(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
બીજા વિશ્વયુદ્ધમાં એક નાનકડો ટાપુ. બ્રિટિશરોનો એની ઉપર કબજો હતો અને એક બોટમાં ૨૫-૩૦ જર્મનો અચાનક ચઢી આવ્યા. જર્મનોએ આ અઢાર-વીસ બ્રીટીશ સૈનિકોને પકડી લીધા, યુદ્ધ કેદી બનાવી દીધા. એક જ ટાપુમાં બધા સાથે રહેવા માંડ્યા એટ્લે, સંબંધો પણ સારા થઈ ગયા.
જર્મન ટુકડીના કેપ્ટને બ્રિટિશરોને કીધું કે, “હું તમને જર્મની મોકલીશ તો તમને મારી જ નાખવામાં આવશે, એ નક્કી છે. હવે બચવું હોય તો એક કામ કરી બતાવો.”
“શું?”
“સામે જે ઓકનું ઝાડ છે, એ બારસો-પંદરસો વર્ષ જીવે. આ ઝાડને અડક્યા વગર આ ઝાડને સૂકવી દો તો તમને નાસી જવા દઉં.” એટલે બધા બ્રિટિશરો હસ્યા, અને કહે, “આ તો મારી નાખવાની જ વાત છે.”
બ્રિટિશરોનો જે કેપ્ટન હતો એ બધાને બાજુ પર લઈ ગયો. તમારાં જે બાળ-બચ્ચાં છે, પત્ની છે, ઘરડાં મા-બાપ છે, જેમના માટે તમારી જવાબદારી છે. આજે રાતે ઊંઘ્યા વગર તમે એને યાદ કરજો, તમારી જવાબદારીઓ અને પ્રેમાળ સંબંધોને યાદ કરજો અને પછી સવારે આપણે મળીએ છીએ.
સવારે બધા આવ્યા એટલે કેપ્ટને કહ્યું, “તમે જેમને આટલો બધો પ્રેમ કરો છો એમને મળવું હોય તો આપણે આ ઝાડ સૂકવી દઈએ.” સૈનિકો કહે “પણ આ ઓકનું ઝાડ હજુ તો હજાર વર્ષ જીવશે, તે સૂકાસે નહીં અને આપણે છૂટીસું નહીં.”
કેપ્ટન કહે “આપણી જે કોટડી છે ત્યાથી આ ઝાડ દેખાય છે?”
“હા”
“તો આપણે આપણી કોટડીમાં બેસી જાવ. અને ઝાડને જોતાં જય મનમાં વિચાર કરવા માંડો કે, હે ઓકના ઝાડ તું સૂકાઈ જા, તું સૂકાઈ જા, તું સૂકાઈ જા.”
સૈનિકો કહે, “સાહેબ, આવું વિચારવાથી શું થાય? એમ કંઈ ઝાડ સૂકાતું હશે? આ ઝાડ તો જુઓ, કેટલું મોટું ઝાડ છે.”
કેપ્ટને કહ્યું, “તમે મારી વાત પર વિશ્વાસ રાખો અને તમારે જેને મળવું છે, એને મળવું જ છે એમ નક્કી કરીને ઝાડને સૂકવી દેવાનું છે તેવો પાકો સંકલ્પ કરી વિચાર કરવા બેસી જાવ. દલીલો ન કરશો, કામ પર લાગી જાવ.”
એટલે લશ્કરી શિસ્તથી બધા બ્રિટિશ સૈનિકો કોટડીમાં બેસી ગયા અને ઝાડને કહેવા લાગ્યા કે, હે ઝાડ તું સૂકાઈ જા. શરૂઆતમાં તો ઉપરછલ્લું કહેવાતુ’તું, મોઢેથી કહેવાતુ’તું, એક દિવસ, બે દિવસ. પેલા જર્મનો ત્યાંથી હસતાં-હસતાં જાય અને હસતાં-હસતાં આવે.
