(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
આપને જો લાગતું હોય કે આપની આખી જિંદગી વેડફાઈ ગઈ છે.ધાર્યું એક કામ થતું નથી. નસીબ સાથ આપતું નથી તો એક કામ કરવાની જરૂર છે અને તે સવારના ૪ વાગે ઊઠી જવાની.
આબુમાં બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા આખા ભારતના પત્રકારોનો સેમિનાર હતો. ૨૦૦૩ કે ૨૦૦૪ની વાત હશે. મારે પણ તેમાં એક પ્રવચન આપવાનું હતું. વડોદરાથી અમે બધા પત્રકારો આબુ પહોચ્યા.
ત્રીજે દિવસે બધા પત્રકારો રાત્રે જમી રહ્યા હતા ત્યારે બ્રહ્મકુમારીનાં વડા અમારી વચ્ચે આવીને વાતચીત કરવા લાગ્યાં. હું એમની પાસે ગયો અને મેં કહ્યું, “મને એક આધ્યાત્મિક પ્રશ્નનો જવાબ નથી મળતો.” તો તેઓશ્રી કહે, “ભાઈજી, આપ સુબહમે ચાર બજે ઊઠના શરુ કરો.” તો મેં પત્રકાર સહજ રીતે સામો પ્રશ્ન કર્યો કે, “આપને શું ખબર કે હું સવારે ૪ વાગે ઊઠું છું કે નહિ?” તેમણે મારી સામે જોયું અને દૃઢતાથી કહ્યું કે, “આપ અગર ચાર બજે ઊઠતે હો તો આપકો આધ્યાત્મિક પ્રશ્ન હોતા હી નહીં. અરે, આધ્યાત્મિક ક્યાં, દુન્વયી પ્રશ્ન ભી ના રહેતા.” આટલું કહી દીદી તો જતાં રહ્યાં.
મારી પત્રકાર તરીકેની કારર્કિદીને કારણે સવારના ૪ વાગ્યા સુધી ઉજાગરા કરીને સવારથી બપોરના જ સૂવાની ટેવ.
દીદીને મે કશું પૂછ્યું નહીં અને વડોદરા આવીને મારાથી કોઈ દિવસ ચાર વાગે ઊઠાયું નહી.
આ વાતને ત્રણ ચાર વર્ષ થયાં અને હું મા આનંદમયીના મહાન શિષ્ય ભાસ્કરાનંદજીના પરિચયમાં આવ્યો. એમને મેં આ પ્રસંગ કહ્યો અને પૂછ્યું કે, “સવારે ૪ વાગે ઊઠવાથી બધી મુશ્કેલીઓ પ્રશ્નોનો અંત આવી જાય એનું કારણ શું?”
પ.પૂ. ભાસ્કરાનંદજીએ કહ્યું કે, “દીદીએ સાચું જ કહ્યું હતું. હવે હું તને સવારના ચાર વાગે ઊઠવાથી સફળતા કેમ મળે તેનું રહસ્ય સમજાવું છું. બધા માનવી તેમણે પાછલાં જન્મ અને આ જન્મમાં કરેલાં કર્મોથી બંધાયેલા જ રહે છે. હવે જે આ જન્મમાં નિતાંત ગરીબ જન્મ્યો છે તે કેવી રીતે દાન-પુણ્ય કરી શકે? જ્યારે અમીરીમાં જન્મેલો મનુષ્ય ખૂબ દાન-પુણ્ય કરી વધુ ને વધુ સમૃદ્ધ થતો રહે. તો તેનો અર્થ એટલો જ કે કુદરત ગરીબોની વિરોધી છે. ગરીબો વધુ ને વધુ ગરીબ થતા રહે તેવી તેની વ્યવસ્થા છે. આ દુષચક્રમાંથી ગરીબ બહાર જ ના આવી શકે. જીતુભાઈ, આપ કહેશો કે કર્મનો સિદ્ધાંત તો આ જ કહે છે જેવું કર્મ કરીશ તેવું અને તેટલું જ ફળ પામીશ.”
