકાય કે, લૉકડાઉન પછી કૃષિ અને તેની સાથે સંકળાયેલા ધંધા ઝડપથી અનલૉક થયા છે. ખેડૂતોએ ધાર્યુ હતું એના કરતા વધારે ગતિ સાથે ધંધાકીય ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે. કૃષિ ઉત્પાદન મામલે આ વર્ષ પ્રમાણમાં મધ્યમ કહી શકાય એવું રહ્યું છે. કપરા સમયમાં ભારતને મળેલું ‘કૃષિપ્રધાન દેશ’નું ટેગ યથાર્થ પૂરવાર થયું છે.
ભારતના જીડીપી આંકમાં જે ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે, તેણે ભારતના ભવિષ્ય અંગે ઘણા સવાલો પેદા કરી દીધા છે. સામાન્યતઃ મેક્રો-ઇકોનોમિક્સના આંકડા કોઈ પણ દેશની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિનો ચિતાર આપવામાં નબળા પૂરવાર થતાં હોય છે, અને એમાં પણ ખાસ કરીને ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં તો આ કામ વધુ મુશ્કેલ છે. એવામાં આ આંકડાને દેશવાસીના અંગત અનુભવ સાથે જોડીને મૂલવવામાં આવે તો કંઈક તથ્ય સામે આવી શકે છે. આ કામ ભારતના એક અગ્રણી મીડિયા હાઉસ દ્વારા થોડા સમય પહેલા હાથ ધરવામાં આવ્યું હતું.
આ ગ્રામીણ સર્વેક્ષણનું તારણ એ નીક્ળ્યું છે કે, ભારતમાં હાલ જીડીપીના આંકડાની સાપેક્ષમાં વિચારીએ તો પરિસ્થિતિ આપણે ધારીએ છીએ એના કરતા ક્યાંય વધુ ગંભીર હોવાની સંભાવના છે. દેશના ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૭૯ જિલ્લાઓમાં તારીખ ૩૦ મે થી શરૂ કરીને ૧૬ જુલાઈ સુધી આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતમાંથી ફક્ત એક કેરળ રાજ્યનો જ સમાવેશ આમાં કરવામાં આવ્યો હતો. જે દરમિયાન જૂન મહિનામાં કુલ ૨૫,૩૭૧ લોકોને કેટલાક ખાસ સવાલો પૂછવામાં આવ્યા હતાં, જેના આધારે નિષ્કર્ષ કાઢવો સંભવ બન્યો છે.
એક હકીકત એવી સામે આવી છે કે લૉકડાઉનના પ્રભાવને કારણે ગ્રામીણ ભારતના મોટાભાગના લોકોની આજીવિકા પર તેની અસર જોવા મળી છે. લગભગ ૭૮ ટકા જેટલા ગ્રામવાસીએ કહ્યું કે એમનું કામકાજ ઠપ્પ થઈ ગયું છે. એમાંના ૪૪ ટકા લોકોએ સ્વીકાર્યુ કે આજીવિકા સાવ છીનવાઈ ગઈ છે, તો બાકીના ૩૪ ટકા લોકોનું કહેવું હતું કે એમના ધંધા-રોજગાર લગભગ ઠપ્પ થવાના આરે છે, એમ કહો ને કે મરવાના વાંકે ચાલી રહ્યા છે.
ગ્રામીણ વિસ્તારોના કુલ ૨૩ ટકા લોકોએ ભારે હ્રદયે સ્વીકાર્યુ કે તેઓ અત્યારે ખૂબ મોટા દેવા વચ્ચે જીવી રહ્યા છે. લૉકડાઉનમાં એમના ખિસ્સા ખાલી થઈ જવાને કારણે એમની પાસે બીજાની પાસેથી પૈસા માંગવા સિવાય અન્ય કોઈ વિકલ્પ શેષ બચ્યો નહોતો. દુઃખદાયક બાબત એ છે કે આમાંના ૭-૮ ટકા લોકો એવા છે, જેમની પરિસ્થિતિ દયનીય છે. તેઓ પોતાની અંગત ચીજ-વસ્તુ જેમકે, ઘરેણાં, ઘડિયાળ, વાહન વેચવા અથવા સામાન ગીરવે મૂકવા માટે મજબૂર થઈ ગયા છે. પોતાની ઘરવખરી વેચીને તેઓ જેમ તેમ ગુજરાન ચલાવી રહ્યા છે.