અઠવાડિયાં-દસ દિવસ પછી સૈનિકોને અંદરથી થવા માંડ્યું કે હવે હું બોલતો નથી, અંદરથી રણકાર થવા માંડ્યો છે કે, “ઝાડ, તું સૂકાઈ જા, ઝાડ, તું સૂકાઈ જા.” બસ એ લોકો દિવસ રાત આ જાપ જપવા માંડ્યા.
મહિનો થયો એટલે પેલા જર્મન કેપ્ટનની ઝાડ પર નજર ગઈ તો જોયું કે એક ડાળ સૂકાઈ ગયેલી અને તેના બધા જ પાંદડા ખરી પડેલા.”
બે મહિના થયા. ધીરે-ધીરે બીજી ડાળીઓ સૂકાવા માંડી. ચાર મહિના થયા અને આખા ઝાડના પાંદડાં ખરી ગયાં. એટલે જર્મન કેપ્ટને બ્રિટશ સૈનિકોને કહ્યું, “જુઓ. હવે અમારે ત્યાંથી મોટું જહાજ આવે તે પહેલા અમારી બોટ લઈ તમે નાસી જાવ. આટલું પૂરતું છે કે તમે બધાએ આટલા મોટાં ઝાડનાં બધાં પાંડદાં ખેરવી નાખ્યાં. અને તે પણ અડક્યા વગર, ખાલી ઇચ્છાશક્તિથી. તો મારા તરફથી ભેટ સમજો અને મારી બોટ લઈ રાત્રે નાસી જાવ.”
અને એ છૂટ્યા. અને એમણે આ વાત લખી અને લખ્યું કે “અમે છૂટ્યા.કારણ કે, અમે મરણિયા થઈને જીવવા માંગતા હતા આ ઇચ્છાશક્તિનો,સામૂહિક ઇચ્છાશક્તિનો વિજય હતો.
એટલે મારી વાત એ છે કે અઢાર-ઓગણીસ જણ ઓકના ઝાડને સૂકવી દે, તો આપણે અઢાર-ઓગણીસ સાહિત્યપ્રેમીઓ ગુજરાતી સાહિત્ય માટે ઘણું કરી શકીએ.
(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
બીજા વિશ્વયુદ્ધમાં એક નાનકડો ટાપુ. બ્રિટિશરોનો એની ઉપર કબજો હતો અને એક બોટમાં ૨૫-૩૦ જર્મનો અચાનક ચઢી આવ્યા. જર્મનોએ આ અઢાર-વીસ બ્રીટીશ સૈનિકોને પકડી લીધા, યુદ્ધ કેદી બનાવી દીધા. એક જ ટાપુમાં બધા સાથે રહેવા માંડ્યા એટ્લે, સંબંધો પણ સારા થઈ ગયા.
જર્મન ટુકડીના કેપ્ટને બ્રિટિશરોને કીધું કે, “હું તમને જર્મની મોકલીશ તો તમને મારી જ નાખવામાં આવશે, એ નક્કી છે. હવે બચવું હોય તો એક કામ કરી બતાવો.”
“શું?”
“સામે જે ઓકનું ઝાડ છે, એ બારસો-પંદરસો વર્ષ જીવે. આ ઝાડને અડક્યા વગર આ ઝાડને સૂકવી દો તો તમને નાસી જવા દઉં.” એટલે બધા બ્રિટિશરો હસ્યા, અને કહે, “આ તો મારી નાખવાની જ વાત છે.”
બ્રિટિશરોનો જે કેપ્ટન હતો એ બધાને બાજુ પર લઈ ગયો. તમારાં જે બાળ-બચ્ચાં છે, પત્ની છે, ઘરડાં મા-બાપ છે, જેમના માટે તમારી જવાબદારી છે. આજે રાતે ઊંઘ્યા વગર તમે એને યાદ કરજો, તમારી જવાબદારીઓ અને પ્રેમાળ સંબંધોને યાદ કરજો અને પછી સવારે આપણે મળીએ છીએ.