ગુરૂજીએ કહ્યું “એ વાત પણ સાચી છે કે ખુદ ઈશ્વર પણ મનુષ્યનો અવતાર લે છે. ત્યારે કર્મના ફળથી બંધાયેલા રહે છે. તો પછી કર્મનો સિધ્ધાંત અચલ હોય અને તેના ફળ નિશ્ચિત જ હોય તો ગરીબો માટે આ બ્રહ્માંડ ગરીબ જ રહે. પણ આવું થતું નથી. કુદરતે -ઈશ્વરે ખુદ કર્મના સિધ્ધાંતમાં બાંધછોડ કરી છે. સવારના ૪ થી ૬માં પ્રાત:કાળે સમ્રગ સૃષ્ટિ પર ઈશ્વરની કૃપા-પ્રસાદ વરસે છે.”
ગુરૂજીએ કહ્યું “જીતુભાઈ, યજ્ઞ- હોમ- હવન કોણ કરી શકે અને કોણ ના કરી શકે તેના નિયમો છે. કોઈ લાયકાત વગરનો યજ્ઞ –હોમ- હવન કરે તો તેનું તેને ફળ ના મળે. પણ હોમ- હવનમાં જે પ્રસાદ ધરાવાય છે તે બધાં જ લઈ શકે અને પ્રસાદ લેનારને યજ્ઞ -હોમ-હવનનું ફળ વગર હોમ-હવન કરે મળી જાય છે. એટલે સવારના ૪ થી ૬માં ઈશ્વરની જે કૃપા-પ્રસાદ વરસે છે તે કર્મનાં ફળને આધીન નથી. તમારાં પાછલાં કર્મ ગમે તેટલાં દુ:ખ આપનાર હોય આ પ્રસાદથી દૂર થઈ જાય છે. એટલે જે કર્મનાં ફળ ઈશ્વર ખુદ ભોગવે છે તે કર્મનાં ફળ ઈશ્વરની કૃપા પ્રસાદથી નષ્ટ થઈ જાય છે. એટલે ગમે તેવા કાલસર્પ યોગમાં જન્મેલો હોય -પિતૃદોષ કે રાહુદોષથી પીડિત હોય એ સવારના ૪ વાગે ઊઠી ઈશ્વરભક્તિમાં લીન થાય તો તેની પીડા દૂર થયા વગર રહેતી નથી.”
આજે મારા ગુરુ ભાસ્કરનંદજી હયાત નથી પણ એમના શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા છે.
(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
આપને જો લાગતું હોય કે આપની આખી જિંદગી વેડફાઈ ગઈ છે.ધાર્યું એક કામ થતું નથી. નસીબ સાથ આપતું નથી તો એક કામ કરવાની જરૂર છે અને તે સવારના ૪ વાગે ઊઠી જવાની.
આબુમાં બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા આખા ભારતના પત્રકારોનો સેમિનાર હતો. ૨૦૦૩ કે ૨૦૦૪ની વાત હશે. મારે પણ તેમાં એક પ્રવચન આપવાનું હતું. વડોદરાથી અમે બધા પત્રકારો આબુ પહોચ્યા.
ત્રીજે દિવસે બધા પત્રકારો રાત્રે જમી રહ્યા હતા ત્યારે બ્રહ્મકુમારીનાં વડા અમારી વચ્ચે આવીને વાતચીત કરવા લાગ્યાં. હું એમની પાસે ગયો અને મેં કહ્યું, “મને એક આધ્યાત્મિક પ્રશ્નનો જવાબ નથી મળતો.” તો તેઓશ્રી કહે, “ભાઈજી, આપ સુબહમે ચાર બજે ઊઠના શરુ કરો.” તો મેં પત્રકાર સહજ રીતે સામો પ્રશ્ન કર્યો કે, “આપને શું ખબર કે હું સવારે ૪ વાગે ઊઠું છું કે નહિ?” તેમણે મારી સામે જોયું અને દૃઢતાથી કહ્યું કે, “આપ અગર ચાર બજે ઊઠતે હો તો આપકો આધ્યાત્મિક પ્રશ્ન હોતા હી નહીં. અરે, આધ્યાત્મિક ક્યાં, દુન્વયી પ્રશ્ન ભી ના રહેતા.” આટલું કહી દીદી તો જતાં રહ્યાં.
મારી પત્રકાર તરીકેની કારર્કિદીને કારણે સવારના ૪ વાગ્યા સુધી ઉજાગરા કરીને સવારથી બપોરના જ સૂવાની ટેવ.
દીદીને મે કશું પૂછ્યું નહીં અને વડોદરા આવીને મારાથી કોઈ દિવસ ચાર વાગે ઊઠાયું નહી.
