(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
ભારતે સફળતાપૂર્વક મંગળયાનને મંગળની ભમ્રણકક્ષામાં મૂકી દીધું છે, તે બદલ ભારતના વેજ્ઞાનિકો ભારે અભિનંદનને પાત્ર છે. ભારત મંગળ પર યાન ઊતારનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે.
ભારતના વેજ્ઞાનિકો મંગળ પર મિથેન વાયુનો અભ્યાસ કરી મંગળ ઉપર ક્યારેક જીવન હતું કે નહીં તે તપાસવાના છે.
દુનિયાભરના વેજ્ઞાનિકોને પૃથ્વી સિવાય કયાંય પણ જીવન હોય તો તે શોધી કાઢવું છે. અને આ પરગ્રહવાસીઓ સાથે હલ્લો-હાય કરવું છે.
જ્યારે-જ્યારે આવા સમાચારો વાંચું છું કે દુનિયાના વૈજ્ઞાનિકો અન્ય ગ્રહો પર જીવનની સંભાવનાઓ તપાસી રહ્યા છે, ત્યારે શબ્દશઃ હસવું આવે છે.
શું સૂર્ય અને ચંદ્રની રચના કુદરતે માણસ માટે કરી છે? સૂર્ય શું પૃથ્વી માટે ટ્યુબલાઇટ તરીકે લટકાવ્યો છે? ચંદ્ર શું નાઇટલેમ્પ છે? આકાશમાં દેખાતા તારા શું આકાશને શોભાયમાન કરવા ઈશ્વરે બનાવ્યા છે?
મને કહેવા દો કે, સૂર્ય એ આપણી ટ્યુબલાઈટ નથી એ આપણને પ્રકાશ આપવા કે આપણું જીવન ટકાવી રાખવા ભગવાને નથી લટકાવ્યો, કે ના એણે ચંદ્રને માત્ર દરિયામાં ભરતી-ઓટ લાવવા મૂક્યો છે.
કોપરનિક્સ પહેલાના વેજ્ઞાનિકો અને વિચારકો માનતા કે પૃથ્વી બ્રહ્માંડનું કેંદ્ર છે. બધું પૃથ્વીની આસપાસ ફરે છે. ખગોળશાસ્ત્રીઓએ તો હવે સ્વીકારી લીધું કે પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર નથી અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, પરંતુ બીજા અર્થમાં હજુ વેજ્ઞાનિકો કોપરનિક્સ પહેલાંના જમાનામાં જ જીવી રહ્યા છે. તેઓ માને છે કે સમગ્ર બ્રહ્માંડમાં જે કાંઈ છે તે મનુષ્ય માટે જ છે. સૂર્ય પણ સૂર્યલોક છે. ત્યાં પણ વસ્તી-સમાજ અને સંચાર છે, ત્યાં પણ જીવો જીવી રહ્યા છે, ત્યાં પણ જીવન છે. દુનિયામાં જો ૫૦ ડીગ્રી ઠંડીથી લઈને ૫૦ ડીગ્રી ગરમીમાં જીવન શક્ય હોય તો પછી સૂર્યના ૨,૦૦૦ સેલ્સિયસથી ૨૦,૦૦૦ સેલ્સિયસ સુધીનાં તાપમાનમાં જીવી શકતા જીવો કેમ ના હોઈ શકે?
પૃથ્વી પર પંચતત્ત્વોના બનેલા જીવ છે. જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ અને આકાશ. તો સૂર્ય પર વાયુ, અગ્નિ અને આકાશ ત્રણ તત્ત્વોના બનેલા જીવો કેમ ના હોઈ શકે? માત્ર આ ત્રણ તત્ત્વોના બનેલા જીવો આ ગરમીમાં પણ જીવી શકે.
માટે દરેક ગ્રહ પર પૃથ્વી અને માણસના નિયમો લાગુ પાડીને ત્યાં જીવન હોઈ જ ના શકે તેવા નિર્ણય પર આવવું વૈજ્ઞાનિક મૂર્ખતા છે.
આપણું વિજ્ઞાન પણ કહે છે કે આપણે અમુક આવૃત્તિથી વધુ કે અમુક આવૃત્તિથી ઓછા અવાજો સાંભળી શકતાં નથી. તેવી જ રીતે આંખની પણ એક મર્યાદા છે. મર્યાદાની બહારની સૂક્ષ્મ કે વિરાટ વસ્તુ આંખ જોઈ શકે નહીં, તેમ છતાં કાન-આંખ ના જોઈ શકે તેવા અવાજો અને વસ્તુ અસ્તિત્વ ધરાવે છે.
તો મંગળના મિથેન વાયુમાં જીવતું જીવન પણ હોઈ શકે છે. આપણે જીવવા માટે પ્રાણવાયુ વાપરીએ છીએ, એમ અંગારવાયુ, મિથેન કે હિલિયમમાં જીવતાં અથવા પૃથ્વી પર ન હોય તેવા વાયુમાં કે વાયુ વગર પણ જીવતા જીવ હોઈ શકે છે તેવી સંભાવનાઓ શા માટે નકારી કાઢવામાં આવે છે?
