(નોંધ – લેખ ઘણાં સમય પહેલાં લખાયેલો છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
આજે સંદેશની રવિવાર પૂર્તિમાં બહુ જાણીતા લેખક શ્રી ભૂપત વડોદરિયાજીનો એક લેખ આવ્યો છે. વડોદરિયાજીનું વાંચન, મનન અને ચિંતન વંદનીય છે. વડોદરિયાજી “લોકસત્તા-જનસત્તા” નામનાં અખબાર અને “સમભાવ” મેગેઝિનમાં તંત્રી છે. આ લેખ વડોદરિયાજી સિવાય કોઈ ચીલાચાલુ કટાર લેખકે આ લેખ લખ્યો હોત તો હું એની ચર્ચા પણ ના કરત.
બન્યું એવું કેરાલામાં કોઈ કાર્યક્રમનું આયોજન થયું હતું અને જગદગુરુ શંકરાચાર્ય આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. તેઓ આવે તે પહેલાં એક વિદુષી મહિલાએ વેદગાન ગાવાનું શરૂ કર્યું. તેઓ બહુ મોટા ગજાના સંસ્કૃત જ્ઞાતા અને ઉત્તમ ગાયક પણ ખરા. તેમનું આ વેદગાન ચાલતું હતું ત્યાં જગદગુરુ શંકરાચાર્યની પધરામણી થઈ. તેમણે સભા મંડપમાથી એક સ્ત્રીનાં મુખે વેદગાન થતું સાંભળ્યું અને તેઓ સભા મંડપ છોડી પરત ફરી ગયા. સંચાલકો તેમની પાછળ દોડ્યા ત્યારે જગદગુરુએ કહ્યું કે વેદગાન કરનાર આ મહિલાને સભા મંડપમાથી બહાર કાઢો તે પછી જ હું સભા મંડપમાં આવીશ, સંચાલકોએ પેલાં વિદુષી મહિલાને બહાર જવાનું કહ્યું, તેઓ ગયાં પણ ખરાં અને ત્યાર પછી શંકરાચાર્ય સભા મંડપમાં પ્રવેશ કરી એમનું પ્રવચન આપ્યું.
આ સમાચાર ભૂપત વડોદરિયાજીએ ક્યાંક વાંચ્યા અને તેમણે સંદેશમાં ૬-૭ કૉલમ લાંબો લેખ લખીને વેદનું વાંચન મહિલાઓને નહીં કરવા દઈ તેમજ અન્ય અનેક રીતે હિન્દુ સમાજમાં મહિલાઓનું કેવું શોષણ થયું હતું અને પુરૂષથી નીચી ગણવામાં આવતી હતી વિગેરે વિગેરે બાબતોનો ઉલ્લેખ કરી હિન્દુ સમાજ પર ખૂબ આકરા પ્રહારો કર્યા છે.
ભૂપતભાઈએ હિન્દુ નારીનો પક્ષ લીધો. એક વિદુષી મહિલાના અપમાન માટે જગદગુરુ શંકરાચાર્યને ડોશી પણ ઠેરવ્યા અને આ બધુ એક અડધું પાનું ભરાય તેટલા લાંબા લેખમાં કરેલ છે. મારો ભૂપતભાઈને એક સવાલ છે કે શું માત્ર હિન્દુ સમાજમાં સ્ત્રીઓને ઊતરતી ગણવામાં આવતી હતી? ભૂપતભાઈ ખૂબ અભ્યાસુ છે. દુનિયાના તમામ ધર્મોના જાણકાર છે. આટલા મોટા લેખમાં એમણે હિન્દુ ધર્મ સિવાય બીજા ધર્મોમાં સ્ત્રીઓની જે સ્થિતિ છે તે અંગે પણ કંઈક વાત લખવી જોઈતી હતી.