હકારાત્મક બાબત એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં આટલી ગંભીર આર્થિક કટોકટી આવી હોવા છતાં લૉકડાઉન પછી કૃષિ વિષયક પ્રવૃત્તિઓ ૩.૪ ટકાના દરથી પ્રગતિ કરી રહી છે. લગભગ ૫૮ ટકા ખેડૂતોએ જણાવ્યું કે સરકારે જે ભાવમાં પાક ખરીદવાના વાયદા કર્યા હતાં એ પૂરા થયા છે અને એમને ઝાઝી આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો નથી.
સર્વેમાંના લોકોમાંથી અડધોઅડધ એટલે કે ૪૯ ટકા લોકોએ કહ્યું કે તેઓએ એમની મૂળભૂત ખાદ્ય જરૂરિયાતો જેમકે દાળ, ચોખા, ઘઉં અને અનાજના ખર્ચ મોટો કાપ મૂકી દીધો છે. જ્યારે અન્ય ૬૩ ટકા ગ્રામવાસીનું કહેવું છે કે એમણે બિસ્કીટ, નમકીન, મિઠાઈ પર મોટો કાપ મૂક્યો છે. આ બધાની વચ્ચે રોજિંદા વપરાશની ચીજ-વસ્તુઓ જેમકે સાબુ-શેમ્પુ વગેરે પર કાપ મૂકનાર વર્ગની ટકાવારી અંદાજે ૫૬ છે.
આજે ભલે મોટાભાગનો દેશ અનલૉક થઈ ગયો હોય, પરંતુ કમનસીબી એ છે કે ગ્રામીણ વિસ્તારના લોકો હજુ પણ મહિનાઓ સુધી કરકસરયુક્ત જીવન જીવવાનો નિર્ણય કરી ચૂક્યા છે. અડધાથી પણ વધારે ગ્રામવાસી કહે છે કે અનલૉક ફેઝમાં તેઓ કમાણી પર વધુ ધ્યાન આપી રહ્યા છે અને ખર્ચ સતત ઘટાડી રહ્યા છે. સરકારે ગરીબોને તો ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપી, પરંતુ મધ્યમવર્ગનું શું? અમીર વર્ગને તો આમ પણ કશાયની જરૂર નથી. પરંતુ રોજનું કમાઈને રોજનું ખાનાર અને પોતાના પરિવારનું પેટ ભરનાર એ સામાન્ય નોકરિયાત માણસનું શું? એના માટે ઉદાર હાથે રાહત કાર્યો ક્યારે હાથ ધરવામાં આવશે? છે કોઈ જવાબ સરકાર પાસે?
અત્યારના સમયની તાતી જરૂરિયાત એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ગામડાંના લોકો સુધી વધુમાં વધુ આર્થિક રાહત પહોંચાડનારા પગલાં લેવાનું કામ કરે. કૃષિ અને તેને સંબંધી અન્ય ઉદ્યોગોનો વિકાસ આ તબક્કે અત્યંત જરૂરી છે. વિશ્વના અલગ અલગ દેશોની આર્થિક કરોડરજ્જુ જુદી જુદી હોય છે. દાખલા તરીકે યુનાઇટેડ આરબ એમિરાટ્સના દેશો ટુરિઝમ પર નિર્ભર કરે છે. બીજી બાજુ સાઉદી દેશો પાસે ક્રુડ તેલનો મોટો ભંડાર છે, જેના આધારે એમની ઈકોનોમીને સધિયારો મળે છે. એવી જ રીતે, ભારતના અર્થતંત્રની કમર ખેતી ગણાવી શકાય. સમય આવી ગયો છે, જ્યારે ખેતીને અર્થવ્યવસ્થાનો મુખ્ય પાયો ગણીને રાહતકાર્યો હાથ ધરવામાં આવે.
સર્વેક્ષણમાં સામે આવેલી વિગત મુજબ, ગ્રામવાસીઓનું કહેવું છે કે લૉકડાઉન પહેલાંથી જ તેઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો હતો. દસમાંથી છ (એટલે કે ૬૦ ટકા) લોકોએ કહ્યું કે લૉકડાઉન પછી એમની રોજિંદા વપરાશની ચીજ-વસ્તુઓ ખરીદવામાં પણ હવે ફાંફા પડી રહ્યા છે. બીજી બાજુ, ૭૨
ભારતના એક જાણીતાં અંગ્રેજી અખબાર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં ગ્રામીણ ક્ષેત્રોમાં લૉકડાઉનને કારણે કેવો આર્થિક બોજો આવી પડ્યો છે, એ જાણવાની કોશિશ કરવામાં આવી. ચિંતાજનક વાત એ છે કે, લગભગ ૭૮ ટકા ગ્રામવાસી લૉકડાઉનને કારણે ભયંકર આર્થિક કટોકટીમાં ફસાઈ ચૂક્યા છે. નાની-મોટી ખાદ્યવસ્તુ તથા રોજિંદા વપરાશની ચીજ-વસ્તુ જેમકે, મસાલા વેફર, સાબુ-સોડા વગેરેના ઉપયોગ પર પણ ગ્રામવાસી હાલ કાપ મૂકી રહ્યા છે. ગામડાં ભારતનો પ્રાણ છે. ભારતના મૂળિયા સુધી વ્યાપી ગયેલી આ મંદી આગામી વર્ષોમાં વધુ ભયાનક બનવાના એંધાણ છે.