આપણે થ્રી ડાયમેન્શનવાળી સૃષ્ટિમાં રહીએ છીએ. આપણે બે ડાયમેન્શન કે તેથી ઓછી ડાયમેન્શન વાળી વસ્તુને નારી આંખે જોઈ શકતાં નથી કે થ્રી ડાયમેન્શનથી વધુ ડાયમેન્શનવાળી વસ્તુ જોઈ શકતાં નથી આથી એવું પણ બને કે આપણી થ્રી ડાયમેન્શન પૃથ્વીની સાથે-સાથે કોઈ પાંચ ડાયમેન્શન કે આઠ ડાયમેન્શન વાળી પૃથ્વી સહ અસ્તિત્વ ધરાવતી હોય. પૃથ્વી પર જ્યાં આપણું ઘર છે ત્યાં ૬ ડાયમેન્શનવાળી પૃથ્વીનો મહાસાગર આવેલો હોય અને આપણાં ઘરમાંથી આઠ ડાયમેન્શન વાળી પૃથ્વીનો હાઇવે પસાર થતો હોય અને દર મિનિટે આઠ ડાયમેન્શનવાળી કાર આપણી ઉપરથી પસાર થઈ રહી હોય.
આમ, આખાં બ્રહ્માંડમાં બીજા ગ્રહ કે ઉપગ્રહ પર સજીવ સૃષ્ટિની શોધ-ખોળ કરવાનો પ્રયત્ન મૂર્ખતાપૂર્ણ છે, જેને વૈજ્ઞાનિકો બ્રહ્માંડમાં ખાલી જગ્યા તરીકે જુએ છે તે ખાલી જગ્યામાં પણ અનેક પ્રકારની સૃષ્ટિઓ વસતી હોય તેમ બને પણ ખરું. જે ઈશ્વર કીડીને છઠ્ઠાથી સાતમો વધારાનો પગ આપતો નથી તે કંજૂસ ભગવાન આટલા બધા તારા, ગ્રહો અને ઉપગ્રહો અને તે બધા વચ્ચેની અનંત જેવી ખાલી જગ્યાઓ કોઈ કારણ વગર તો બનાવે નહીં. બ્રહ્માંડમાં અત્ર-તત્ર-સર્વત્ર સૃષ્ટિઓ છે અને દરેક જગ્યાએ સજીવ સૃષ્ટિ છે બસ એ સૃષ્ટિ આપણી કલ્પના મુજબની ના પણ હોય તો શું થયું?
(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
ભારતે સફળતાપૂર્વક મંગળયાનને મંગળની ભમ્રણકક્ષામાં મૂકી દીધું છે, તે બદલ ભારતના વેજ્ઞાનિકો ભારે અભિનંદનને પાત્ર છે. ભારત મંગળ પર યાન ઊતારનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે.
ભારતના વેજ્ઞાનિકો મંગળ પર મિથેન વાયુનો અભ્યાસ કરી મંગળ ઉપર ક્યારેક જીવન હતું કે નહીં તે તપાસવાના છે.
દુનિયાભરના વેજ્ઞાનિકોને પૃથ્વી સિવાય કયાંય પણ જીવન હોય તો તે શોધી કાઢવું છે. અને આ પરગ્રહવાસીઓ સાથે હલ્લો-હાય કરવું છે.
જ્યારે-જ્યારે આવા સમાચારો વાંચું છું કે દુનિયાના વૈજ્ઞાનિકો અન્ય ગ્રહો પર જીવનની સંભાવનાઓ તપાસી રહ્યા છે, ત્યારે શબ્દશઃ હસવું આવે છે.
શું સૂર્ય અને ચંદ્રની રચના કુદરતે માણસ માટે કરી છે? સૂર્ય શું પૃથ્વી માટે ટ્યુબલાઇટ તરીકે લટકાવ્યો છે? ચંદ્ર શું નાઇટલેમ્પ છે? આકાશમાં દેખાતા તારા શું આકાશને શોભાયમાન કરવા ઈશ્વરે બનાવ્યા છે?
મને કહેવા દો કે, સૂર્ય એ આપણી ટ્યુબલાઈટ નથી એ આપણને પ્રકાશ આપવા કે આપણું જીવન ટકાવી રાખવા ભગવાને નથી લટકાવ્યો, કે ના એણે ચંદ્રને માત્ર દરિયામાં ભરતી-ઓટ લાવવા મૂક્યો છે.