ચાલો સૌ પહેલાં આપણે એ તપાસીએ કે હિન્દુ સમાજ સ્ત્રીઓને વેદગાન નહીં કરવા દઈને કેટલી સ્ત્રીઓને અન્યાય કર્યો છે? આજની વાત કરીએ તો ભારતમાં સો કરોડ હિન્દુઓ છે એટલે ૫૦ કરોડ હિન્દુ સ્ત્રીઓ છે, જેમાંથી ૨૫ કરોડ જેવી સ્ત્રીઓ સાવ અભણ છે, બાકીની ૨૫ કરોડ સ્ત્રીઓમાથી સંસ્કૃત જાણતી, સમજતી, બોલતી સ્ત્રીઓ એક લાખથી પણ ઓછી હશે. વળી, હાલનું જે સંસ્કૃત છે તે સંસ્કૃત કરતાં વેદો જે સંસ્કૃતમાં લખાય છે તે તદ્દન ભિન્ન છે. આવું વેદકાલીન સંસ્કૃત જાણનાર વિદુષી સ્ત્રીઓની સંખ્યા તો ૪૦૦ પણ નહીં હોય. આ 400 સ્ત્રીઓમાથી વેદોનું જે વિશિષ્ટ રાગ-રાગિણીઓમાં ગાન થાય છે તે જાણનારી માંડ ૨૦-૩૦ સ્ત્રી હશે જેમાં જે વિદુષી મહિલાને સભા મંડપ છોડવાનો આદેશ કરવામાં આવ્યો હતો તે મહિલાનો સમાવેશ થાય છે. આમ, ભૂપતભાઈએ સંદેશનાં અડધા પાનામાં જે વ્યથા વ્યક્ત કરી તે આ ૨૦-૨૫ સ્ત્રીઓ માટેની છે. અને સાચું કહું તો શાસ્ત્રોમાં મહિલાઓને વેદગાન કરવાની ના પડી છે, તે જોતાં ભારતની જે ૨૦-૨૫ મહિલાઓ વેદગાન કરી શકે એમ છે તેમાંથી પણ ૨૦-૨૨ મહિલાઓ વેદગાન કરવાનું કહેવામાં આવે તો પણ વેદગાન કરવા ઇનકાર કરી દે છે. આમ ભૂપતભાઈએ જે બાબતે હિન્દુ સમાજને દોષિત ઠરાવેલ છે તે વાત માંડ ૧-૨ મહિલાઓ માટેની છે. દલીલ ખાતર માની પણ લઈએ તો આ વાત ૧૦૦-૨૦૦ મહિલાઓની છે. ભૂપતભાઈએ એમના લેખમાં જો બીજા ધર્મની વાત કરી હોત તો આ લેખ વધારે યોગ્ય થાત પણ એમને બીજા કોઈ ધર્મની વાત આ લેખમાં લીધેલ નથી. આવો આપણે બીજા ધર્મોમાં સ્ત્રીઓની સ્થિતિ શું છે તે જોઈએ.
સૌથી પહેલાં બૌદ્ધ ધર્મની વાત કરીએ. ભગવાન બુદ્ધ પહેલાં વર્ષો સુધી તેમના સંઘમાં સ્ત્રીઓને સામેલ કરવાની ના પડી એટલે બૌદ્ધ સંઘમાં માત્ર ને માત્ર પુરુષ સાધુઓ જ જોડાઈ શકતા. જ્યારે ભગવાન બુદ્ધનાં માતાની બહેન અને ભગવાન બુદ્ધને ઉછેરનાર મહાપજાપતિ ગૌતમી જ્યારે ગૌતમ બુદ્ધ પાસે દીક્ષા લેવા આવ્યાં ત્યારે પણ ભગવાન બુદ્ધે પોતાને ઉછેરનાર માતાને દીક્ષા આપવાની ના પાડી હતી અને લાંબા સમય પછી જ્યારે તેમણે પોતાને ઉછેરનાર માતાને સંઘમાં ભિક્ષણી તરીકે દાખલ કરી ત્યારે એમ કહેવાય છે કે ભગવાન બુદ્ધે એમ કહ્યું હતું કે મારા સંઘમાં સ્ત્રીઓને દાખલ કરવાને કારણે મારો સંઘ જે હજારો સાલ ચાલવાનો હતો તે ૨૫૦૦ વર્ષમાં પૂરો થઈ જશે. આમ ભગવાન બુદ્ધ સ્ત્રીને સાધુ તરીકે દાખલ કરવા સામે પૂર્વગ્રહિત હતા અને એમ માનતા કે સ્ત્રી સાધુ ના થાય તો સારું. હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને માત્ર વેદજ્ઞાનની મનાઈ છે ત્યારે ભગવાન બુદ્ધ તેમના ધર્મમાં કોઈ સ્ત્રી સાધુ થાય તેના પણ વિરોધમાં હતા.
