આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે પહેલું નોરતું અને વિશ્વ હિંદુ પરિષદના વડોદરાના નેતા અને મારા નાનાભાઈ સમાન ભાઈ અનંત આંનદે મારી સાથેના ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું કે આ નવરાત્રી અમે હિંદુ યુવતીઓ પર વોચ રાખવાના છીએ. યુવતીઓ ગરબાને નામે અગાસીઓ પર, હોટલમાં પોતાના બોય-ફ્રેન્ડ્ઝ સાથે મજા ના ઉડાવે. અમે વોચડોગ બની ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરીશું અને હિંદુ યુવતીઓને શારીરિક સંબધો નહીં બાંધવા દઈએ, વિગેરે વિગેરે...
અનંત આંનદના શબ્દો કઈક જુદા હશે, પણ ભાવાર્થ તો આ જ હતો.
અનંત આનંદની આ વાતનો હું આ સીધીવાતમાં જવાબ આપી રહ્યો છું.
આજે વિશ્વ હિંદુ પરિષદે નવરાત્રી દરમિયાન વોચડોગ બનીને હિંદુ ધર્મનું રક્ષણ કરવાનો સંકલ્પ કર્યો છે અને તે માટે હિંદુ યુવતીઓ નવરાત્રીના નામે તેમના પુરુષ મિત્રો સાથે શારીરિક સંબધો ના બાંધે તેની ચોકસાઈ રાખવાનો નિર્ણય કરેલ છે.
મારો પહેલો સવાલ એ છે કે “હિંદુ કોને કહેવાય?” તો જવાબ છે કે જે વેદોમાં શ્રદ્ધા રાખે તે હિંદુ. આ વેદો તો ઈશ્વરના શબ્દો છે. ઋષિ-મુનિઓએ ઝીલ્યા અને જેમના તેમ ઋચાઓમાં રજૂ કરી દીધા. આ વેદોને પુન:ગઠિત અને વ્યવસ્થિત કર્યા ભગવાન વેદ વ્યાસે.
હવે વેદ વ્યાસજીના જન્મની કથા જોઈએ. પરાશર ઋષિ ખૂબ લાંબી તપસ્યાને અંતે ગંગા કિનારે આવ્યા. એમણે ગંગા પાર કરવી હતી. નાવિક એ સમયે સામે પાર ગયો હોવાથી હાજર ન હતો. આ નાવિકની પુત્રી માછલીના પેટમાંથી બહાર આવી હોવાથી અને માછલીની જેમ ગંધાતી હોવાને કારણે મત્સ્યગંધા તરીકે ઓળખાતી હતી. તેને થયું પિતાજીને આવતાં વિલંબ થશે, તો લાવ, હું આ ઋષિને પાર ઊતારી આવું. એટલે મત્સ્યગંધા અન્ય એક હોડીમાં પરાશર ઋષિને બેસાડીને નીકળી.
હોડી ગંગાના મધ્યપ્રવાહમાં આવી. આસપાસ સેંકડો હોડીઓ તરી રહી હતી અને પરાશર ઋષિને મત્સ્યગંધા સાથે શરીરસંબંધની ઇચ્છા થઈ. પરાશરે મત્સ્યગંધાને પોતાની ઇચ્છા જણાવી. મત્સ્યગંધાએ કહ્યું, કે ઋષિવર, ગંગામાં સેંકડો હોડીઓ આપણી આસપાસ ફરી રહી છે, ત્યારે આ કેવી રીતે સંભવી શકે?
પરાશર ઋષિએ તેમના તપોબળથી સૂર્યને ઢાંકી દીધો. ચારે તરફ અંધારું થઈ ગયું. ત્યારે એ કન્યાએ કહ્યું “મારા શરીરમાંથી આટલી બધી દુર્ગંધ આવે છે તો આપ મારી સાથે કામક્રીડાનો આનંદ કેવી રીતે ઉઠાવી શકશો?” તો પરાશરે એને સુગંધા કરી દીધી. હવે આ કન્યાએ કહ્યું, “ગુરુદેવ આપ તો સમાગમ કરીને ચાલ્યા જશો, પણ હું ગર્ભવતી થઈશ તો શું? તો પરાશર કહે, “તને એક પુત્ર થશે પણ તે જન્મતાંની સાથે જ ચાલ્યો જશે. તારે એને ઉછેરવો નહીં પડે.” તો કન્યા કહે, ‘પ્રભુ પણ શરીરસંબંધ અને પુત્રજન્મથી મારું કુંવારાપણું ખંડિત થશે તેનું શું?” તો ગુરુદેવે કહ્યું “તું ચિંતા ના કર, તું અક્ષતયોનિ જ રહીશ.”