ગ્રામીણ ભારત અને સમગ્ર દેશ માટે સૌથી મોટી ખુશખબરી એ ગણી શકાય કે, લૉકડાઉન પછી કૃષિ અને તેની સાથે સંકળાયેલા ધંધા ઝડપથી અનલૉક થયા છે. ખેડૂતોએ ધાર્યુ હતું એના કરતા વધારે ગતિ સાથે ધંધાકીય ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે. કૃષિ ઉત્પાદન મામલે આ વર્ષ પ્રમાણમાં મધ્યમ કહી શકાય એવું રહ્યું છે. કપરા સમયમાં ભારતને મળેલું ‘કૃષિપ્રધાન દેશ’નું ટેગ યથાર્થ પૂરવાર થયું છે.
ભારતના જીડીપી આંકમાં જે ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે, તેણે ભારતના ભવિષ્ય અંગે ઘણા સવાલો પેદા કરી દીધા છે. સામાન્યતઃ મેક્રો-ઇકોનોમિક્સના આંકડા કોઈ પણ દેશની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિનો ચિતાર આપવામાં નબળા પૂરવાર થતાં હોય છે, અને એમાં પણ ખાસ કરીને ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં તો આ કામ વધુ મુશ્કેલ છે. એવામાં આ આંકડાને દેશવાસીના અંગત અનુભવ સાથે જોડીને મૂલવવામાં આવે તો કંઈક તથ્ય સામે આવી શકે છે. આ કામ ભારતના એક અગ્રણી મીડિયા હાઉસ દ્વારા થોડા સમય પહેલા હાથ ધરવામાં આવ્યું હતું.
આ ગ્રામીણ સર્વેક્ષણનું તારણ એ નીક્ળ્યું છે કે, ભારતમાં હાલ જીડીપીના આંકડાની સાપેક્ષમાં વિચારીએ તો પરિસ્થિતિ આપણે ધારીએ છીએ એના કરતા ક્યાંય વધુ ગંભીર હોવાની સંભાવના છે. દેશના ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૭૯ જિલ્લાઓમાં તારીખ ૩૦ મે થી શરૂ કરીને ૧૬ જુલાઈ સુધી આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતમાંથી ફક્ત એક કેરળ રાજ્યનો જ સમાવેશ આમાં કરવામાં આવ્યો હતો. જે દરમિયાન જૂન મહિનામાં કુલ ૨૫,૩૭૧ લોકોને કેટલાક ખાસ સવાલો પૂછવામાં આવ્યા હતાં, જેના આધારે નિષ્કર્ષ કાઢવો સંભવ બન્યો છે.
એક હકીકત એવી સામે આવી છે કે લૉકડાઉનના પ્રભાવને કારણે ગ્રામીણ ભારતના મોટાભાગના લોકોની આજીવિકા પર તેની અસર જોવા મળી છે. લગભગ ૭૮ ટકા જેટલા ગ્રામવાસીએ કહ્યું કે એમનું કામકાજ ઠપ્પ થઈ ગયું છે. એમાંના ૪૪ ટકા લોકોએ સ્વીકાર્યુ કે આજીવિકા સાવ છીનવાઈ ગઈ છે, તો બાકીના ૩૪ ટકા લોકોનું કહેવું હતું કે એમના ધંધા-રોજગાર લગભગ ઠપ્પ થવાના આરે છે, એમ કહો ને કે મરવાના વાંકે ચાલી રહ્યા છે.
ગ્રામીણ વિસ્તારોના કુલ ૨૩ ટકા લોકોએ ભારે હ્રદયે સ્વીકાર્યુ કે તેઓ અત્યારે ખૂબ મોટા દેવા વચ્ચે જીવી રહ્યા છે. લૉકડાઉનમાં એમના ખિસ્સા ખાલી થઈ જવાને કારણે એમની પાસે બીજાની પાસેથી પૈસા માંગવા સિવાય અન્ય કોઈ વિકલ્પ શેષ બચ્યો નહોતો. દુઃખદાયક બાબત એ છે કે આમાંના ૭-૮ ટકા લોકો એવા છે, જેમની પરિસ્થિતિ દયનીય છે. તેઓ પોતાની અંગત ચીજ-વસ્તુ જેમકે, ઘરેણાં, ઘડિયાળ, વાહન વેચવા અથવા સામાન ગીરવે મૂકવા માટે મજબૂર થઈ ગયા છે. પોતાની ઘરવખરી વેચીને તેઓ જેમ તેમ ગુજરાન ચલાવી રહ્યા છે.