હવે વાત લઈએ ઇસ્લામની. ઇસ્લામના સરિયતમાં એવી જોગવાઈ છે કે બે સ્ત્રીઓ બરાબર એક પુરુષની સાક્ષી ગણવી એટલે કે જો કોઈ સ્ત્રી પર એકાંતમાં બળાત્કાર થાય અને તેના સિવાય બીજું કોઈ સાક્ષી ન હોય તો તેની સાક્ષી માન્ય રાખી બળાત્કાર કરનાર પુરુષને સજા ના થઈ શકે. હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને ૪ વેદ વાંચવા સામે મનાઈ છે પણ ઇસ્લામમાં તો એકલી સ્ત્રીને સાક્ષી ગણવાની પણ મનાઈ છે. હિન્દુ ધર્મમાં ૧૦૦-૨૦૦ સ્ત્રીઓ વેદ વાંચવાથી વંચિત રહી જાય છે પણ ઇસ્લામમાં તો તમામ સ્ત્રીઓને એકલા સાક્ષી બનવા સામે મનાઈ ફરમાવવામાં આવી છે. શું મુસ્લિમ સ્ત્રીઓનું આ અપમાન અને શોષણ નથી? ભૂપતભાઈ, આના વિષે કેમ ચાર શબ્દો લખી ના શકાય? આ સવાલ તો ૧ કરોડ મુસ્લિમ સ્ત્રીઓને પુરુષ કરતાં હીન ગણવાનો છે.
ને હવે વાત કરીએ જૈન ધર્મની. ભગવાન મહાવીર સ્વામીએ તો સાફ-સાફ શબ્દોમાં કહ્યું કે સ્ત્રીના દેહમાં રહેલો આત્મા મોક્ષ પામી શકે નહીં. ભગવાન મહાવીરના કહેવાનો અર્થ એ હતો કે સ્ત્રી ગમે તેટલી મહાન ભક્તિ કરે, તપ કરે તો પણ તે સ્ત્રી હોવાથી તે મોક્ષ પામી શકે નહીં. મહાન તપસ્વી સ્ત્રી જ્યારે પુરુષનો દેહ ધારણ કરે ત્યાર પછી જ તેને મોક્ષ મળે. યાદ રહે હિન્દુ ધર્મમાં સ્ત્રી ભક્તિ, ધ્યાન, યોગ, સંગીત જેવી કોઈ પણ ઉપાસના દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. તેમની પર જે પ્રતિબંધ છે તે માત્ર વેદ વાંચવા પૂરતો છે. જ્યારે ભગવાન મહાવીર તો સ્ત્રીઓના મોક્ષ સામે જ મનાઈ ફરમાવી દે છે. યાદ રહે ભગવાન મહાવીર જ્યારે કહે છે કે, સ્ત્રીઓના શરીરમાં રહેલા આત્માને મોક્ષ મળી શકે નહીં ત્યારે તેઓ માત્ર જૈન ધર્મની વાત કરી રહ્યા નથી. તેમનું આ વિધાન દુનિયાની દરેક સ્ત્રીને લાગુ પડે છે. આમ ભગવાન મહાવીર દુનિયાની સાડા ત્રણ અબજ સ્ત્રીઓને મોક્ષથી વંચિત કરી દે છે. આમ હિન્દુ ધર્મમાં વેદ વાંચવા પર જે પ્રતિબંધ છે તે ૧૦૦-૨૦૦ સ્ત્રીઓને લાગુ પડે છે જ્યારે ભગવાન મહાવીર સમગ્ર વિશ્વની સ્ત્રીઓને મોક્ષથી વંચિત કરી દે છે તે માટે ભૂપતભાઈને કંઇ જ કહેવું નથી?