આ વાતને ત્રણ ચાર વર્ષ થયાં અને હું મા આનંદમયીના મહાન શિષ્ય ભાસ્કરાનંદજીના પરિચયમાં આવ્યો. એમને મેં આ પ્રસંગ કહ્યો અને પૂછ્યું કે, “સવારે ૪ વાગે ઊઠવાથી બધી મુશ્કેલીઓ પ્રશ્નોનો અંત આવી જાય એનું કારણ શું?”
પ.પૂ. ભાસ્કરાનંદજીએ કહ્યું કે, “દીદીએ સાચું જ કહ્યું હતું. હવે હું તને સવારના ચાર વાગે ઊઠવાથી સફળતા કેમ મળે તેનું રહસ્ય સમજાવું છું. બધા માનવી તેમણે પાછલાં જન્મ અને આ જન્મમાં કરેલાં કર્મોથી બંધાયેલા જ રહે છે. હવે જે આ જન્મમાં નિતાંત ગરીબ જન્મ્યો છે તે કેવી રીતે દાન-પુણ્ય કરી શકે? જ્યારે અમીરીમાં જન્મેલો મનુષ્ય ખૂબ દાન-પુણ્ય કરી વધુ ને વધુ સમૃદ્ધ થતો રહે. તો તેનો અર્થ એટલો જ કે કુદરત ગરીબોની વિરોધી છે. ગરીબો વધુ ને વધુ ગરીબ થતા રહે તેવી તેની વ્યવસ્થા છે. આ દુષચક્રમાંથી ગરીબ બહાર જ ના આવી શકે. જીતુભાઈ, આપ કહેશો કે કર્મનો સિદ્ધાંત તો આ જ કહે છે જેવું કર્મ કરીશ તેવું અને તેટલું જ ફળ પામીશ.”
ગુરૂજીએ કહ્યું “એ વાત પણ સાચી છે કે ખુદ ઈશ્વર પણ મનુષ્યનો અવતાર લે છે. ત્યારે કર્મના ફળથી બંધાયેલા રહે છે. તો પછી કર્મનો સિધ્ધાંત અચલ હોય અને તેના ફળ નિશ્ચિત જ હોય તો ગરીબો માટે આ બ્રહ્માંડ ગરીબ જ રહે. પણ આવું થતું નથી. કુદરતે -ઈશ્વરે ખુદ કર્મના સિધ્ધાંતમાં બાંધછોડ કરી છે. સવારના ૪ થી ૬માં પ્રાત:કાળે સમ્રગ સૃષ્ટિ પર ઈશ્વરની કૃપા-પ્રસાદ વરસે છે.”
ગુરૂજીએ કહ્યું “જીતુભાઈ, યજ્ઞ- હોમ- હવન કોણ કરી શકે અને કોણ ના કરી શકે તેના નિયમો છે. કોઈ લાયકાત વગરનો યજ્ઞ –હોમ- હવન કરે તો તેનું તેને ફળ ના મળે. પણ હોમ- હવનમાં જે પ્રસાદ ધરાવાય છે તે બધાં જ લઈ શકે અને પ્રસાદ લેનારને યજ્ઞ -હોમ-હવનનું ફળ વગર હોમ-હવન કરે મળી જાય છે. એટલે સવારના ૪ થી ૬માં ઈશ્વરની જે કૃપા-પ્રસાદ વરસે છે તે કર્મનાં ફળને આધીન નથી. તમારાં પાછલાં કર્મ ગમે તેટલાં દુ:ખ આપનાર હોય આ પ્રસાદથી દૂર થઈ જાય છે. એટલે જે કર્મનાં ફળ ઈશ્વર ખુદ ભોગવે છે તે કર્મનાં ફળ ઈશ્વરની કૃપા પ્રસાદથી નષ્ટ થઈ જાય છે. એટલે ગમે તેવા કાલસર્પ યોગમાં જન્મેલો હોય -પિતૃદોષ કે રાહુદોષથી પીડિત હોય એ સવારના ૪ વાગે ઊઠી ઈશ્વરભક્તિમાં લીન થાય તો તેની પીડા દૂર થયા વગર રહેતી નથી.”
આજે મારા ગુરુ ભાસ્કરનંદજી હયાત નથી પણ એમના શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા છે.