હકારાત્મક બાબત એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં આટલી ગંભીર આર્થિક કટોકટી આવી હોવા છતાં લૉકડાઉન પછી કૃષિ વિષયક પ્રવૃત્તિઓ ૩.૪ ટકાના દરથી પ્રગતિ કરી રહી છે. લગભગ ૫૮ ટકા ખેડૂતોએ જણાવ્યું કે સરકારે જે ભાવમાં પાક ખરીદવાના વાયદા કર્યા હતાં એ પૂરા થયા છે અને એમને ઝાઝી આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો નથી.
સર્વેમાંના લોકોમાંથી અડધોઅડધ એટલે કે ૪૯ ટકા લોકોએ કહ્યું કે તેઓએ એમની મૂળભૂત ખાદ્ય જરૂરિયાતો જેમકે દાળ, ચોખા, ઘઉં અને અનાજના ખર્ચ મોટો કાપ મૂકી દીધો છે. જ્યારે અન્ય ૬૩ ટકા ગ્રામવાસીનું કહેવું છે કે એમણે બિસ્કીટ, નમકીન, મિઠાઈ પર મોટો કાપ મૂક્યો છે. આ બધાની વચ્ચે રોજિંદા વપરાશની ચીજ-વસ્તુઓ જેમકે સાબુ-શેમ્પુ વગેરે પર કાપ મૂકનાર વર્ગની ટકાવારી અંદાજે ૫૬ છે.
આજે ભલે મોટાભાગનો દેશ અનલૉક થઈ ગયો હોય, પરંતુ કમનસીબી એ છે કે ગ્રામીણ વિસ્તારના લોકો હજુ પણ મહિનાઓ સુધી કરકસરયુક્ત જીવન જીવવાનો નિર્ણય કરી ચૂક્યા છે. અડધાથી પણ વધારે ગ્રામવાસી કહે છે કે અનલૉક ફેઝમાં તેઓ કમાણી પર વધુ ધ્યાન આપી રહ્યા છે અને ખર્ચ સતત ઘટાડી રહ્યા છે. સરકારે ગરીબોને તો ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપી, પરંતુ મધ્યમવર્ગનું શું? અમીર વર્ગને તો આમ પણ કશાયની જરૂર નથી. પરંતુ રોજનું કમાઈને રોજનું ખાનાર અને પોતાના પરિવારનું પેટ ભરનાર એ સામાન્ય નોકરિયાત માણસનું શું? એના માટે ઉદાર હાથે રાહત કાર્યો ક્યારે હાથ ધરવામાં આવશે? છે કોઈ જવાબ સરકાર પાસે?
અત્યારના સમયની તાતી જરૂરિયાત એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ગામડાંના લોકો સુધી વધુમાં વધુ આર્થિક રાહત પહોંચાડનારા પગલાં લેવાનું કામ કરે. કૃષિ અને તેને સંબંધી અન્ય ઉદ્યોગોનો વિકાસ આ તબક્કે અત્યંત જરૂરી છે. વિશ્વના અલગ અલગ દેશોની આર્થિક કરોડરજ્જુ જુદી જુદી હોય છે. દાખલા તરીકે યુનાઇટેડ આરબ એમિરાટ્સના દેશો ટુરિઝમ પર નિર્ભર કરે છે. બીજી બાજુ સાઉદી દેશો પાસે ક્રુડ તેલનો મોટો ભંડાર છે, જેના આધારે એમની ઈકોનોમીને સધિયારો મળે છે. એવી જ રીતે, ભારતના અર્થતંત્રની કમર ખેતી ગણાવી શકાય. સમય આવી ગયો છે, જ્યારે ખેતીને અર્થવ્યવસ્થાનો મુખ્ય પાયો ગણીને રાહતકાર્યો હાથ ધરવામાં આવે.
સર્વેક્ષણમાં સામે આવેલી વિગત મુજબ, ગ્રામવાસીઓનું કહેવું છે કે લૉકડાઉન પહેલાંથી જ તેઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો હતો. દસમાંથી છ (એટલે કે ૬૦ ટકા) લોકોએ કહ્યું કે લૉકડાઉન પછી એમની રોજિંદા વપરાશની ચીજ-વસ્તુઓ ખરીદવામાં પણ હવે ફાંફા પડી રહ્યા છે. બીજી બાજુ, ૭૨