(નોંધ – લેખ ઘણાં સમય પહેલાં લખાયેલો છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
આજે સંદેશની રવિવાર પૂર્તિમાં બહુ જાણીતા લેખક શ્રી ભૂપત વડોદરિયાજીનો એક લેખ આવ્યો છે. વડોદરિયાજીનું વાંચન, મનન અને ચિંતન વંદનીય છે. વડોદરિયાજી “લોકસત્તા-જનસત્તા” નામનાં અખબાર અને “સમભાવ” મેગેઝિનમાં તંત્રી છે. આ લેખ વડોદરિયાજી સિવાય કોઈ ચીલાચાલુ કટાર લેખકે આ લેખ લખ્યો હોત તો હું એની ચર્ચા પણ ના કરત.
બન્યું એવું કેરાલામાં કોઈ કાર્યક્રમનું આયોજન થયું હતું અને જગદગુરુ શંકરાચાર્ય આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. તેઓ આવે તે પહેલાં એક વિદુષી મહિલાએ વેદગાન ગાવાનું શરૂ કર્યું. તેઓ બહુ મોટા ગજાના સંસ્કૃત જ્ઞાતા અને ઉત્તમ ગાયક પણ ખરા. તેમનું આ વેદગાન ચાલતું હતું ત્યાં જગદગુરુ શંકરાચાર્યની પધરામણી થઈ. તેમણે સભા મંડપમાથી એક સ્ત્રીનાં મુખે વેદગાન થતું સાંભળ્યું અને તેઓ સભા મંડપ છોડી પરત ફરી ગયા. સંચાલકો તેમની પાછળ દોડ્યા ત્યારે જગદગુરુએ કહ્યું કે વેદગાન કરનાર આ મહિલાને સભા મંડપમાથી બહાર કાઢો તે પછી જ હું સભા મંડપમાં આવીશ, સંચાલકોએ પેલાં વિદુષી મહિલાને બહાર જવાનું કહ્યું, તેઓ ગયાં પણ ખરાં અને ત્યાર પછી શંકરાચાર્ય સભા મંડપમાં પ્રવેશ કરી એમનું પ્રવચન આપ્યું.
આ સમાચાર ભૂપત વડોદરિયાજીએ ક્યાંક વાંચ્યા અને તેમણે સંદેશમાં ૬-૭ કૉલમ લાંબો લેખ લખીને વેદનું વાંચન મહિલાઓને નહીં કરવા દઈ તેમજ અન્ય અનેક રીતે હિન્દુ સમાજમાં મહિલાઓનું કેવું શોષણ થયું હતું અને પુરૂષથી નીચી ગણવામાં આવતી હતી વિગેરે વિગેરે બાબતોનો ઉલ્લેખ કરી હિન્દુ સમાજ પર ખૂબ આકરા પ્રહારો કર્યા છે.
ભૂપતભાઈએ હિન્દુ નારીનો પક્ષ લીધો. એક વિદુષી મહિલાના અપમાન માટે જગદગુરુ શંકરાચાર્યને ડોશી પણ ઠેરવ્યા અને આ બધુ એક અડધું પાનું ભરાય તેટલા લાંબા લેખમાં કરેલ છે. મારો ભૂપતભાઈને એક સવાલ છે કે શું માત્ર હિન્દુ સમાજમાં સ્ત્રીઓને ઊતરતી ગણવામાં આવતી હતી? ભૂપતભાઈ ખૂબ અભ્યાસુ છે. દુનિયાના તમામ ધર્મોના જાણકાર છે. આટલા મોટા લેખમાં એમણે હિન્દુ ધર્મ સિવાય બીજા ધર્મોમાં સ્ત્રીઓની જે સ્થિતિ છે તે અંગે પણ કંઈક વાત લખવી જોઈતી હતી.