હવે કન્યા કહે તો શું કહે?
પરાશર મુનિએ મત્સ્યગંધા સાથે પવિત્ર ગંગાનદીમાં વગર લગ્ન કર્યે શરીરસંબંધ બાંધ્યો અને પછી આનંદિત થઈને એક બીજું વરદાન આપ્યું, કે તારું આ યૌવન ક્યારે પણ કરમાશે નહીં. તું આજીવન શોડષા -એટલે સોળ વરસ જેવી જ સુંદર રહીશ.
આ મત્સ્યગંધાને જે બાળક જન્મ્યું એ ભગવાન વેદ વ્યાસ. હિંદુધર્મની આસ્થાનાં મૂળ સ્રોત વેદોને જેમણે પુન:ગઠિત કર્યા, સજીવન કર્યા, એ વેદ વ્યાસ કુંવારી માનું અનૌરસ સંતાન હતા.
હવે વાત કરીએ ભારતીય સંસ્કૃતિની. ભારતીય સંસ્કૃતિ એટલે ભારતદેશની સંસ્કૃતિ. ભારત પહેલાં આર્યવ્રત કે આર્યદેશ તરીકે ઓળખાતો હતો, તે ભારતદેશ બન્યો પહેલા ચક્રવર્તી રાજા ભરતના નામથી.
આ ભરત રાજા એટલે દુષ્યંત અને શંકુતલાનું સંતાન. દુષ્યંત રાજા કણ્વ ઋષિના આશ્રમમાં આવે છે. કણ્વ ઋષિ હાજર નથી. તેમની મંજૂરી વગર શકુંતલા સાથે ગંધર્વલગ્ન કરી શરીરસંબધ રાખે છે. તેમનું સંતાન એટલે ભરત રાજા. દુષ્યંત-શકુંતલા ગંધર્વલગ્ન તો કરે છે પણ કન્યાના વડીલની મંજૂરી વગર અને લોકોની જાણ બહાર. એટલે ભરત રાજા પણ દુષ્યંત-શંકુતલાનું અનૌરસ સંતાન.
હવે જોઈએ શકુંતલાને. શકુંતલા એટલે વિશ્વામિત્રનું તપોભંગ કરનાર મેનકા દ્વારા લગ્ન વગર પેદા થયેલું વિશ્વામિત્રનું અનૌરસ સંતાન. આમ હિંદુઓની આસ્થાના કેંદ્ર વેદોના રચયિતા વેદ વ્યાસના અનૌરસ સંતાન અને ભારતનું નામ જે રાજા પરથી પડ્યું તે ભરત રાજા તો હતા બે પેઢીના અનૌરસ સંતાન. આમ જુઓ તો ભારતીય સંસ્કૃતિ ખૂબ ઉદાર અને વિશાળ છે એમાં કામવૃત્તિનું દમન કરવાની કોઈ વાત જ ના હતી. તો પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ કન્યાઓ પર વોચ રાખવાનો કાર્યક્રમને હિન્દુ ધર્મ કે ભારતની સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડી શકાય. આવી વૃત્તિ તો તાલિબાની સંસ્કૃતિ છે. જેમાં લોકોને કેવી રીતે જીવવું?, કેવી રીતે ખાવું?, કેવી રીતે કપડાં પહેરવા?, તે બીજું કોઈ નક્કી કરે છે.
હિંદુ તત્વદર્શન આપણે માનીએ છીએ એવું છીછરું નથી. વિશ્વના કોઈ પણ સમાજ કરતાં હિંદુ સમાજ વધુ ઉદારચિત્ત અને વિશાળ દૃષ્ટિવાળો છે.
આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે પહેલું નોરતું અને વિશ્વ હિંદુ પરિષદના વડોદરાના નેતા અને મારા નાનાભાઈ સમાન ભાઈ અનંત આંનદે મારી સાથેના ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું કે આ નવરાત્રી અમે હિંદુ યુવતીઓ પર વોચ રાખવાના છીએ. યુવતીઓ ગરબાને નામે અગાસીઓ પર, હોટલમાં પોતાના બોય-ફ્રેન્ડ્ઝ સાથે મજા ના ઉડાવે. અમે વોચડોગ બની ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરીશું અને હિંદુ યુવતીઓને શારીરિક સંબધો નહીં બાંધવા દઈએ, વિગેરે વિગેરે...
અનંત આંનદના શબ્દો કઈક જુદા હશે, પણ ભાવાર્થ તો આ જ હતો.
અનંત આનંદની આ વાતનો હું આ સીધીવાતમાં જવાબ આપી રહ્યો છું.
આજે વિશ્વ હિંદુ પરિષદે નવરાત્રી દરમિયાન વોચડોગ બનીને હિંદુ ધર્મનું રક્ષણ કરવાનો સંકલ્પ કર્યો છે અને તે માટે હિંદુ યુવતીઓ નવરાત્રીના નામે તેમના પુરુષ મિત્રો સાથે શારીરિક સંબધો ના બાંધે તેની ચોકસાઈ રાખવાનો નિર્ણય કરેલ છે.
મારો પહેલો સવાલ એ છે કે “હિંદુ કોને કહેવાય?” તો જવાબ છે કે જે વેદોમાં શ્રદ્ધા રાખે તે હિંદુ. આ વેદો તો ઈશ્વરના શબ્દો છે. ઋષિ-મુનિઓએ ઝીલ્યા અને જેમના તેમ ઋચાઓમાં રજૂ કરી દીધા. આ વેદોને પુન:ગઠિત અને વ્યવસ્થિત કર્યા ભગવાન વેદ વ્યાસે.
હવે વેદ વ્યાસજીના જન્મની કથા જોઈએ. પરાશર ઋષિ ખૂબ લાંબી તપસ્યાને અંતે ગંગા કિનારે આવ્યા. એમણે ગંગા પાર કરવી હતી. નાવિક એ સમયે સામે પાર ગયો હોવાથી હાજર ન હતો. આ નાવિકની પુત્રી માછલીના પેટમાંથી બહાર આવી હોવાથી અને માછલીની જેમ ગંધાતી હોવાને કારણે મત્સ્યગંધા તરીકે ઓળખાતી હતી. તેને થયું પિતાજીને આવતાં વિલંબ થશે, તો લાવ, હું આ ઋષિને પાર ઊતારી આવું. એટલે મત્સ્યગંધા અન્ય એક હોડીમાં પરાશર ઋષિને બેસાડીને નીકળી.
હોડી ગંગાના મધ્યપ્રવાહમાં આવી. આસપાસ સેંકડો હોડીઓ તરી રહી હતી અને પરાશર ઋષિને મત્સ્યગંધા સાથે શરીરસંબંધની ઇચ્છા થઈ. પરાશરે મત્સ્યગંધાને પોતાની ઇચ્છા જણાવી. મત્સ્યગંધાએ કહ્યું, કે ઋષિવર, ગંગામાં સેંકડો હોડીઓ આપણી આસપાસ ફરી રહી છે, ત્યારે આ કેવી રીતે સંભવી શકે?
પરાશર ઋષિએ તેમના તપોબળથી સૂર્યને ઢાંકી દીધો. ચારે તરફ અંધારું થઈ ગયું. ત્યારે એ કન્યાએ કહ્યું “મારા શરીરમાંથી આટલી બધી દુર્ગંધ આવે છે તો આપ મારી સાથે કામક્રીડાનો આનંદ કેવી રીતે ઉઠાવી શકશો?” તો પરાશરે એને સુગંધા કરી દીધી. હવે આ કન્યાએ કહ્યું, “ગુરુદેવ આપ તો સમાગમ કરીને ચાલ્યા જશો, પણ હું ગર્ભવતી થઈશ તો શું? તો પરાશર કહે, “તને એક પુત્ર થશે પણ તે જન્મતાંની સાથે જ ચાલ્યો જશે. તારે એને ઉછેરવો નહીં પડે.” તો કન્યા કહે, ‘પ્રભુ પણ શરીરસંબંધ અને પુત્રજન્મથી મારું કુંવારાપણું ખંડિત થશે તેનું શું?” તો ગુરુદેવે કહ્યું “તું ચિંતા ના કર, તું અક્ષતયોનિ જ રહીશ.”