સવારે બધા આવ્યા એટલે કેપ્ટને કહ્યું, “તમે જેમને આટલો બધો પ્રેમ કરો છો એમને મળવું હોય તો આપણે આ ઝાડ સૂકવી દઈએ.” સૈનિકો કહે “પણ આ ઓકનું ઝાડ હજુ તો હજાર વર્ષ જીવશે, તે સૂકાસે નહીં અને આપણે છૂટીસું નહીં.”
કેપ્ટન કહે “આપણી જે કોટડી છે ત્યાથી આ ઝાડ દેખાય છે?”
“હા”
“તો આપણે આપણી કોટડીમાં બેસી જાવ. અને ઝાડને જોતાં જય મનમાં વિચાર કરવા માંડો કે, હે ઓકના ઝાડ તું સૂકાઈ જા, તું સૂકાઈ જા, તું સૂકાઈ જા.”
સૈનિકો કહે, “સાહેબ, આવું વિચારવાથી શું થાય? એમ કંઈ ઝાડ સૂકાતું હશે? આ ઝાડ તો જુઓ, કેટલું મોટું ઝાડ છે.”
કેપ્ટને કહ્યું, “તમે મારી વાત પર વિશ્વાસ રાખો અને તમારે જેને મળવું છે, એને મળવું જ છે એમ નક્કી કરીને ઝાડને સૂકવી દેવાનું છે તેવો પાકો સંકલ્પ કરી વિચાર કરવા બેસી જાવ. દલીલો ન કરશો, કામ પર લાગી જાવ.”
એટલે લશ્કરી શિસ્તથી બધા બ્રિટિશ સૈનિકો કોટડીમાં બેસી ગયા અને ઝાડને કહેવા લાગ્યા કે, હે ઝાડ તું સૂકાઈ જા. શરૂઆતમાં તો ઉપરછલ્લું કહેવાતુ’તું, મોઢેથી કહેવાતુ’તું, એક દિવસ, બે દિવસ. પેલા જર્મનો ત્યાંથી હસતાં-હસતાં જાય અને હસતાં-હસતાં આવે.
અઠવાડિયાં-દસ દિવસ પછી સૈનિકોને અંદરથી થવા માંડ્યું કે હવે હું બોલતો નથી, અંદરથી રણકાર થવા માંડ્યો છે કે, “ઝાડ, તું સૂકાઈ જા, ઝાડ, તું સૂકાઈ જા.” બસ એ લોકો દિવસ રાત આ જાપ જપવા માંડ્યા.
મહિનો થયો એટલે પેલા જર્મન કેપ્ટનની ઝાડ પર નજર ગઈ તો જોયું કે એક ડાળ સૂકાઈ ગયેલી અને તેના બધા જ પાંદડા ખરી પડેલા.”
બે મહિના થયા. ધીરે-ધીરે બીજી ડાળીઓ સૂકાવા માંડી. ચાર મહિના થયા અને આખા ઝાડના પાંદડાં ખરી ગયાં. એટલે જર્મન કેપ્ટને બ્રિટશ સૈનિકોને કહ્યું, “જુઓ. હવે અમારે ત્યાંથી મોટું જહાજ આવે તે પહેલા અમારી બોટ લઈ તમે નાસી જાવ. આટલું પૂરતું છે કે તમે બધાએ આટલા મોટાં ઝાડનાં બધાં પાંડદાં ખેરવી નાખ્યાં. અને તે પણ અડક્યા વગર, ખાલી ઇચ્છાશક્તિથી. તો મારા તરફથી ભેટ સમજો અને મારી બોટ લઈ રાત્રે નાસી જાવ.”
અને એ છૂટ્યા. અને એમણે આ વાત લખી અને લખ્યું કે “અમે છૂટ્યા.કારણ કે, અમે મરણિયા થઈને જીવવા માંગતા હતા આ ઇચ્છાશક્તિનો,સામૂહિક ઇચ્છાશક્તિનો વિજય હતો.
એટલે મારી વાત એ છે કે અઢાર-ઓગણીસ જણ ઓકના ઝાડને સૂકવી દે, તો આપણે અઢાર-ઓગણીસ સાહિત્યપ્રેમીઓ ગુજરાતી સાહિત્ય માટે ઘણું કરી શકીએ.