ચાલો સૌ પહેલાં આપણે એ તપાસીએ કે હિન્દુ સમાજ સ્ત્રીઓને વેદગાન નહીં કરવા દઈને કેટલી સ્ત્રીઓને અન્યાય કર્યો છે? આજની વાત કરીએ તો ભારતમાં સો કરોડ હિન્દુઓ છે એટલે ૫૦ કરોડ હિન્દુ સ્ત્રીઓ છે, જેમાંથી ૨૫ કરોડ જેવી સ્ત્રીઓ સાવ અભણ છે, બાકીની ૨૫ કરોડ સ્ત્રીઓમાથી સંસ્કૃત જાણતી, સમજતી, બોલતી સ્ત્રીઓ એક લાખથી પણ ઓછી હશે. વળી, હાલનું જે સંસ્કૃત છે તે સંસ્કૃત કરતાં વેદો જે સંસ્કૃતમાં લખાય છે તે તદ્દન ભિન્ન છે. આવું વેદકાલીન સંસ્કૃત જાણનાર વિદુષી સ્ત્રીઓની સંખ્યા તો ૪૦૦ પણ નહીં હોય. આ 400 સ્ત્રીઓમાથી વેદોનું જે વિશિષ્ટ રાગ-રાગિણીઓમાં ગાન થાય છે તે જાણનારી માંડ ૨૦-૩૦ સ્ત્રી હશે જેમાં જે વિદુષી મહિલાને સભા મંડપ છોડવાનો આદેશ કરવામાં આવ્યો હતો તે મહિલાનો સમાવેશ થાય છે. આમ, ભૂપતભાઈએ સંદેશનાં અડધા પાનામાં જે વ્યથા વ્યક્ત કરી તે આ ૨૦-૨૫ સ્ત્રીઓ માટેની છે. અને સાચું કહું તો શાસ્ત્રોમાં મહિલાઓને વેદગાન કરવાની ના પડી છે, તે જોતાં ભારતની જે ૨૦-૨૫ મહિલાઓ વેદગાન કરી શકે એમ છે તેમાંથી પણ ૨૦-૨૨ મહિલાઓ વેદગાન કરવાનું કહેવામાં આવે તો પણ વેદગાન કરવા ઇનકાર કરી દે છે. આમ ભૂપતભાઈએ જે બાબતે હિન્દુ સમાજને દોષિત ઠરાવેલ છે તે વાત માંડ ૧-૨ મહિલાઓ માટેની છે. દલીલ ખાતર માની પણ લઈએ તો આ વાત ૧૦૦-૨૦૦ મહિલાઓની છે. ભૂપતભાઈએ એમના લેખમાં જો બીજા ધર્મની વાત કરી હોત તો આ લેખ વધારે યોગ્ય થાત પણ એમને બીજા કોઈ ધર્મની વાત આ લેખમાં લીધેલ નથી. આવો આપણે બીજા ધર્મોમાં સ્ત્રીઓની સ્થિતિ શું છે તે જોઈએ.
સૌથી પહેલાં બૌદ્ધ ધર્મની વાત કરીએ. ભગવાન બુદ્ધ પહેલાં વર્ષો સુધી તેમના સંઘમાં સ્ત્રીઓને સામેલ કરવાની ના પડી એટલે બૌદ્ધ સંઘમાં માત્ર ને માત્ર પુરુષ સાધુઓ જ જોડાઈ શકતા. જ્યારે ભગવાન બુદ્ધનાં માતાની બહેન અને ભગવાન બુદ્ધને ઉછેરનાર મહાપજાપતિ ગૌતમી જ્યારે ગૌતમ બુદ્ધ પાસે દીક્ષા લેવા આવ્યાં ત્યારે પણ ભગવાન બુદ્ધે પોતાને ઉછેરનાર માતાને દીક્ષા આપવાની ના પાડી હતી અને લાંબા સમય પછી જ્યારે તેમણે પોતાને ઉછેરનાર માતાને સંઘમાં ભિક્ષણી તરીકે દાખલ કરી ત્યારે એમ કહેવાય છે કે ભગવાન બુદ્ધે એમ કહ્યું હતું કે મારા સંઘમાં સ્ત્રીઓને દાખલ કરવાને કારણે મારો સંઘ જે હજારો સાલ ચાલવાનો હતો તે ૨૫૦૦ વર્ષમાં પૂરો થઈ જશે. આમ ભગવાન બુદ્ધ સ્ત્રીને સાધુ તરીકે દાખલ કરવા સામે પૂર્વગ્રહિત હતા અને એમ માનતા કે સ્ત્રી સાધુ ના થાય તો સારું. હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને માત્ર વેદજ્ઞાનની મનાઈ છે ત્યારે ભગવાન બુદ્ધ તેમના ધર્મમાં કોઈ સ્ત્રી સાધુ થાય તેના પણ વિરોધમાં હતા.