કોપરનિક્સ પહેલાના વેજ્ઞાનિકો અને વિચારકો માનતા કે પૃથ્વી બ્રહ્માંડનું કેંદ્ર છે. બધું પૃથ્વીની આસપાસ ફરે છે. ખગોળશાસ્ત્રીઓએ તો હવે સ્વીકારી લીધું કે પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર નથી અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, પરંતુ બીજા અર્થમાં હજુ વેજ્ઞાનિકો કોપરનિક્સ પહેલાંના જમાનામાં જ જીવી રહ્યા છે. તેઓ માને છે કે સમગ્ર બ્રહ્માંડમાં જે કાંઈ છે તે મનુષ્ય માટે જ છે. સૂર્ય પણ સૂર્યલોક છે. ત્યાં પણ વસ્તી-સમાજ અને સંચાર છે, ત્યાં પણ જીવો જીવી રહ્યા છે, ત્યાં પણ જીવન છે. દુનિયામાં જો ૫૦ ડીગ્રી ઠંડીથી લઈને ૫૦ ડીગ્રી ગરમીમાં જીવન શક્ય હોય તો પછી સૂર્યના ૨,૦૦૦ સેલ્સિયસથી ૨૦,૦૦૦ સેલ્સિયસ સુધીનાં તાપમાનમાં જીવી શકતા જીવો કેમ ના હોઈ શકે?
પૃથ્વી પર પંચતત્ત્વોના બનેલા જીવ છે. જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ અને આકાશ. તો સૂર્ય પર વાયુ, અગ્નિ અને આકાશ ત્રણ તત્ત્વોના બનેલા જીવો કેમ ના હોઈ શકે? માત્ર આ ત્રણ તત્ત્વોના બનેલા જીવો આ ગરમીમાં પણ જીવી શકે.
માટે દરેક ગ્રહ પર પૃથ્વી અને માણસના નિયમો લાગુ પાડીને ત્યાં જીવન હોઈ જ ના શકે તેવા નિર્ણય પર આવવું વૈજ્ઞાનિક મૂર્ખતા છે.
આપણું વિજ્ઞાન પણ કહે છે કે આપણે અમુક આવૃત્તિથી વધુ કે અમુક આવૃત્તિથી ઓછા અવાજો સાંભળી શકતાં નથી. તેવી જ રીતે આંખની પણ એક મર્યાદા છે. મર્યાદાની બહારની સૂક્ષ્મ કે વિરાટ વસ્તુ આંખ જોઈ શકે નહીં, તેમ છતાં કાન-આંખ ના જોઈ શકે તેવા અવાજો અને વસ્તુ અસ્તિત્વ ધરાવે છે.
તો મંગળના મિથેન વાયુમાં જીવતું જીવન પણ હોઈ શકે છે. આપણે જીવવા માટે પ્રાણવાયુ વાપરીએ છીએ, એમ અંગારવાયુ, મિથેન કે હિલિયમમાં જીવતાં અથવા પૃથ્વી પર ન હોય તેવા વાયુમાં કે વાયુ વગર પણ જીવતા જીવ હોઈ શકે છે તેવી સંભાવનાઓ શા માટે નકારી કાઢવામાં આવે છે?
આપણે થ્રી ડાયમેન્શનવાળી સૃષ્ટિમાં રહીએ છીએ. આપણે બે ડાયમેન્શન કે તેથી ઓછી ડાયમેન્શન વાળી વસ્તુને નારી આંખે જોઈ શકતાં નથી કે થ્રી ડાયમેન્શનથી વધુ ડાયમેન્શનવાળી વસ્તુ જોઈ શકતાં નથી આથી એવું પણ બને કે આપણી થ્રી ડાયમેન્શન પૃથ્વીની સાથે-સાથે કોઈ પાંચ ડાયમેન્શન કે આઠ ડાયમેન્શન વાળી પૃથ્વી સહ અસ્તિત્વ ધરાવતી હોય. પૃથ્વી પર જ્યાં આપણું ઘર છે ત્યાં ૬ ડાયમેન્શનવાળી પૃથ્વીનો મહાસાગર આવેલો હોય અને આપણાં ઘરમાંથી આઠ ડાયમેન્શન વાળી પૃથ્વીનો હાઇવે પસાર થતો હોય અને દર મિનિટે આઠ ડાયમેન્શનવાળી કાર આપણી ઉપરથી પસાર થઈ રહી હોય.
આમ, આખાં બ્રહ્માંડમાં બીજા ગ્રહ કે ઉપગ્રહ પર સજીવ સૃષ્ટિની શોધ-ખોળ કરવાનો પ્રયત્ન મૂર્ખતાપૂર્ણ છે, જેને વૈજ્ઞાનિકો બ્રહ્માંડમાં ખાલી જગ્યા તરીકે જુએ છે તે ખાલી જગ્યામાં પણ અનેક પ્રકારની સૃષ્ટિઓ વસતી હોય તેમ બને પણ ખરું. જે ઈશ્વર કીડીને છઠ્ઠાથી સાતમો વધારાનો પગ આપતો નથી તે કંજૂસ ભગવાન આટલા બધા તારા, ગ્રહો અને ઉપગ્રહો અને તે બધા વચ્ચેની અનંત જેવી ખાલી જગ્યાઓ કોઈ કારણ વગર તો બનાવે નહીં. બ્રહ્માંડમાં અત્ર-તત્ર-સર્વત્ર સૃષ્ટિઓ છે અને દરેક જગ્યાએ સજીવ સૃષ્ટિ છે બસ એ સૃષ્ટિ આપણી કલ્પના મુજબની ના પણ હોય તો શું થયું?