હવે કન્યા કહે તો શું કહે?
પરાશર મુનિએ મત્સ્યગંધા સાથે પવિત્ર ગંગાનદીમાં વગર લગ્ન કર્યે શરીરસંબંધ બાંધ્યો અને પછી આનંદિત થઈને એક બીજું વરદાન આપ્યું, કે તારું આ યૌવન ક્યારે પણ કરમાશે નહીં. તું આજીવન શોડષા -એટલે સોળ વરસ જેવી જ સુંદર રહીશ.
આ મત્સ્યગંધાને જે બાળક જન્મ્યું એ ભગવાન વેદ વ્યાસ. હિંદુધર્મની આસ્થાનાં મૂળ સ્રોત વેદોને જેમણે પુન:ગઠિત કર્યા, સજીવન કર્યા, એ વેદ વ્યાસ કુંવારી માનું અનૌરસ સંતાન હતા.
હવે વાત કરીએ ભારતીય સંસ્કૃતિની. ભારતીય સંસ્કૃતિ એટલે ભારતદેશની સંસ્કૃતિ. ભારત પહેલાં આર્યવ્રત કે આર્યદેશ તરીકે ઓળખાતો હતો, તે ભારતદેશ બન્યો પહેલા ચક્રવર્તી રાજા ભરતના નામથી.
આ ભરત રાજા એટલે દુષ્યંત અને શંકુતલાનું સંતાન. દુષ્યંત રાજા કણ્વ ઋષિના આશ્રમમાં આવે છે. કણ્વ ઋષિ હાજર નથી. તેમની મંજૂરી વગર શકુંતલા સાથે ગંધર્વલગ્ન કરી શરીરસંબધ રાખે છે. તેમનું સંતાન એટલે ભરત રાજા. દુષ્યંત-શકુંતલા ગંધર્વલગ્ન તો કરે છે પણ કન્યાના વડીલની મંજૂરી વગર અને લોકોની જાણ બહાર. એટલે ભરત રાજા પણ દુષ્યંત-શંકુતલાનું અનૌરસ સંતાન.
હવે જોઈએ શકુંતલાને. શકુંતલા એટલે વિશ્વામિત્રનું તપોભંગ કરનાર મેનકા દ્વારા લગ્ન વગર પેદા થયેલું વિશ્વામિત્રનું અનૌરસ સંતાન. આમ હિંદુઓની આસ્થાના કેંદ્ર વેદોના રચયિતા વેદ વ્યાસના અનૌરસ સંતાન અને ભારતનું નામ જે રાજા પરથી પડ્યું તે ભરત રાજા તો હતા બે પેઢીના અનૌરસ સંતાન. આમ જુઓ તો ભારતીય સંસ્કૃતિ ખૂબ ઉદાર અને વિશાળ છે એમાં કામવૃત્તિનું દમન કરવાની કોઈ વાત જ ના હતી. તો પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ કન્યાઓ પર વોચ રાખવાનો કાર્યક્રમને હિન્દુ ધર્મ કે ભારતની સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડી શકાય. આવી વૃત્તિ તો તાલિબાની સંસ્કૃતિ છે. જેમાં લોકોને કેવી રીતે જીવવું?, કેવી રીતે ખાવું?, કેવી રીતે કપડાં પહેરવા?, તે બીજું કોઈ નક્કી કરે છે.
હિંદુ તત્વદર્શન આપણે માનીએ છીએ એવું છીછરું નથી. વિશ્વના કોઈ પણ સમાજ કરતાં હિંદુ સમાજ વધુ ઉદારચિત્ત અને વિશાળ દૃષ્ટિવાળો છે.