હવે વાત લઈએ ઇસ્લામની. ઇસ્લામના સરિયતમાં એવી જોગવાઈ છે કે બે સ્ત્રીઓ બરાબર એક પુરુષની સાક્ષી ગણવી એટલે કે જો કોઈ સ્ત્રી પર એકાંતમાં બળાત્કાર થાય અને તેના સિવાય બીજું કોઈ સાક્ષી ન હોય તો તેની સાક્ષી માન્ય રાખી બળાત્કાર કરનાર પુરુષને સજા ના થઈ શકે. હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને ૪ વેદ વાંચવા સામે મનાઈ છે પણ ઇસ્લામમાં તો એકલી સ્ત્રીને સાક્ષી ગણવાની પણ મનાઈ છે. હિન્દુ ધર્મમાં ૧૦૦-૨૦૦ સ્ત્રીઓ વેદ વાંચવાથી વંચિત રહી જાય છે પણ ઇસ્લામમાં તો તમામ સ્ત્રીઓને એકલા સાક્ષી બનવા સામે મનાઈ ફરમાવવામાં આવી છે. શું મુસ્લિમ સ્ત્રીઓનું આ અપમાન અને શોષણ નથી? ભૂપતભાઈ, આના વિષે કેમ ચાર શબ્દો લખી ના શકાય? આ સવાલ તો ૧ કરોડ મુસ્લિમ સ્ત્રીઓને પુરુષ કરતાં હીન ગણવાનો છે.
ને હવે વાત કરીએ જૈન ધર્મની. ભગવાન મહાવીર સ્વામીએ તો સાફ-સાફ શબ્દોમાં કહ્યું કે સ્ત્રીના દેહમાં રહેલો આત્મા મોક્ષ પામી શકે નહીં. ભગવાન મહાવીરના કહેવાનો અર્થ એ હતો કે સ્ત્રી ગમે તેટલી મહાન ભક્તિ કરે, તપ કરે તો પણ તે સ્ત્રી હોવાથી તે મોક્ષ પામી શકે નહીં. મહાન તપસ્વી સ્ત્રી જ્યારે પુરુષનો દેહ ધારણ કરે ત્યાર પછી જ તેને મોક્ષ મળે. યાદ રહે હિન્દુ ધર્મમાં સ્ત્રી ભક્તિ, ધ્યાન, યોગ, સંગીત જેવી કોઈ પણ ઉપાસના દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. તેમની પર જે પ્રતિબંધ છે તે માત્ર વેદ વાંચવા પૂરતો છે. જ્યારે ભગવાન મહાવીર તો સ્ત્રીઓના મોક્ષ સામે જ મનાઈ ફરમાવી દે છે. યાદ રહે ભગવાન મહાવીર જ્યારે કહે છે કે, સ્ત્રીઓના શરીરમાં રહેલા આત્માને મોક્ષ મળી શકે નહીં ત્યારે તેઓ માત્ર જૈન ધર્મની વાત કરી રહ્યા નથી. તેમનું આ વિધાન દુનિયાની દરેક સ્ત્રીને લાગુ પડે છે. આમ ભગવાન મહાવીર દુનિયાની સાડા ત્રણ અબજ સ્ત્રીઓને મોક્ષથી વંચિત કરી દે છે. આમ હિન્દુ ધર્મમાં વેદ વાંચવા પર જે પ્રતિબંધ છે તે ૧૦૦-૨૦૦ સ્ત્રીઓને લાગુ પડે છે જ્યારે ભગવાન મહાવીર સમગ્ર વિશ્વની સ્ત્રીઓને મોક્ષથી વંચિત કરી દે છે તે માટે ભૂપતભાઈને કંઇ જ કહેવું નથી?